Monday, April 1, 2019

C.B.I - સન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન

Central Bureau of Investigation

Public agency
The Central Bureau of Investigation is the premier investigating agency of India. Operating under the jurisdiction of the Ministry of Personnel, Public Grievances and Pensions, Originally set up to ... Wikipedia
Founded: 1 April 1963

ડો.કેશવ બલીરામ હેડગેવાર --- Dr. Keshav Baliram Hedgewar

♻️♻️♻️💠♻️💠♻️💠♻️♻️💠♻️
ડો.કેશવ બલીરામ હેડગેવાર 
✅♦️✅♦️✅♦️✅✅♦️♦️✅♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS ) ના સ્થાપક સરસંઘચાલક કેશવ બલીરામ હેડગેવારનો જન્મ ૧ એપ્રિલ ૧૮૮૯ના દિવસે થયો હતો

🎯🎯1925માં ડો.કેશવ બલીરામ હેડગેવાર દ્વારા સંઘની સ્થાપના કરવામાં આવી હતી

🔰ર્ડો. હેડગેવાર એટલે અનરાધાર પ્રેમનો ઘૂઘવતો સાગર, હૈયામાં તેવું હોઠે અને કથની તેવી કરણીને વરેલા કેશવ બલીરામ હેડગેવાર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સાચા શિલ્પી હતા. 
⭕️ડિગ્રી મેળવી ડોકટરની, પણ કયારેય ડોકટરી ન કરી. લાગ્યું કે ત્યાગ, બલિદાન અને દેશભક્તિ જેવાં શબ્દોનું સ્થાન માત્ર ભાષાના અલંકાર જેવું જ રહ્યું છે. 
⭕️ઇ.સ. 1925 ની વિજ્યાદશમીના શુભદિને તેમના સેવાયજ્ઞની શરૂઆત થઇ અને ક્રમશઃ તેમણે સંગઠનને અનુરૂપ બંધારણ, પ્રાર્થના અને પ્રતિજ્ઞા વગેરે વિશે વિચાર્યું. 
⭕️17 એપ્રિલ, 1926ના દિવસે સંગઠનનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે નામકરણ થયું. 
⭕️21 મી જૂન 1940 ના રોજ ર્ડોકટર સાહેબની જીવનજ્યોત એક મહાદીપમાં વિલીન થઇ ગઇ.

👁‍🗨1925માં ડો.કેશવ બલીરામ હેડગેવારએ સંઘની સ્થાપના કરી હતી.ડો.હેડગેવારે લોકોને સંગઠિત કરવાનો પ્રયત્ન કરેલો હતો.તાકાત હોય પણ સંસ્કારના હોય તો ના ચાલે તે માટે ગીતો અને સારા સંસ્કાર રેડવાનું કાર્ય સંઘ દ્વારા શરૂ કરાયું હતું.

⭕️આઝાદી પહેલા વંદે માતરમ બોલવા પર પ્રતિબંધ હતો ત્યારે નાનાપણથી ડો.હેડગેવારે ક્રાંતિકારી હોવાના સંકેત આપ્યા હતાં.જેના ધ્યેયની પૂજા થાય છે,1920માં લોક માન્ય તિલકનું નિધન થયુ હતુ,ત્યાર પછી તેમના સ્થાને અરવિંદ ઘોષને મુકવાના હતા,ત્યારે ડો.હેડગેવારે અરવિંદ ઘોષને સમજાવ્યાં હતાં.સમાજ જીવનના કામો કે રાજકીય કામો હોય અલગથી વિચારથી કામો કરતાં હતાં.

1 April -- April Fool's Day

જ્ઞાન સારથિ, [01.04.17 18:26]
[Forwarded from Mahesh Parmar]
આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે જે જાણવાની આપને મજા આવશે.

મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ છે.

ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતુ. આ કેલેન્ડર વર્ષનો પ્રથમ મહીનો એપ્રિલ હતો અને છેલ્લો મહીનો માર્ચ હતો. 1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામાં આવ્યુ જે અત્યારે પણ અમલમાં છે જેનો પ્રથમ મહીનો જાન્યુઆરી અને છેલ્લો મહીનો ડીસેમ્બર છે.

ભારતીય રિઝર્વ બેંક્નો સ્થપનાદિવસ ---- The establishment day of the Reserve Bank of India

જ્ઞાન સારથિ, [03.04.17 23:11]
💥💥RBI -
આજે ભારતીય રિઝર્વ બેંક્નો સ્થપનાદિવસ- ૧ એપ્રિલ ૧૯3૫💥💥

🍋ભારતીય રિઝર્વ બેન્ક ભારતની કેન્દ્રીય બેન્ક છે. તે ભારતની તમામ બેન્કોની સંચાલક છે.