Sunday, May 19, 2019

કૃષ્ણકુમારસિંહ ગોહીલ --- Krishna Kumarasinh Gohil

👑કૃષ્ણકુમારસિંહ ગોહીલ👑

🍃જન્મની વિગત
૧૯ મે , ૧૯૧૨
ભાવનગર , ગુજરાત


💐મૃત્યુની વિગત
૨ એપ્રિલ , ૧૯૬૫
ભાવનગર , ગુજરાત

🎯રહેઠાણ નિલમબાગ પેલેસ , ભાવનગર

⛳ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી
કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે , ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા.

⛳🏹સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું.

⛳ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા

19 May

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🤖👾ઈતિહાસમાં 19 મેનો દિવસ🤖👾


💐💐તાતા જૂથના સ્થાપકનું નિધન💐💐

તાતા ગ્રૂપના સ્થાપક જમશેતજી તાતાએ વર્ષ 1904 ની 19 મેના રોજ જર્મનીના બેડ નોહેમમાં અંતિમ શ્વાસ લીધા હતા . નવસારીમાં જન્મેલા જમશેતજી માત્ર 14 વર્ષની ઉંમરે પિતાના બિઝનેસમાં જોડાયા હતા . 🎋આજે તેઓ આધુનિક ભારતના પિતામહ તરીકે ઓળખાય છે .

⛴🛳ભારતનું પહેલું સબમરીન બેઝ🛳⛴

વર્ષ 1971 ની 19 મેના રોજ ભારતીય નૌકાદળના પહેલા સબમરીન બેઝ INS વિરભુનું ઉદ્ઘાટન કરાયું હતું. પાક .અને ચીનનો દરિયાઈ માર્ગે મુકાબલો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી સબમરીનોને આ બેઝમાં લાવીને સર્વિસ ઉપરાંત લાંબો સમય દરિયામાં રહેવા તૈયાર કરાય છે.


📙📙📙રસ્કીન બોન્ડ📙📘📘

બાળ સાહિત્યમાં સૌથી મોટું યોગદાન આપનારા રસ્કીન બોન્ડનો જન્મ વર્ષ ૧૯૩૪માં આજના દિવસે ભારતમાં થયો હતો . સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણથી નવાજ્યા હતા . તેમણે તેમના બાલ્યાવસ્થાનો થોડો સમય ગુજરાતમાં પણ વિતાવ્યો હતો .

🔦🔦🔦🔦વેનેરા -વન💡💡💡💡

વર્ષ ૧૯૬૧માં આજના દિવસે રશિયાનું વેનેરા- વન નામનું યાન જ્યારે શુક્ર પાસેથી પસાર થયું ત્યારે અન્ય ગ્રહ પાસેથી પસાર થવામાં સફળ થનારું વિશ્વનું પહેલું યાન બન્યું હતું . જોકે, એક મહિના પહેલા જ પૃથ્વી સાથે સંપર્ક તૂટી જવાના કારણે આ યાન કોઈ ડેટા મોકલી શક્યું નહોતું

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏