Tuesday, September 10, 2019

જામ રણજીતસિંહ --- Jam Ranjit Singh

👏💐👏💐👏💐👏💐👏💐👏
*જામનગરનાં શિલ્‍પી અને ક્રિકેટનાં બાદશાહ જામ રણજીતસિંહજીની ૧૪૫(૧૪૯) મી જન્‍મ જયંતિ*
🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🎾⚾️🎾
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)[યુયુત્સુ]9099409723*

*💠👉🔰🎯 ‘યથા રાજા તથા પ્રજા..'*
*આ કેહવત ખરા અર્થ માં કોઈ નગર ને લાગુ પડતી હોય તો તે જામનગર છે જે નગર ના રાજા વિશ્વ કક્ષા ના અદભુત ઓલ રાઉન્‍ડર ક્રિકેટર હોય તે જ સહર માથી વિનુ માકડ, સલીમ દુરાની, અશોક માકડ, અજય જાડેજા અને રવીન્‍દ્ર જાડેજા જેવા હોનહાર રાષ્‍ટ્રીય કક્ષાના સ્‍ટાર ક્રિકેટરો ની ભેટ દેશ ને મડે. જામનગર ની રાજગાદી પર ૩ માર્ચ ૧૯૦૭ માં દરબારગઢ માં સાહી ઠાઠ માઠ સાથે ગાદી સંભાડી જામનગર ના રાજા તરીકે પ્રસ્‍થાપિત થનાર જામશ્રી રણજીત સિંહ જી ને સમગ્ર જગત એક સ્‍ટાર ક્રિકેટર ની નજર થી જ ઓડખતું હતું*

💠👉બ્રિટિસ ઈન્‍ડિયા ના કાઠીયાવાડ માં સડોદર ગામે ૧૦ સપ્‍ટેમ્‍બર ૧૮૭૨ માં જન્‍મ લઈ સમગ્ર વિશ્વ પર ક્રિકેટ નો ઝંડો લેહરાવનાર જામ શ્રી રણજીત સિંહજી ને ક્રિકેટ ની દુનિયા માં રણજી ના હુલામણા નામ થી ઓડખવા માં આવે છે ૧૮૭૨ થી ૧૯૩૩ સુધી ના જીવનકાડ માં જામ શ્રી રણજીત સિંહજી એ અનેક કીર્તિમાનો સ્‍થાપિત કર્યા જેમાં ના ઘણા આજે પણ અનબીટ છે તેવો એકમાત્ર પહેલા ભારતીય હતા જે ઇંગ્‍લેન્‍ડ માથી ᅠટેસ્‍ટ મેચ રમ્‍યા છે, તેવો એ ઈંગ્‍લેન્‍ડ વતી રમતા અનેક મેચ ઓસ્‍ટ્રેલીયા સામે રમ્‍યા તેવો એ ટેસ્‍ટ ક્રિકેટ માં ૯૮૯ રન સાથે ૪૪.૯૫ ની એવરેજ થી રમી સોવ ને ચકિત કરી દીધા હતા , તેમજ ફસ્‍ટક્‍લાસ ક્રિકેટ માં ૫૦૦ ઇનિગ્‍સ માં ૬૨ વખત નોટ આઉટ રહી ૨૪,૬૯૬ રન ફટકાર્યા જેમાં ૭૨ સદી અને અધ...ધ..ધ... કહી શકાય તેમ ૨૮૫ રન સાથે નોટ આઉટ ની ઇનિગ્‍સ પણ રમ્‍યા , આજે દેસ માં રમાતી ક્રિકેટ ની શ્રોચ ટ્રોફી રણજી ટ્રોફી જામ રણજીત સિંહજીની યાદ માં રમાય છે તેજ જામનગર નું ગૌરવ છે.ᅠ

10 Sep

💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
*🔘ઈતિહાસમાં ૧૦ સપ્ટેમ્બરનો દિવસ*
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)[યુયુત્સુ]🙏

*🏏⚾️જામ સાહેબ રણજિતસિંહજી⚾️*

નવાનગર-જામનગરના મહારાજા અને ક્રિકેટમાં નોંધપાત્ર યોગદાન આપનારા રણજિતસિંહજીનો જન્મ આજના દિવસે વર્ષ ૧૮૭૨માં થયો હતો. તેમની સ્મૃતિમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રોફી યોજાય છે. 

*🎖🏅પરમવીર અબ્દુલ હમીદ🎖🏅*

૧૯૬૫ના ભારત-પાક. યુદ્ધમાં અભૂતપૂર્વ વીરતા બદલ પરમવીર ચક્ર મેળવનારા અબ્દુલ હમીદ આજના દિવસે વર્ષ ૧૯૬૫માં શહિદ થયા હતા. પાકિસ્તાનની બે અદ્યતન ટેંકનો ખાત્મો બોલાવી તેઓ શહીદ થયા હતા. 

*🚩🚩🚩નિર્ભયા કેસનો ચુકાદો🚩🚩🚩*

ડિસેમ્બર 2012માં દિલ્હીની યુવતી નિર્ભયા પર બળાત્કાર કરનારા છ આરોપીઓમાંથી પાંચને 10 સપ્ટેમ્બર 2013માં દોષિત જાહેર કરાયા હતા. ત્રણ દિવસ પછી ચારને ફાંસી અને જુવેનાઇલને ત્રણ વર્ષની સજા ફટકારાઈ હતી.

10 sep 2019 --- NC