Saturday, December 7, 2019

પ્રમુખ સ્વામી -- Pramukh Swami

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
ગુજરાતી મહિના પ્રમાણે પ્રમુખ સ્વામીની પ્રથમ પુણ્યતિથિ 
♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💐સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોંડલ અક્ષર મંદિર પ્રખ્યાત છે.
આ મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા દેશ-વિદેશના લોકો અવારનવાર આવતા હોય છે.ગઇકાલે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કલાકાર જેઠાલાલ(દિલીપ જોશી)અક્ષર મંદિર ખાતે દર્શન કરવા પહોંચી ગયા હતા.(👦🏻અટલે કે મારા ગોકુળીયા ગોંડલ ગામે)

👈👉પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.
· 16 મે 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં.
·એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
· ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસદાર છે.

એપોલો ૧૭ -- Apollo 17

✅♦️🔰♻️👁‍🗨🔰✅♦️⭕️
*🎍🔶🎍એપોલો ૧૭🔷♦️*
🎍🔰🎍🔰🎍🔰🎍🔰🎍
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠એપોલો ૧૭ એ નાસાનાં એપોલો અભિયાનની અગીયારમી સમાનવ અવકાશ યાત્રા હતી. તે અમેરિકાનું પ્રથમ સમાનવ રાત્રી પ્રક્ષેપણ અને એપોલો અભિયાનનું છઠું અને છેલ્લું ચંદ્ર પર ઉતરાણ માટેનું ઉડયન હતું. આ મિશન ૭/૧૨/૧૯૭૨ નાં રોજ રાત્રે ૧૨:૩૩ EST સમયે શરૂ થયું અને ૧૯/૧૨/૧૯૭૨ નાં સમાપ્ત થયું. જેણે સમાનવ ચંદ્ર પર ઉતરાણ અને સમાનવ નિમ્ન ભૂ-ભ્રમણકક્ષાની બહાર ઉડયન એમ બન્ને કામો પુરા કર્યા.

*🎯ચાલકદળ*

કૌંસમાંનાં આંકડાઓ વ્યક્તિગત દરેકનાં આ મિશન અને આગલા અવકાશઉડાનનાં આંકડા દર્શાવે છે.

યુગેને એ.સેર્નાન (Eugene A. Cernan) (૩) - કમાન્ડર/નિયંત્રક (Commander)
રોનાલ્ડ ઇ.ઇવાન્સ (Ronald E. Evans) (૧) - નિયંત્રણ મોડ્યુલ ચાલક (Command Module Pilot)
હૈરીસન એચ.સ્મિટ (Harrison H. Schmitt) (૧) - લુનાર મોડ્યુલ ચાલક (Lunar Module Pilot)
લુ.મો.ચા. તરીકે ખરેખરતો 'જો એન્જલ' (Joe Engle) પસંદ થયેલ, પરંતુ જ્યારે એ નક્કિ થઇ ગયું કે એપોલો ૧૭ છેલ્લું ચંદ્ર ઉડાન બનવાનું છે, તો વૈજ્ઞાનિક સમુદાયોએ નાસાને એક વૈજ્ઞાનિક અવકાશયાત્રીને ચંદ્ર પર ઉતરાણ માટે પસંદ કરવા દબાણ કર્યું. આને કારણે સ્મિટ,નિષ્ણાત ભૂ-વૈજ્ઞાનિકને તક મળી, અને તેને રદ કરાયેલ એપોલો ૧૮ ની ટુકડીમાંથી દુર કરી,એન્જલનાં સ્થાને એપોલો ૧૭ માં સમાવાયો.

ભારતીય સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસ --- Indian Armed Forces Flag Day

👁‍🗨♦️🃏👁‍🗨♦️🃏👁‍🗨♦️🃏👁‍🗨♦️
*ભારતીય સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસ*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*👮‍♀👮‍♀દેશની સ્વતંત્રતા અને સન્માનનું જીવના ભોગે રક્ષણ કરનારા વીર સૈનિકો અને સશસ્ત્ર સેનાઓ સાથે દેશની ભલી લાગણી અને તેમના કલ્યાણની ભાવનાને જોડવા દર વર્ષે તા. ૭મી ડિસેમ્બરના રોજ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે એટલે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે.*

👮‍♂આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે નિમિત્તે ભારતના વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. અને કેન્દ્રીય સૈનિક બોર્ડના સેક્રેટરી એમ એચ રિઝવીએ વડાપ્રધાનને પર ફ્લેગ પીન કરી સન્માનિત કર્યા હતા.

પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશની સરહદો અને દેશની અખંડીતતા અને સાર્વભૌમત્‍વનું રક્ષણ કરનાર આપણા દેશના સૈનિકો યુધ્‍ધ સિવાય કુદરતી પ્રકોપ,માનવસર્જિત આપદાઓ,અકસ્‍માત તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની જાણવણી માટે અને નાગરિકોની સહાયતા માટે ખડે પગે ઉભા રહી સતત સમાજ અને દેશની અમુલ્‍ય સેવા બજાવે છે.

પ્રમુખ સ્વામી --- Pramukha Swami

👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
*👏🙏👏પ્રમુખ સ્વામી👏🙏👏*
👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. માગશર સુદ ૮, સંવત ૧૯૭૮ (👁‍🗨✅૭ ડિસેમ્બર, ૧૯૨૧)ના રોજ આ નાના સરખા ગામમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પહેલા ઘરમાં નાના એવા પરિવારમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આઘ્યાત્મિક વારસદાર છે. સ્વામીનારાયણ સંપ્રદાયની પેટાશાખા એવી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે તેમને પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખવામાં આવે છે.*

જન્મ તિથિ ૭ ડિસેમ્બર, ૧૯૨૧

જન્મ સ્થાન ચાણસદ, વડોદરા, ભારત

*પૂર્વાશ્રમનું નામ 👉શાંતિલાલ પટેલ*

મૃત્યુ તિથિ ૧૩ ઓગસ્ટ, ૨૦૧૬

7 Dec

✅🔶♦️🔷⭕️♦️🔷🔶✅⭕️🔷
*🛡ઈતિહાસમાં ૭ ડિસેમ્બરનો દિવસ*
🛡🔶🔷✅⭕️🎯🔰💠👁‍🗨♻️🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🌫🌫પર્લ હાર્બર પર હુમલો☂☂*

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાના હવાઈ રાજ્યના પર્લ હાર્બરમાં લાંગરેલી અમેરિકન નેવીની સૌથી મોટી તાકાત પર જાપાને 1941 ની સાતમી ડિસેમ્બરે ભીષણ હુમલો કર્યો હતો . તેમાં 2403 જવાનો માર્યા ગયા હતા અનેે 188 યુદ્ધ વિમાનો સંખ્યાબંધ યુદ્ધજહાજો નાશ થયા હતા .

*☄☄તાલીબાનો સરન્ડર થયા💦💦*

અલ કાયદાએ કરેલા 9 / 11 ના હુમલા બાદ અમેરિકાએ છેડેલા યુદ્ધના 61 મા દિવસે તાલીબાનોએ વર્ષ 2001 માં 7 મી ડિસેમ્બરે કંદહાર છોડી નાસી ગયા હતા . અહીંથી તાલીબાનોની પીછેહઠ શરૂ થઈ હતી . 1994 થી મુલ્લા ઓમરના નેતૃત્ત્વ હેઠળ અલ કાયદાએ અફઘાનિસ્તાન કબજે કર્યું હતું .