Friday, July 12, 2019

રક્ષાબંધન --- Raksha Bandhan

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
અતૂટ વિશ્વાસનુ બંધન એટલે રક્ષા બંધન
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः।
तेनत्वामभिबघ्नामि रक्षे माचल-माचलः।'

🙏રક્ષા બંધનના આ પાવન અવસર પર મારી રક્ષા કરનાર સર્વે(બહેનો+મિત્રો+વડીલ++++)વ્યક્તિઓને ખુબ ખુબ રક્ષા બંધનની શુભેચ્છાઓ..

👁‍🗨♦️👉રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતાં એવી આશા રાખે છે કે ભાઇ તો બહેનની રક્ષા કરશે જ. પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે, 'આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.' આ પ્રસંગે ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી, ફરજ અદા થાય છે. ભાઇના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઇને માથે કેટલી મોટી જવાબદારી છે! બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન
નથી પણ હૃદયનું બંધન છે.

🎯🔰સંસ્કૃતિના શિરોમણી જેવા આ દિવસને પાંચેક નામથી સંબોધવામાં આવે છે. એ જ એના વિશેષ પ્રભાવના પુરાવારૂપ છે. એના એ નામ કંઇક આ પ્રમાણે છે: (૧) રક્ષા બંધન (૨) શ્રાવણી (૩) બળેવ (૪)
નાળીયેરી પૂનમ (૫) સંસ્કૃતિ દિન.

ભારતના એવોર્ડ ---- India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

🎯6 દાદાસાહેબ ફાળકે એવોર્ડ – ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

ભારત રત્ન --- Bharat Ratna

🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ
🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️♦️🎯મેડલની ટીટ્સ બીટ્સ

- વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ
- તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે છે.
- ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી.
- કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે.
- ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.

- કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
-યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.

- અત્યાર સુધીમાં 45 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- હાલમાં માત્ર પાંચ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકર, પ્રો. અબ્દુલ કલામ, , સચિન તેંડુલકર યુએનઆર રાવ તથા અમતર્ય સેન
- મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને પણ દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
- સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા છે.

સુનિલ છેતરી ---- Sunil Khatri

⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️
સુનીલ છેત્રી - ભારતીય ફૂટબોલ વિશ્વનો સુપરસ્ટાર
⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️🏐⚽️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏મિત્રો યુરોપીયન ફૂટબોલ અને ફૂટબોલરો પાછળ પાગલ ચાહકોએ ક્યારેક ભારતીય ફૂટબોલરોને ચિયર કરવાની પાંચ મિનિટ પણ કાઢવી જોઈએ🙏

👉દુનિયાની રાહ છોડીને અલગ જ મંઝિલની તલાશમાં નવી ઉડાન ભરતા યૌવન એવા વિરલ ઈતિહાસ રચતા હોય છે કે જેની કલ્પના પણ અગાઉ કોઈએ કરી હોતી નથી. સફળતા એ કોઈ ફોર્મ્યુલા નથી કે જેની ચોક્કસ ફ્રેઈમ તૈયાર કરીને તેમાંથી સિસ્ટમેટીકલી સક્સેસફૂલ પ્રતિભાઓ દુનિયાને આપી શકાય.

👉જો આ બધુ આટલું સરળ અને યંત્રવત્ હોત તો જિંદગીમાં આવતા અણધાર્યા આંદોલનો અને તેની પાછળ તણાઈ આવતા લાગણીના ઘોડાપુરની મજા ભાગ્યે જ માણવા મળત. પણ હકીકત આવી નથી. નવી દિશા - નવા દરવાજાની પાછળના વિરાટ સ્વપ્ન નગર સુધી પહોંચવાની સફરને જ સંઘર્ષનું નામ આપવામાં આવ્યું છે.

👉ભલભલાને ડગાવી જાય તેવી સંઘર્ષની યાત્રાને પાર કરનારને જ અસાધારણ સિદ્ધિઓનું સ્વામિત્વ પ્રાપ્ત થાય છે. આવી જ સિદ્ધિ હાલ ભારતીય ફૂટબોલ ટીમ કેપ્ટન સુનીલ છેત્રીના માર્ગદર્શન હેઠળ મેળવી રહી છે.

નવનિર્માણ અને અનામત વિરોધી આંદોલન --- Makeover and anti-reservation movement

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🎯♻️🎯બે આંદોલન♻️🎯♻️
નવનિર્માણ અને અનામત વિરોધી આંદોલન 
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મિત્રો અજે યાદ કરી આ આંદોલનને

💠👁‍🗨 રાજ્ય બે મોટા આંદોલનો જોઈ ચૂક્યું છે.
👁‍🗨1975માં શરૂ થયેલું નવનિર્માણ આંદોલન અને ત્યાર બાદ 
👁‍🗨1981થી 1985 સુધી ચાલેલાં અનામત વિરોધી આંદોલન રાજ્યભરમાં પ્રસરી ચૂક્યાં હતાં.
💠આ બન્ને આંદોલન વખતે સરકાર તૂટી હતી.નવનિર્માણ આંદોલનના પગલે ચીમનભાઈ પટેલ અને અનામત વિરોધી આંદોલનના પગલે 👉માધવસિંહ સોલંકીને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

🎯🎯*નવનિર્માણ આંદોલન*🎯🎯

મોંઘવારી-બેરોજગારી-ભ્રષ્ટાચારને હટાવવાની માગણી સાથે શરૂ થયેલા નવનિર્માણ આંદોલનના મૂળમાં મોરબી અને એલ ડી એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં 1973ની સાલમાં પ્રતિમાસ રૂ.70થી રૂ.100નો કરવામાં આવેલ વધારો જવાબદાર હતો.હોસ્ટેલ મેસમાં ફૂડ બિલમાં 30 ટકા જેટલો વધારો કરવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો.વિદ્યાર્થીઓને એક ટાઈમ જમવા માટેની ફરજ પડી હતી.બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને હતા.ભ્રષ્ટાચારના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાથી વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યુ હતું,જેથી હાલમાં ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલન જેવી જ સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી.

જામનગર જિલ્લો -- Jamnagar district

👩🏻‍🌾🍫 *મિત્રો આજે જામનગર નો જન્મદિન છે તો ચાલો આજે જામનગર જિલ્લા વિશે જાણીએ.....*


◾🗯◾🗯◾🗯◾🗯◾
🌺🌺 *જામનગર જિલ્લો*🌺🌺
◾🗯◾🗯◾🗯◾🗯◾

*"જામનગર એટલે હાલાર પ્રદેશ"*

🔊💬

*"જળ આછરા ,*
*ખળ લાપડા ,*
*ધુંગે ધુંગે ધાર ,*
*હસમુખોને હેતાળવો ,*
*હલકેલ મલક હાલાર"*

યુ. આર. રાવનું યોગદાન --- U. R. Rao's contribution

✏ *યુ. આર. રાવનું યોગદાન*

➖ વિક્રમ સારાભાઈએ જ્યારે 1960-70ના દાયકામાં યુવા વિજ્ઞાનીઓની ટીમ સાથે ભારતનો અવકાશ કાર્યક્રમ શરૃ કર્યો ત્યારે તેમાં યુવાન યુ.આર.રાવ પણ શામેલ હતા. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)માં કામ કરતા રાવને સારાભાઈએ ઉપગ્રહની કમાન સોંપી હતી. સારાભાઈના અવસાન પછી યુ.આર. રાવે કુશળતાપૂર્વક દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કરી બતાવ્યો હતો. એ વખતે ઈસરો પાસે ઉપગ્રહ બનાવવા માટે આધુનિક કહી શકાય એવુ બિલ્ડિંગ પણ ન હતુ. માટે બેંગાલુરુના જીઆઈડીસીના શેડમાં વર્કશોપ તૈયાર કરી ત્યાં ઉપગ્રહ તૈયાર કરવામાં આવ્યો હતો.

➖ ઈસરોમાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ ઈસરોની સલાહકાર સમિતિમાં હતા અને સક્રિયપણે માર્ગદર્શન આપતા રહેતા હતા. જ્યારે મંગળયાન માટે વિજ્ઞાનીઓની ટીમ તૈયાર થઈ રહી હતી ત્યારે ઈસરોના ડિરેક્ટર રાધાકૃષ્ણન સૌથી પહેલા જઈને પોફેસર રાવને મળ્યાં હતા. રાવ સૌથી પહેલા મંગળયાનની ટીમમાં જોડાયા હતા. જોકે તેમને સક્રિય કામગીરી કરવાની ન હતી, પણ માર્ગદર્શકનો રોલ ભજવવાનો હતો.

➖ 1966માં ઈસરોમાં કામગીરી શરૃ કરીએ પહેલા તેઓ અમેરિકા હતા અને ત્યાં મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) તથા યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ભણાવતા હતા. વિક્રમ સારાભાઈના આગ્રહથી તેઓ દેશના અવકાશ કાર્યક્રમને આગળ ધપાવવા ભારત આવ્યા હતા. ગુજરાત સાથે તેમને અંગત નાતો હતો. અમેરિકાથી આવ્યા પછી તેઓ અમદાવાદમાં પીઆરએલમાં જોડાયા હતા. અહીં રહીને ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિજિક્સમાંથી તેમણે પીએચ.ડી.ની ડીગ્રી હાંસલ કરી હતી. તેમણે બ્રહ્માંડ કિરણો પર ડોક્ટરેટ કર્યું હતું અને એ શોધનિબંધમાં તેમના ગાઈડ ડો.વિક્રમ સારાભાઈ હતા. ઉપગ્રહોના વૈશ્વિક નિષ્ણાત પ્રોફેસર રાવ સેટેલાઈટ ટેકનોલોજીના નિષ્ણાત તરીકે જગવિખ્યાત થયા હતા. માટે જ 2013માં તેમને 'ધ સોસાયટી ઓફ સેટેલાઈટ પ્રોફેશનલ્સ ઈન્ટરનેશનલ' દ્વારા અમેરિકામાં 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આવુ સન્માન મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય વિજ્ઞાની હતા. ભારત સરકારે તેમના જ્ઞાનની કદર કરીને 1976માં પદ્મભૂષણથી નવાજ્યા હતા, જ્યારે 2017માં પદ્મવિભૂષણનું સન્માન મળ્યું હતુ. 

➖ ઈસરોના ચેરમેનકાળ દરમિયાન તેમણે ભારતનું સેટેલાઈટ લોન્ચિંગ વ્હિકલ વિકસાવવા પર ધ્યાન આપ્યું હતુ. સેટેલાઈટ ઉપરાંત કોસ્મિક રે એટલે બ્રહ્માંડમાં દૂરથી આવતા કિરણોના તેઓ અભ્યાસુ હતા. તેમણે 350થી વધારે રિસર્ચ પેપર રજૂ કર્યા હતા.

પૂર --- Floods

Yuvirajsinh Jadeja:
⛈ પૂર એ એકત્ર થયેલી જમીનના પાણીના વિસ્તરણના સંગ્રહ અથવા ઓવરફ્લો (ઉપર થઇને વહેવું)છે. વહેતા પાણીના અર્થમાં આ શબ્દનો ઉપયોગ ભરતીના જુવાળમાં લાગુ પડી શકે છે. પાણીના સંચયની જગ્યા જેમ કે નદી અથવા તળાવમાં પાણીના જથ્થામાંથી પૂર પરિણમે છે, જે ઓવરફ્લો અથવા કિનારીઓ તૂટી જવાથી થાય છે, તેના પરિણામે કેટલુંક પાણી તેની સાધારણ સપાટી તોડી નાખે છે. જ્યારે તળાવનું કે પાણીનું અન્ય સંગ્રહસ્થાનનું કદ કરા પડવા કે બરફ ઓગળવાના સમયમાં વિવિધ મોસમમાં બદલાતુ રહે છે, જ્યારે આ પ્રકારનું પાણી માનવીઓ જેનો ઉપયોગ કરે છે તેવી જમીન અલબત્ત ગામડું, શહેર અથવા અન્ય વસતીવાળા પ્રદેશમાં જ્યાં સુધી પ્રવેશતું નથી તે સિવાય નોંધપાત્ર પૂર બનતું નથી.

⛈જ્યારે નદીની ક્ષમતા અત્યંત ઊંચી હોય અને તેની ઉપરથી પાણી વહેવા માંડે છે ત્યારે માર્ગથી અન્ય દિશામાં વળી જાય છે અથવા વાંકીચૂંકી વહે છે અને તેના કિનારે રહેલા રહેણાંકો અને વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે ત્યારે નદીઓમાં પણ પૂર આવે છે તેમ કહી શકાય. પૂરથી થતા નુકસાનને સમય વીતી જાય તે પહેલા નદીથી અથવા પાણીના સંગ્રહસ્થાનથી દૂર જઇને ટાળી શકાય છે, તો બીજી બાજુ લોકો પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીની આસપાસ રહે છે અને સસ્તી અને સરળ મુસાફરી કરવા માટે નજીક રહેલા પાણીનો ફાયદો ઉઠાવે છે. પૂરનું જોખમ હોય તેવા વિસ્તારોમાં માનવીઓ રહેવાનં સતત રાખે છે તે એ વાતનો પૂરાવો છે કે પાણીની નજીક રહેવાનું દેખીતું મૂલ્ય વારંવારના વખતોવખત આવતા પૂરને લીધે થતાં ખર્ચથી વધી જાય છે.

ચોઘડિયાં --- Chops

💥💬 *ચોઘડિયાં* 💬💥

📩➖ચોઘડિયાં એટલે ચો-ઘડીયા, ચાર ઘડી, જે શબ્દનું અપભ્રંશ થઇને ચોઘડિયું થઇ ગયું. 

📩➖હિંદુ ધર્મમાં કોઈ પણ સારા કામનો પ્રારભ ચોઘડિયાં જોઈને કરવામાં આવે છે. 

📩➖દિવસ અને રાત્રીના ચોઘડિયાંની શરૂઆત સુર્યાસ્ત અને સૂર્યોદય મુજબ થાય છે. 

📩➖ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે,
🗯 શુભ, 
🗯મધ્યમ અને 
🗯અશુભ. 

📩➖શુભ ચોઘડિયાં એટલે શુભ, અમૃત, લાભ તથા મધ્યમ ચોઘડિયું એટલે ચલ, અશુભ ચોઘડિયાંમાં ઉદ્વેગ, કાળ, રોગનો સમાવેશ થાય છે. 
📩➖ચોઘડિયાંને બદલે ઘણા *હોરા જોવી* એવું પણ કહે છે.

ઉદારીકરણ --- Liberalization

💸💵💸💵💸💵💸💵💸💵💸💵
ઉદારીકરણ : મજબૂરીથી મહત્ત્વાકાંક્ષા સુધીની સફર
💰💷💰💷💰💷💰💷💰💷💰💷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

આ લેખની શરૂઆત કરતાં પહેલાં મને મારા 🙏ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબ🙏 ની એક કહેવત યાદ આવે છે..જે અવારનવાર અમને કહેતા હતા...
""દેવું કરીને પણ ઘી પીવું""

કેમકે ૧૯૯૧મા ઉદારીકરણના કારણેજ બચતનો મહિમા ઘટ્યો અને દેવું કરીને ઘી પીવાના ગ્રાહકવાદને પ્રોત્સાહન મળ્યું.

ઉદારીકરણના છવ્વીસ વર્ષ પછી તેનાં સારાં અને માઠાં બન્ને પ્રકારનાં પરિણામ જોવા મળ્યાં છે.

♻️✅કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ કે પતનનો આધાર તેના સામાજિક અને આર્થિક માળખા પર હોય છે. સામાન્ય રીતે અર્થતંત્રમાં જે પરિવર્તનો થાય છે તેના આધારે જ સામાજિક માળખું આકાર લે છે. ક્યારેક એવી સામાજિક ઘટનાઓ બને છે જે આ પ્રક્રિયાને કામચલાઉ રીતે સ્થગિત કરી દે છે, પણ થોડા સમયમાં આર્થિક ફેરફારોને અનુરૂપ સામાજિક ફેરફારોની ગાડી ફરી પાટે ચઢી જાય છે.

👁‍🗨તો ચાલો આજે જાણીયે ઉદારીકરણ વિશે..

બાર જ્યોતિર્લિંગ --- Bar Jyotirlinga

🕉☪🕉☪🕉☪🕉☪🕉☪
🕉☸બાર જ્યોતિર્લિંગ✡🔯
🕉☸🕉☸🕉☸🕉☸🕉☸
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏મિત્રો જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થયા છે.(♻️જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. ) ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. 

👁‍🗨જ્યોતિર્લિંગોની યાદી નીચે મુજબ છે:
🔰🔰

મિત્રો હું જયારે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતો હતો ત્યારે અમારા શિક્ષક 🙏જયદેવસિંહ વાઘેલા સરે🙏(SKKRSS Gandhinagar) બાર જ્યોતિર્લિંગ યાદ રાખવા માટે આ શ્લોક કહેલ જે હંમેશા આમને યાદ રહેશે.

सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २॥
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥
➖➖➖➖➖➖➖➖➖➖➖
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ |
ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧||

શ્રાવણ મહિનાની શરૂઆત -- Shravan Monthly Start

🕉☪🕉☪🕉☪🕉☪🕉☪🕉☪
🕉☸શ્રાવણ મહિનાની શરૂઆત🕉☸
🕉☪🕉☪🕉☪🕉☪🕉☪🕉☪
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

મિત્રો આજથી પવિત્ર શ્રાવણ માસની 
શરુઆત થતા જ વોટસ એપ,ફેસ બુક,હાઇક..વગેરે સોશીયલ મીડિયા પર મેસેજોના મારા થવા લાગ્યા.
આ બધા શિવભકતો ને મે સામાન્ય પ્રશ્નો પૂછ્યા..

શ્રાવણ માસમાં જ કેમ શિવજી ની પૂજા થાય છે?
શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ શું?
શ્રાવણ હિંદુ પંચાંગ મુજબ કેટલામાં મહિનામાં આવે છે?
શ્રાવણ માસ અને મહાદેવજી વચ્ચે સામ્યતા શું ?
શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ કે દૂધ ચડાવવા કરતા કોઈ ગરીબ ને એ દૂધ આપી તો કેવું રે ?

આ પ્રકારના ૫ થી ૬ પ્રશ્નો કરયા પણ હજી સુધી એ કોઈ શિવ ભક્તોના જવાબ આવ્યા નથી.
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
કઈ નહિ ચલો આપણે લોકો જાણીયે આ પવિત્ર શ્રાવણ માસ વિશે.... 

ભારત પરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ. ---- Foreign aggression and its influence on India

મિત્રો આજે હું યુવરાજસિંહ જાડેજ એક ટોપિક પર ચર્ચા કરવાનો છું તે જી.પી.એસ.સી. મુખ્ય પરીક્ષા માટે અતી મહત્વનો કહી શકાય. 
પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિલિમનરી પરીક્ષા મા આ ટોપિક નથી.(પરંતુ મુખ્ય પરીક્ષા મા આ હોઇ શકવાની પૂરતી સંભાવના છે) પરંતુ આ મુદ્દા ને સમજવો ખુબ જરૂરી છે.
🎯⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔
ભારત ઉપરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ.
⚔🛡⚔🛡⚔🛡⚔🛡⚔
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏(ભાગ 1)

⚔🛡⚔ મિત્રો રાષ્ટ્રની રક્ષા માટે યુદ્ધ અનિવાર્ય છે. બધી મંત્રણાઓ કર્યા પછી પણ જ્યારે શત્રુપક્ષ સમાધાન માટે તૈયાર ન થાય ત્યારે યુદ્ધ જ બાકી રહે છે. જો તે ન કરવામાં આવે તો રાષ્ટ્રનું રક્ષણ થઈ શકતું નથી. મંત્રણાઓ પણ તેની સફળ થતી હોય છે જેનામાં યુદ્ધ કરવાની અને જીતવાની ક્ષમતા હોય.

👁‍🗨મિત્રો રાષ્ટ્રની રક્ષા ત્રણ રીતે થઈ શકે છે :

1. જ્યાંથી આક્રમણ થવાનું હોય તેના ઉપર પ્રથમથી જ આક્રમણ કરી દેવું. તેને તેની ભૂમિ ઉપર જ લડવા બાધ્ય કરવો. જેથી આપણી ભૂમિ યુદ્ધક્ષેત્રથી બચી જાય.
2. શત્રુપક્ષ તરફથી આક્રમણ થયા પછી પ્રત્યાક્રમણ કરવું.
3. આ બન્નેમાંથી એક પણ ન કરી શકાય તો તો શત્રુપક્ષની શરતો પ્રમાણે સંધિ કરી લેવી અથવા હારી જવું.

વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ,નંદ રાજવંશ. --- Vedic times: Jain religion, Buddhism, Nand dynasty.

🎯આજનો ટોપિક સમામાન્ય અભ્યાસ - ૧ (ક) ઇતિહાસઃ

🎯🔰2. વૈદિક સમય : જૈન ધર્મ,બૌધ્ધ ધર્મ,નંદ રાજવંશ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🕉☸☯✡🔯🕉♊️⛎🛐☯🕎
☯🕉☯🕉વૈદિક સમય✝☪🕉
♒️♑️♐️♏️♎️♍️♌️♋️♊️♉️♈️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

👁‍🗨👉મિત્રો ભારતીય સંસ્કૃતિને વૈદિક સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ✍વૈદિક સંસ્કૃતિ એટલે વેદો દ્વારા અને વેદોના કાળથી ચાલતી આવતી સંસ્કૃતિ. ભારતની સૌથી શ્રેષ્ઠ ધરોહર એ આપણા વેદો છે.જીવનના આરંભથી માંડીને અંત સુધીનું બધુ જ જ્ઞાન વેદોમાં છે.વેદોની રચના એ બહુ જ પુરાણી છે જેના નિર્માણનો સચોટ સમય આજસુધી કોઈ દર્શાવી શક્યુ નથી બસ અનુમાન જ કરી શકાયુ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🕉🔯વેદ એ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથો છે અને હિન્દુ સંસ્કૃતિના સર્વોપરી ગ્રંથો હોવાની સાથે સાથે તેના આધાર સ્તંભો પણ છે.વેદ એ સંસ્કૃત શબ્દ છે 
👉જેનો અર્થ થાય છે “જ્ઞાન”.
👁‍🗨 પ્રાચીન ઋષિમુનિઓએ મંત્રોના અતિગુઢ રહસ્યોને જાણીને ,સમજીને, મનન કરીને અને અનુભુતિ કરીને એ જ્ઞાનને સરળ રીતે ગ્રંથ સ્વરૂપે સંસારના કલ્યાણ માટે પ્રસ્તુત કરવામાં આવ્યુ એ 🙏“વેદ”🙏 કહેવાયા.

👉 આ જગત , જીવન અને પરમેશ્વર વિશેનું વાસ્તવિક જ્ઞાન એટલે વેદ.એક માન્યતા મુજબ આ જ્ઞાન પરમપિતા પરમેશ્વરે ઋષિઓને અપ્રત્યક્ષ રૂપે આપ્યુ હતુ. વેદોમાં જ્યોતિષ , ગણિત , ધર્મ , ખગોળ , ઔષધિ , પ્રકૃતિ જેવા લગભગ બધા વિષયોનું જ્ઞાન અપાયુ છે.

પાનશેત બંધ (તાનાજી સાગર) --- Panshit Bandh (Tanaji Sagar)

📢🌊📢🌊📢🌊📢🌊📢🌊
🌊🌊પાનશેત બંધ (તાનાજી સાગર)📢
🌊🎯🌊🎯🌊🎯🌊🎯🌊🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️📌જુલાઈ ૧૨, ૧૯૬૧ના દિવસે ભારતીય સમય અનુસાર સવારે ૭ વાગ્યાને ૧૦ મિનિટે પાનશેત બંધ તૂટતાં
પુના અને નજીકના વિસ્તારમાં પૂર આવ્યું હતું. આ આપાત-પ્રસંગ પાનશેત પૂર તરીકે ઓળખાય છે.

☂વર્ષ ૧૯૬૧માં આજના દિવસે આવેલા પૂરમાં અડધું પૂના શહેર ડૂબી ગયું હતું . આ હોનારતમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને એક લાખથી વધુએ સ્થળાંતર કર્યુ હતું .

👁‍🗨પાનશેત બંધ એ મહારાષ્ટ્રરાજ્યમાં આવેલા પુણે જિલ્લામાં વહેતી મૂઠા નદીની સહાયક નદી એવી આંબી નદી પર પાનશેત ગામ નજીક બનાવવામાં આવેલ છે. આ બંધ પુના શહેરથી આશરે ૫૦ કિ.મી. જેટલા અંતરે આવેલ છે. 
♦️આ બંધ માટીકામ વડે તેમ જ પાણીના નિકાસ માટેની સગવડ સિમેન્ટ વડે બાંધવામાં આવેલ છે. 
👁‍🗨આ બંધ વડે નિર્મિત જળાશયને તાનાજી સાગર નામ આપવામાં આવ્યું છે.

💠પાનશેતના પૂરમાં વિશાળ પાયે નુકસાન થયું હતું. શનિવાર પેઠ ખાતે રહેલાં ઘણા વિદ્વાનોના પુસ્તકો અને હસ્તપ્રતો ધોવાઈ અને ઘસડાઈ ગઈ હતી. લોકો નદીથી દૂર દૂર રહેવા ચાલ્યા ગયા અને સમગ્ર પુના શહેરનો નકશો બદલાઇ ગયો હતો. પાનશેત પૂરગ્રસ્ત સમિતિ દ્વારા ઘણી બધી માહિતી સંચિત કરી અને ઘણા અસરગ્રસ્તોની મુલાકાતો લઈ 'પાનશેત પૂરગ્રસ્તાંચી કહાણી' નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ઘનશ્યામ નાયક --- Ghanshyam Nayak //// નટુ કાકા -- Natu kaka

〰〰〰〰〰〰〰〰〰〰〰
😀😀😀ઘનશ્યામ નાયક😀😀😀😀

😁સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક ‘તારક મહેતાના ઉલટા ચશ્માં ’ માં નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું ભજવનાર ઘનશ્યામ નાયક નો જન્મ તા. ૧૨/૭/૧૯૪૫ ના રોજ મહેસાણા જીલ્લાના વડનગર પાસે આવેલ ઊંઢાઈ ગામમાં થયો હતો. 
😁ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. 
😁તેમના વડદાદા, વાડીલાલ નાયક,
શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાસંદા ના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા.
😁 સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા. આમ ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.
😊જેને ‘મુંબઇનો રંગલો‘ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
😊એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી.
😁 રંગભૂમિ તેમજ ભવાઈ એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે.. 
🙂તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો‘
શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.
😁તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાષણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
😁ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર હતા. 
🎬🎬તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી.આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું,
🎬જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર,
મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે , પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે.

12 July

♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️
ઈતિહાસમાં ૧૨ જુલાઈનો દિવસ
👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌊🌊🌊🌊પુનામાં પૂર🌊🌊🌊🌊

વર્ષ ૧૯૬૧માં આજના દિવસે આવેલા પૂરમાં અડધું પૂના શહેર ડૂબી ગયું હતું . આ હોનારતમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને એક લાખથી વધુએ સ્થળાંતર કર્યુ હતું .
🌊વર્ષ 1961ની 12 જુલાઈએ ખડકવાસલા અને પાનશેટ ડેમ ઐતિહાસિક રીતે ઓવરફ્લો થઈ જતાં પુના તારાજ થઈ ગયું હતું . તે સમયે નવનિર્મિત મહારાષ્ટ્ર રાજ્યના બીજા સૌથી મોટા શહેરનો નકશો જ બદલાઈ ગયો હતો .

👧🏻👧🏻👧🏻મલાલા યુસુફઝાઈ👱‍♀👱‍♀👱‍♀

મહિલા શિક્ષણની હિમાયત કરવા બદલ સૌથી નાની ઉંમરે નોબેલ શાંતિ પારિતોષિક જીતનારી મૂળ પાકિસ્તાની કિશોરી મલાલા વર્ષ ૧૯૯૭માં આજના દિવસે જન્મી હતી .

સૌરાષ્ટ્ર માં સ્ત્રીઓનો સામાજિક વિકાસ --- Social development of women in Saurashtra

જ્ઞાન સારથિ, [11.07.19 23:46]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*👮‍♀👮‍♂પોલીસ ઇન્સ્પેક્ટરની મુખ્ય પરીક્ષા માટે 👮‍♀👮‍♂અને  મિત્રો આ મારો લેખ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોય ત્યારે તો આ જરૂરી છે. પરંતુ જ્ઞાન વાંચ્છુંક અને જિજ્ઞાસુ વાંચક બિરાદરોએ માટે પણ આ લેખ જ્ઞાનનું ભાથું બનીને રહશે...*
🧙‍♀🧝‍♂👸🤶👩‍🚀👨‍🚒👨‍🎨👩‍🚒👩‍🎨👩‍🔧🙋‍♀
*સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓનો સામાજીક વિકાસ*
👱‍♀👧🏻🧒👩🏻🧑👱‍♀👵🧓👳‍♀🧕🏻👮‍♀
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*મિત્રો ભારતને આઝાદી મળી તે પહેલા સૌરાષ્ટ્રમાં 👁‍🗨બસો બાવીશ🙏 રજવાડાઓ હતા.સૌરાષ્ટ્ર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ પ્રદેશ છે. ♻️આ પ્રદેશ કાઠીયાવાડી નામથી ઓળખતો રહ્યો છે.👁‍🗨૧૯મી સદીની શરૂઆતથી ભારતમાં સુધારક વર્ગે સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે સુધારા કરવા પ્રયત્નો કર્યા.તેની અસર ગુજરાતમાં પણ થઇ.💠રાજા રામ મોહનરાય,કેશવચંદ્ર સેન,મહર્ષી કર્વ વગેરે સુધારકોના કાર્યોની અસર રૂપે ગુજરાતમાં સામાજીક અનીષ્ઠો સામે જેહાદ જગાવવા તથા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે નર્મદ,દલપતરામ,મહીપતરામ,કરશનદાસ મુળજી વગેરેએ આ દિશામાં નોંધપાત્ર પ્રયત્નો કર્યા.*

*💠👁‍🗨કવિ નર્મદ સ્ત્રીઓના સમાનતાના હિમાયતી હતા.૨ જયારે દલપતરામે તો ત્યાં સુધી કહ્યું હતું કે “ સ્ત્રીઓ સુધરશે તો ફળ ઉત્તમ થશે અથવા પૃથ્વી સુધરશે તો જ ત્યાં પાક સારો પાકે ”.*