Saturday, November 30, 2019

Jagdish Chandra Bose

Jagdish Chandra Bose
Physicist

Description

Sir Jagadish Chandra Bose CSI CIE FRS , also spelled Jagdish and Jagadis, was a polymath, physicist, biologist, biophysicist, botanist and archaeologist, and an early writer of science fiction. Wikipedia
Born30 November 1858, Bikrampur
Died23 November 1937, Giridih
SpouseAbala Bose (m. 1887–1937)

એક રૂપિયાની નોટ જારી થયાને એક સદી પૂર્ણ

💷💶💴💷💶💴💷💶💴💷💷
*એક રૂપિયાની નોટ જારી થયાને એક સદી પૂર્ણ*
💵💸💵💸💵💸💵💸💵💸💵
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

*👌30 નવેમ્બર 1917ના દિવસે સૌ પ્રથમ એક રૂપિયાની નોટ દેશમાં જારી કરવામાં આવી હતી.*

👌એક સદી બાદ, ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી છપાયેલી એક રૂપિયાની નોટમાં પણ એ તફાવત જોવા મળે છે.

💫એ સમયે આ એક રૂપિયાની નોટ ઇંગ્લૅન્ડમાં છપાઈ હતી. નોટની આગળની બાજુ ડાબી તરફ પર કિંગ જ્યોર્જ પંચમની તસવીર છે.

*🌈આ એક રૂપિયાની નોટ પર લખાયેલું છે કે 'હું ધારકને એક રૂપિયાની રકમ ચૂકવવાનું વચન આપું છું.' મતલબ કે આ વચનપત્ર છે.*

*😒આ પછી ભારતમાં છપાયેલી કોઈપણ એક રૂપિયાની નોટમાં આ વચન નથી.*

*🌈🌈આ નોટની પાછળની તરફ આઠ ભારતીય ભાષામાં 'એક રૂપિયો' લખાયેલું છે.*

વિન્સ્ટન ચર્ચિલ --- Winston Churchill

🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*👁‍🗨👁‍🗨વિન્સ્ટન ચર્ચિલ♻️*
👁‍🗨♻️💠👁‍🗨♻️💠♻️👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

આધુનિક ઇંગ્લેન્ડના અગ્રિમ ઘડવૈયા વિન્સ્ટન ચર્ચિલે હમણાં(1964માં) 90 વર્ષની વયે જાહેરજીવનમાંથી નિવૃત્તિ લીધી ત્યારે ઇન્ગ્લેન્ડની પાર્લામેન્ટે ખાસ ઠરાવ કરી, તેને પોતાના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મારફત મોકલાવીને ચર્ચિલનું જ નહિ ખુદ પોતાનું પણ બહુમાન કર્યું છે. જે લોકશાહી પોતાના વિશિષ્ટ પ્રતિભાવાળા સંતાનને આદરનો અર્ઘ્ય આપી શકવા જેટલી જાગ્રત ને કદરદાન છે તે લોકશાહી પોતાનાં મૂળિયાં દૃઢ કરે છે.
જાહેરજીવનના કોઇ પણ ગજથી માપીએ તો વિન્સ્ટનચર્ચિલ અસાધારણ પુરુષ છે.તેની હિમ્મત અજોડ પુરવાર થઇ છે, પણ તેની સમય પ્રમાણેની સમાધાનવૃત્તિ પણ અજોડ હતી. બીજા મહાયુદ્ધમાં સ્ટૅલિનના વ્યક્તિત્વ અને કાર્યપદ્ધતિથી અકળાયા છતાં હિટલરને હરાવવો તે પોતાના દેશ અને લોકશાહી જગત માટે અનિવાર્ય છે એવી એક વાર ખાતરી થયા પછી સ્ટૅલિન સાથે જોડાઇને એ જોડાણ ન તૂટે તે માટે બધી સમાધાનવૃત્તિ તેણે રાખેલી. પંડિત નેહરુને તેણે જે અંજલિ આપી હતી(પંડિત નેહરુ 27મી મે,1964ના રોજ અવસાન પામેલા)તે પણ પ્રાપ્ત પરિસ્થિતિમાંથી ઉત્તમ રસ્તો કાઢવાની શાણપણભરી તેની શક્તિનો પુરાવો છે.

30 Nov

👁‍🗨💠🎯🔰♻️👁‍🗨💠🎯🔰♻️👁‍🗨
*🀄️ઈતિહાસમાં ૩૦ નવેમ્બરનો દિવસ*
🔷🔶🔶🔷⭕️🔶⭕️🔶🔷⭕️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*♦️♦️♦️જગદીશ ચંદ્ર બોઝ✏️✏️*

રેડિયોની શોધ કરવાની સિદ્ધિ જેમના નામે બિનસત્તાવાર રીતે બોલે છે તેવા આ ભારતીય વિજ્ઞાનીનો જન્મ વર્ષ ૧૮૫૮માં આજના દિવસે થયો હતો . વનસ્પતિ વિજ્ઞાન ક્ષેત્રે ભારતમાં સંશોધનની શરૂઆત કરવાનો યશ પણ તેમના ફાળે જાય છે.

‼️‼️‼️વિન્સ્ટન ચર્ચિલ🔆🔆🔆

બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટનના વડાપ્રધાન તરીકે સફળ સુકાન સંભાળનાર આ રાજકારણીનો જન્મ વર્ષ ૧૮૭૪માં આજના દિવસે થયો હતો . ભારતને રાજકીય આઝાદી આપવાના નિર્ણયનો બ્રિટનમાં સખત વિરોધ કરવા માટે ચર્ચિલ જાણીતા છે.

*💢💢ગાંધી ફિલ્મ રિલિઝ થઈ♦️♦️*

એકેડેમી એવોર્ડ વિજેતા ફિલ્મ ' ગાંધી ' વર્ષ ૧૯૮૨માં આજના દિવસે દિલ્હીમાં રિલિઝ થઈ હતી . મહાત્મા ગાંધી પર બનેલી આ ફિલ્મ ૧૧ એકેડેમી એવોર્ડમાં નોમિનેટ થઈ હતી , જેમાંથી આઠ એવોર્ડ કબજે કર્યા હતા .