Friday, June 14, 2019

14 June

તારીખ : 14/06/2019
📋વાર :  શુક્રવાર 

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️જઠ સુદ ૧

🔳1634 :- રશિયા અને પોલેન્ડ પોલિયાનોવ સંધિ પર હસ્તાક્ષર કર્યા.

🔳1642 :- અમેરિકાના મેસાચ્યુસેટમાં અનિવાર્ય શિક્ષણનો પ્રથમ કાયદો પસાર થયો.

🔳1775 :- અમેરિકાની સેનાની સ્થાપના કરાઈ.

🔳1880 :- ગ્રામીણ વૈજ્ઞાનિક સતીસ ચંદ્ર દાસગુપ્તાનો જન્મ થયો.

🔳1907 :- નોર્વેએ મહિલાઓ પાસેથી તેમનો મતાધિકાર છીનવી લીધો.

🔳1909 :- પ્રથમ બિન કૉંગ્રેસી મુખ્યમંત્રી ઇએમએસ નામ્બુદિરિપાદનો કેરળમાં જન્મ થયો.

🔳1929 :- જતીન્દ્ર નાથ દાસની કલકતા માંથી ધરપકડ કરવામાં આવી.

🔳1949 :- વિયેટનામ દેશ આઝાદ થયો.

🔳1958 :- ડૉ. સી. વી. રામન ને લેનિન શાંતિ પીરુસ્કાર આપવામાં આવ્યો.

વિશ્વ રક્તદાન દિવસ --- World Blood Donation Day

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
⭕️⭕️14 જૂન : વિશ્વ રક્તદાન દિવસ 
🌡💉🌡💉🌡💉🌡💉🌡💉🌡💉
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉👁‍🗨વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)દ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સંગઠને 1997માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વવના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.

👉વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કાર્લ લેન્ડસ્ટાઇનર નામના જાણીતા ઓસ્ટ્રેલિયન જીવવિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રીની યાદમાં તેમના જન્મદિનના અવસરે રક્તદાનને પ્રત્સાહન આપવા માટે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવે છે.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳ભારતમાં રક્તદાન -🇮🇳

WHOના માપદંડ અનુસાર ભારતમાં વાર્ષિક એક કરોડ યુનિટ રક્તની જરૂરિયાત હોય છે. પણ 75 લાખ યુનિટ જ ઉપલબ્ધ બને છે. એટલે કે લગભગ 25 લાખ યુનિટ લોહીના અભાવમાં દર વર્ષે સેંકડો દર્દીઓ દમ તોડી દે છે. ભારતની આબાદી સવા અરબ છે જ્યારે રક્તદાતાઓનો આંકડો કુલ આબાદીના એક ટકા પણ નથી. ભારતમાં કુલ રક્તદાનનું માત્ર 49 ટકા રક્તદાન જ સ્વૈચ્છિક હોય છે. રાજધઆની દિલ્હીમાં તો સ્વૈચ્છિક રક્તદાન માત્ર 32 ટકા જ છે.

કાર્લ લેન્ડસ્ટેઇનર --- Carl Landsteiner

♦️♻💉🌡️એબીઓ રક્તસમુહ પ્રણાલી🌡💉🌡💉 (ABO blood group system)ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner)નો ઓસ્ટ્રિયા ખાતે જન્મ

🔑🗝🔑કાર્લ લેન્ડસ્ટેઇનર (અંગ્રેજી:Karl Landsteiner) વિશ્વભરમાં જાણીતા વૈજ્ઞાનિક હતા. તેઓ
જીવશાસ્ત્રના તજજ્ઞ હતા. તેમનો જન્મ જૂન ૧૪ , ૧૮૬૮ના રોજ ઓસ્ટ્રિયા નામના દેશમાં થયો હતો.
તેઓ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક હતા, જેના માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું અને એમનો જન્મ દિવસ (૧૪મી જૂન, ૧૮૬૮) હોવાથી તેમની યાદમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિન મનાવી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા પ્રયાસ આદર્યો છે.
એમણે આપણા શરીરમાં અત્યંત મહત્વ ધરાવતા લોહીમાં અગત્યનાં સંશોધનો કર્યાં હતાં. એમણે આ પૈકી એક શોધ આર એચ ફેક્ટરની કરી હતી. એમણે એ, બી અને ઓ એમ ત્રણ જુથમાં માનવરક્તને વહેંચ્યું હતું. આ સાથે એમણે વધુ સંશોધન કરી સમાન રક્ત જૂથ ધરાવતા વ્યક્તિને એકબીજાનું લોહી ચડાવવાથી નુકશાન નથી થતુ, પણ અલગ અલગ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિઓને એકબીજાનું લોહી ચડાવવામાં આવે તો અત્યંત ગંભીર મુશ્કેલીઓ થાય છે એ પણ શોધી કાઢ્યું હતું. આ ઉપરાંત પોપર નામના વૈજ્ઞાનિક સાથે મળી (ઈ. સ. ૧૯૦૯) પોલિયો વાયરસની શોધ કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. એમને ઔષધીય સંશોધનો બદલ ઈ. સ. ૧૯૪૬ના વર્ષમાં લાસ્કર પારિતોષિક (Lasker award) પણ એનાયત કરવામાં આવ્યો હતો.