Wednesday, November 6, 2019

અરદેશર ખબરદાર --- Aradar awakar

📙📘📗📕📒📔📚📙📘📕📙
*🗳🗳અરદેશર ખબરદાર🗳🗳*
📙📘📗📕📒📔📔📓📘📕📘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ {યુયુત્સુ}૯૦૯૯૪૦૯૭૨૩*

*ખબરદાર અરદેશર ફરામજી, ‘અદલ’, ‘મોટાલાલ’, ‘ખોજો ભગત’, ‘ક્ષેમાનંદ ભટ્ટ’, ‘નરકેસરીરાવ’, ‘શંભુનાથ’, ‘શ્રીધર’, ‘શેષાદ્રિ’, ‘લખા ભગત’, ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’, ‘હુન્નરસિંહ મહેતા’*

🗳🗄 (૬-૧૧-૧૮૮૧, ૩૦-૭-૧૯૫૩) : કવિ, વિવેચક, નાટ્યકકાર. જન્મ ગુજરાતના દમણ ગામમાં. પ્રાથમિક શિક્ષણ દમણમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. કૉલેજમાં અભ્યાસની તકથી વંચિત. ૧૯૦૯ માં મદ્રાસમાં મોટર-સાઈકલના સામાનનો ધંધો શરૂ કર્યો. મદ્રાસ અને મુંબઈમાં વસવાટ.

*🗳🗳૧૯૪૧ માં અંધેરી મુંબઈની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. મદ્રાસમાં અવસાન.*

એમના પહેલા કાવ્યસંગ્રહ ‘કાવ્યરસિકા’ (૧૯૦૧)માં એમણે દલપતશૈલીને અનુસરીને કાવ્યો આપ્યાં, ‘વિલાસિકા’ (૧૯૦૫)માં નરસિંહરાવ દીવેટિયાને અનુસરીને પ્રકૃતિકાવ્યો આપ્યાં, તો ‘પ્રકાશિકા’ (૧૯૦૮) માં અન્ય કાવ્યો ઉપરાંત ‘કાન્ત’-‘કલાપી’ની શૈલીનાં ખંડકાવ્યો આપ્યાં. ‘ભારતનો ટંકાર’ (૧૯૦૯)માં રાષ્ટ્રભક્તિનાં ભારતોદ્ધારનાં પ્રેરક કાવ્યો આપી આપણાં પહેલા રાષ્ટ્રશાયર બન્યા. ૧૯૨૦ માં ન્હાનાલાલની ડોલનશૈલીના વિડંબનલેખે ‘ગુજરાતનો તપસ્વી’ ને ‘બ્રહ્મદીક્ષા’નાં પ્રતિકાવ્યોરૂપે અનુક્રમે ‘પ્રભાતનો તપસ્વી’ અને ‘કુકકુટદીક્ષા’ નામક ઉપહાસ-કટાક્ષકાવ્યો આપ્યાં. ‘સંદેશિકા’ (૧૯૨૫)માં ઈતરકાવ્યો સાથે દેશભક્તિ રેલાવી, તો ‘કલિકા’ (૧૯૨૬)માં અંગ્રેજી ‘બ્લેન્ક વર્સ’માં વિશિષ્ટ કલ્પના રૂપક-સભર સુદીર્ઘ પ્રેમકાવ્ય આપ્યું. ‘ભજનિકા’ (૧૯૨૮)માં પંચોતેર જેટલાં ભક્તિકાવ્યો આપ્યાં, તો ‘રાસચંદ્રિકા’ ભાગ-1 (૧૯૨૯) તથા ભાગ-૨ (૧૯૪૧)માં એમણે સવાસો જેટલા રાસ ન્હાનાલાલ અને બોટાદકરની ઢબે આપ્યા. પુત્રી તેહમીનાનું દુઃખદ અવસાન થતાં ‘દર્શનિકા’ (૧૯૩૧) નામનો સળંગ ઝૂલણા છંદમાં ધર્મ-તત્ત્વજ્ઞાનથી મંડિત આંતરજીવનના પ્રશ્નો ચર્ચતો, સાત્ત્વિક ચિંતનમય સ્નેહનો વિશ્વધર્મ પ્રબોધતો કાવ્યસંગ્રંથ આપ્યો. ‘રાષ્ટ્રિકા’ (૧૯૪૦)માં શૌર્ય-સ્વાર્પણ પ્રેરતાં રાષ્ટ્રકાવ્યગીતો આપ્યાં. ‘કલ્યાણિકા’ (૧૯૪૦) માંનાં તત્ત્વદર્શનયુક્ત ભક્તિકાવ્યો એમની પ્રભુપિપાસા દાખવે છે. ‘શ્રીજી ઈરાનશાહનો પવાડો’ (૧૯૪૨) મરાઠી પવાડી ઢબનું, ઈરાનશાહ અને પારસી કોમના ઇતિહાસ વિષેનું વર્ણનકાવ્ય છે, તો ‘ગાંધી બાપુનો પવાડો’ (૧૯૪૮) એ જ ઢબે ગાંધીજીનો મહિમા ગાતું કાવ્ય છે. ‘નંદનિકા’ (૧૯૪૪)માં જીવન-મંથન આદિ જુદાં જુદાં ખંડોમાં વહેંચાયેલાં પ્રભુવિષયક સૉનેટકાવ્યો છે. ‘ગાંધી બાપુ’ (૧૯૪૮) માં ગાંધીજીનું મહિમાગાન કરતાં એકત્રીસ કાવ્યો છે. અવસાનવર્ષના છેલ્લા કાવ્યસંગ્રહ ‘કીર્તનિકા’ (૧૯૫૩)માં વંદન, સ્પંદન, ક્રંદન, મંથન, ચિંતન, રંજન અને નંદન એમ સાત વિભાગોમાં પ્રભુભક્તિનાં પંચોતેર કીર્તનકાવ્યો છે.

6 Nov

🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*💠ઈતિહાસમાં 6 નવેમ્બરનો દિવસ*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🔰પેરેડાઈઝ કૌભાંડ : વિદેશમાં કાળું નાણું રાખવામાં કેન્દ્રીય ઉદયન મંત્રી જયંતસિંહા, ભાજપા સાંસદ આર.કે.સિંહા,અમિતાભ બચ્ચન,રાડીયા સહીત 714 ભારતીયો નામો 1.34કરોડના દસ્તાવેજમાં લીક થતાં ખળભળાટ.*

*🔰કેન્દ્રના નવા નાણાં સચિવપદે ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર હસમુખ અઢિયાની નિયુક્તિ કરવામાં આવી છે.*

*🔰મહિલા હોકી એશિયા કપમાં ભારતીય મહિલા હોકી ટીમ ચીનને 5-4થી હરાવી 13 વર્ષ પછી એશિયા કપ વિજેતા બન્યું. આ શાથે ભારત વર્લ્ડ કપ-2018 માટે ક્વોલીફાઈ થયું. આ ટુર્નામેન્ટ દરમ્યાન ભારતીય મહિલા ટીમ અજેય રહી છે.*

*🔰કોમનવેલ્થ શુટિંગ ચેમ્પીયનશીપમાં પુરૂષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં નીરજે બ્રોન્ઝ મેડલ અને અનીષ ભનવાલાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે ચાર ગોલ્ડ સહીત 16 મેડલ જીત્યા.*

*💠કોમનવેલ્થ શુટિંગ ચેમ્પીયનશીપના અંતિમ દિવસે સત્યેન્દ્રસિંહે 50મીટર રાઈફલથ્રી પોઝીશનમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે ભારતે છ ગોલ્ડ સહીત 20 મેડલ જીત્યા છે.*

6 Nov 2019 -- NC