Thursday, July 11, 2019

બેંકોનું રાષ્ટ્રીયકરણ ---- Nationalization of banks

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
✅♻️બેંકોનું રાષ્ટ્રીયકરણ♻️✅
💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨મિત્રો આવા પ્રશ્નો GPSC મુખ્ય પરીક્ષા મા પુછાયેલા પણ છે. અને હજુ પૂછાય પણ શકે છે.. 
👉આપ લોકોને પેલા સમજવું જોઈએ કે ➖બેંકનું રાષ્ટ્રીયકરણ અટલે શું ?
➖શા માટે કરવામાં આવેલા ?
➖તેના લાભાલાભ ?
➖બેંકના રાષ્ટ્રીયકરણની અસરો ?
➖બેન્ક એટલે શું ? વગેરે....

👉👁‍🗨વર્ષ ૧૯૬૯માં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશની ૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું . તેના કારણે બેંકો પાસે રહેલી ૮૫ ટકા થાપણો ભારત સરકાર હસ્તક આવી ગઈ હતી .

💡🔦1407માં ઈટાલીના જિનોઆ ખાતે બૅન્કો દી સાન જિઓરજિઓ (સેન્ટ જયોર્જની બૅન્ક) નામે સૌથી પહેલી રાજય થાપણની બૅન્ક સ્થાપવામાં આવી હતી.

સિંધુ ખીણની સંસ્કૃતિ --- Indus Valley Civilization

🎯🔰1. સિંધુ ખીણની સભ્યતાઃ લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત

👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️
👁‍🗨👁‍🗨સિંધુ ખીણની સંસ્કૃતિ♻️💠
👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🎯દુનિયાની ચાર પ્રાચીન સંસ્કૃતિઓ -♦️ઇજીપ્ત, ♦️મેસોપોટેમિયા, ♦️ચીન અને આપણી♦️🇮🇳 સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિ. આ બધી પ્રાચીન સંસ્કૃતિઓમાં સૌથી મોટી સિંધુ સંસ્કૃતિ હતી.
👉 આ વસાહતની લિપિ, ત્યાં રહેનારા લોકો, એમની ભાષા, ધર્મ વગેરે. આ વિષેના ગહન સંશોધન અને અન્ય પુરાવાઓને અભાવે તે એક રહસ્ય છે.
👉આર્ય લોકોના ઉદયનો વિષય ઘણો વિવાદાસ્પદ છે. સ્ટેફન નૅપ, ડેવિડ ફ્રૉલી અને ઘણા ભારતીય વિદ્વાનોનું માનવું છે કે આર્ય લોકો અને સંસ્કૃત ભાષા ભારતમાં બહારના દેશોમાંથી આવ્યાં નથી. 
⭕️જયારે મૅક્સ મુલર, બેન્ડર, લવીન, ગુફરોવ વગેરે મોટા ભાગના સંશોધકોનું માનવું છે કે આર્ય લોકો આશરે ઈસ પૂર્વે ૧૫૦૦માં મધ્ય એશિયામાંથી (આજે જ્યાં કિર્ગીઝસ્તાન, કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન. ઉઝબેકિસ્તાન વગેરે દેશો આવેલા છે) આવ્યા હતા. 
👁‍🗨સિંધુ સંસ્કૃતિ અને એની લિપિનો અસ્ત થયા બાદ આશરે ૧૫૦૦ વર્ષ પછી આશરે ઈ.સ. પૂર્વે ૩૦૦માં ભારતમાં બ્રાહ્મીનો ઉદય ભારતમાં થયેલો જણાય છે, ✍જેમાંથી દેવનાગરી લિપિનો ઉદય થયેલો છે તેથી બ્રાહ્મી લિપિ સિંધુ સંસ્કૃતિની લિપિમાંથી ઉદય પામી હોય એ શક્ય લાગતું નથી. આ બધી લિપિઓ અને સિંધુ સંસ્કૃતિની લિપિ બંને તદ્દન જુદી લિપિઓ છે, તેથી સિંધુ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ હોય અને રહેનારા લોકો આર્ય હોવાનું શક્ય લાગતું નથી.

લોથલ --- Lothal

💠🔘💠🔘💠🔘
🔘💠લોથલ🐾🐾
🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✍મિત્રો સ્કૂલમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને મોહેં જો દડોની સંસ્કૃતિના પાઠ ભણવામાં આવતા હતા ત્યારે તેમાં લોથલ વિશે વાંચ્યું હતું. તે વખતે એવું થાતું હતું કે આટલાં બધાં વર્ષો પહેલાં લોકો કેમ રહેતા હતા અને ત્યાંના કેવાં શિલ્પો મળી આવ્યાં છે એ બધું અત્યારે જાણીને શું કામ છે ? એ ખરેખર બોરિંગ લાગતું હતું. પરંતુ અત્યારે ?????

👁‍🗨લોથલ એક પુરાતત્વીય સ્થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની ઓળખ ઊભી કરે છે

👇👇લોથલ શહેર વિષે, જે ઘરાવે છે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા👇

🎯👁‍🗨🎯👁‍🗨લોથલ શબ્દનો અર્થ ભગવદ્દગોમંડળના આધારે જોવામાં આવે તો 'લોથ+અલ' થાય છે. 'લોથ' શબ્દનો અર્થ ઉપાધિ, પીડા, પાયમાલ થવું, પાયમાલ કરવું, લાશ પડવી, લાશ, મડદું, શબ, ખરાબ, મરેલું, જીવ વિનાનું, અતિશય થાકેલું, અશક્ત વગેરે થાય છે. જ્યારે 'અલ' શબ્દનો અર્થ જોઈએ તો નાના વસવાટ સૂચક શબ્દ છે. તેને પદાંત કહેવામાં આવે છે. જે પલ્લી કે આવલી પરથી ઊતરી આવેલો ગણી શકાય. પલ્લી નાના ગામ માટે વપરાતો શબ્દ છે. જ્યારે આવલી શબ્દ હારબંધ અથવા ફળિયાબંધ ગામનું સૂચન કરતો હોય છે. લોથલનું નગરઆયોજન પણ આવા પ્રકારનું છે. તેવું આધારો પરથી જણાય છે. 'લોથલ' નામકરણ મરેલા કે જ્યાંથી શબ મળતાં હોય તેવા સ્થળનો ઉલ્લેખ કરે છે અને નામ ઉત્ખનન પછી આપવામાં આવ્યું છે. તેના પ્રાચીન નામ વિશે કોઈ માહિતી મળી શકતી નથી કારણકે આ સમયની લિપિ ચિત્રલિપિ હતી જે ઉકેલી શકાઈ નથી. એટલે કે હાલનું લોથલ નામ વર્તમાન પુરાતત્વવિદો અને સંશોધકોએ આપેલ છે.

ઇસ્લામીક પંચાંગ --- Islamic Calendar

🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
🇲🇷🇲🇷ઇસ્લામીક પંચાંગ🇲🇷🇲🇷
🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷🇲🇷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ઇસ્લામીક પંચાંગ કે મુસ્લિમ પંચાંગ કે હિજરી પંચાંગ ....એ ચંદ્ર આધારીત પંચાંગ છે,જેમાં વર્ષના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫
દિવસ હોય છે. 
👉આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક પવિત્ર દિવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નક્કિ કરવામાં વાપરે છે. 
👁‍🗨🎯આ પંચાંગનો આરંભ 'હિજ્ર' ( Hijra)થી થયેલો ગણાય છે, જ્યારે હજરત મહંમદ પયગંબરે (સ.અ.વ.) મક્કા થી મદીના દેશાંતર કરેલું. 🎯આ પંચાંગમાં વર્ષ 'હિજરી સંવત'માં નોંધાય છે, દરેક વર્ષની પાછળ 'હિજરી' લગાડી અને ઓળખવામાં આવે છે. 
🎯 અમુક વર્ષોને 'હિજરી પૂર્વ' (અંગ્રેજીમાં 'BH'; before Hijra ) લગાવવામાં આવે છે, જે 'હિજ્ર' પહેલાનો ઇસ્લામીક ઘટનાઓનો સમયગાળો દર્શાવે છે. જેમકે હજરત મહંમદ પયગંબરનો જન્મ ૫૩ હિ.પૂ. (53 BH)માં થયેલો. 
🎯ઇસ્લામીક મહિનાઓનાં નામ નીચે પ્રમાણે છે: 
1. મહોરમ 
2. સફર 
3. રબ્બિ ઉલ અવલ 
4. રબ્બિ ઉલ આખિર 5. જમાદિ ઉલ અવલ 6. જમાદિ ઉલ આખિર 
7. રજ્જબ 8. શાબાન 9. રમઝાન 10. સવાલ 11. જિલકદ 12. જિલહજ 
👉ઇસ્લામીક પંચાંગના બધા મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.

ગુજરાતી ફિલ્મ જગતનું શતાબ્દી વર્ષ --- Years of Gujarati film world

📽🎥📽🎥📽🎥📽🎥📽🎥📽
📽ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ📽
ગુજરાતી ફિલ્મ જગતનું શતાબ્દી વર્ષ 
🎥📽🎥📽🎥📽🎥📽🎥📽🎥
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🙏મિત્રો કોઈને ખ્યાલ પણ નહીં હોય કે 2017નુ વર્ષ ગુજરાતી ફિલ્મ જગતનું શતાબ્દી વર્ષ છે...

મિત્રો આપણે ભૂલવું ના જોઈ કે ભારતીય ફિલ્મ જગતનાં ઇતિહાસની જેમ ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ પણ ભવ્યતિ ભવ્ય છે. તેમાં ઘણાં નાના-મોટા કલાકારોના જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે.

🙏 મિત્રો આજે બોલીવુડની ફિલ્મોની સાથે-સાથે ભારતના સ્થાનિક ફિલ્મ જગતે ઘણી પ્રગતિ કરીને સફળતાના શિખરોને શર કર્યા છે. આજના સમયમાં બોલીવુડની સરખામણીમાં ગુજરાતી ફિલ્મ જગત ભલે ઘણું પાછળ હોય પરંતુ તેના ઇતિહાસ પર નજર નાંખતા તેનાં ભવ્ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતાં નથી.

👉આપણું ગુજરાતી ફિલ્મ જગત દસ દાયકાની સફર કરીને શતાબ્દી વર્ષ ઊજવી રહ્યું છે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ગુજરાતી ફિલ્મ જગતની સફરનો શુભારંભ ઇ.સ. ૧૯૧૭માં બનેલી મૂક ફિલ્મ - શેઠ સગાળશાથી થાય છે. જો કે, એ સમયે પ્રિન્ટ કાઢવાની નિષ્ફળ પ્રક્રિયાના કારણે શેઠ સગાળશા દર્શકો સુધી પહોંચી શકી નહીં. ત્યાર બાદ ફક્ત ત્રણ વર્ષના ગાળામાં અનુક્રમે શ્રી કૃષ્ણ-સુદામાં (૧૯૨૦) કાનજીભાઇ રાઠોડ અભિનીત - નરસિંહ મહેતા (૧૯૨૦) ગુજરાતી મૂક ફિલ્મો રૂપેરી પડદે આવી અને આ ફિલ્મોને ગુજરાતી દર્શકોએ સહર્ષ સ્વીકારી. ત્યાર બાદ થોડા વર્ષોમાં ભક્ત વિદુર (૧૯૨૧- ભારતની સર્વપ્રથમ રાજકીય ફિલ્મ, જેના પર રાજકીય કારણોસર પ્રતિબંધ આવ્યો હતો)નું આગમન થયું.

આતંકવાદ --- Terrorism

😈💩😈💩😈💩😈💩😈💩😈
💩👽💩👽આતંકવાદ👻💀👻💀
😈💩😈💩😈💩😈💩😈💩😈
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉 😈આતંકવાદ👿 આ શબ્દ આપણે છેલ્લા 2 દિવસથી વધુ સાંભળવામાં આવી રહ્યો છે...
પણ મિત્રો આ એક વૈશ્વિક સમસ્યા છે.

🤖👾👽આતંકવાદ: અર્થ: આતંક = ભય ---- વાદ= વિચાર અથવા સિદ્ધાંત એટલે કે હિંસા દ્વારા ભય અથવા ડર દ્વારા ઉત્પન્ન કરવાની વિચારધારા.

👽👾🤖મિત્રો, આતંકવાદને ‘ઓસામાવાદ’
તરીકે ઓળખી શકાય તેવો ટેરર ઉત્પન્ન કરનારનું પણ આખરેપતન થયું. પણ આ 👹આતંકવાદને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં પ્રશ્નરૂપે કે નિબંધલેખનમાં સામેલ કરી શકાય તેવી માહિતી સ્વરૂપે જાણીએ.

👉આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે જયારે વિદેશ પ્રવાહમાં હોય છે ત્યારે આતંકવાદ વિશે જરૂર ચર્ચા કરવામાં આવે છે..
👉અમેરિકા , ઇઝરાયેલ , જી~૨૦ કે કોઈ પણ દેશની મુલાકાત હોય ત્યાં હંમેશા આતંકવાદ મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે..

👉પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે મુલાકાત કરી તેમાં સૌથી વધુ આતંકવાદનો મુદ્દો છવાયેલો રહ્યો. બંને દેશોએ આતંકવાદ વિરુદ્ધ મળીને લડવાની પ્રતિબદ્ધતા જતાવતા પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ પર કડણ વલણ બતાવ્યું છે..

👁‍🗨👉પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ જારી લડાઈને વધુ મજબુત કરવા અને આતંકવાદઓને મળી રહેલા સેફ હેવનને ખતમ કરવાનો પણ સંકલ્પ લીધો. મોદીએ ટ્રમ્પ સાથે થયેલી પોતાની પહેલી મુલાકાતને ભારત અને અમેરિકાના સંબંધોનું એક મહત્વનું પાનું ગણાવ્યું. ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં આયોજિત પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પીએમ મોદીએ પત્રકારોને જણાવ્યું કે આતંકવાદને ખતમ કરવો એ અમારી સૌથી મોટી પ્રાથમિકતાઓમાથી એક છે.

શિક્ષણ થકી વિકાસ --- Development through education

📝🖍📝🖍📝🖍📝🖍📝🖍
🖌🖍🖌શિક્ષણ થકી વિકાસ🖍🖊🖍
📝🖋📝🖌📝🖌📝🖌📝🖌
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

🙏🙏મિત્રો શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ સ્વીકારે છે. આ દેશનો પ્રત્યેક નાગરિક પછી તે માં-બાપ હોય કે રાજનેતા, સમાજશાસ્ત્રી હોય કે શિક્ષાવિદ્દ આજે શિક્ષણનું મહત્વ સ્વીકારે છે. બીજી તરફ શિક્ષણના સ્તર માટે ચિંતા પણ કરે છે. દરેક બીજાના સામે બળાપો પણ કાઢે છે. જેમ કે, માં-બાપ શિક્ષક કે શાળાને તો શિક્ષકો સરકારી તંત્રને દોષિત ગણે છે. નેતાઓ સિસ્ટમને જવાબદાર ગણે ને લોકો નેતાઓને ભાંડતા ફરે છે. આજે આપણે બાળકોના શિક્ષણમાં માં-બાપના સંદર્ભે વાત કરવી છે. જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી બીજાની એટલે કે સામાવાળાની દ્રષ્ટિથી જુએ તો જગતના અડધા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય. આ વાત શિક્ષણના સંદર્ભમાં માં-બાપને પણ લાગુ પડે છે. આજે પ્રાથમિક શિક્ષણથી શરુ કરીને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે માતા પિતા સંતાનોના શિક્ષણથી અજાણ અથવા અળગા કે અજ્ઞાન થઇ જાય છે.

👁‍🗨મોટેભાગે સમાજની એકંદર એવી સમજ છે અને ખાસ કરી ને માં-બાપ એવું માને છે કે વધુ ગુણાંક કે વધુ ટકા સંતાન મેળવે એટલે તે વધુ હોશિયાર છે. પ્રાથમિક શાળામાં કે માધ્યમિક અને છેવટે ઉચ્ચ શિક્ષણમાં આજે સમાજની આ માનસિકતાનો ગેરલાભ શિક્ષકો, શિક્ષણસંસ્થાઓ ઉઠાવે છે. સંતાનોને મહતમ ગુણાંક પ્રાપ્ત થાય છે. માં-બાપને એમ કે તેમનું સંતાન હોશિયાર છે. આ સિલસિલો છેક સુધી ચાલે છે. બાળકના ગમા-અણગમા, તેની શુષુપ્ત શક્તિઓના વિકાસના કે સમગ્રતયા તેના શારીરિક અને માનસિક વિકાસને બદલે ગોખણપટ્ટી અને પુસ્તકીયા જ્ઞાનની મહત્તાને વધારી દેવાયી છે. વિષય કે અભ્યાસક્રમને સમજીને શીખવા કરતા ઉપરછલ્લું અને પરિક્ષા પુરતું જ શીખાય કે શીખવાય છે. પછી જ્યારે સ્પર્ધાત્મક મુલવણી થાય ત્યારે તેમાંથી બહુ મોટો વર્ગ એવો છે કે જેનાં આ માર્કનો ફુગ્ગો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફુટી જાય છે.

વિશ્વ વસ્તી દિન --- World population Day

👨‍👩‍👦‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧👪👨‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👨‍👨‍👦‍👦👩‍👦👩‍👩‍👧👨‍👨‍👦👩‍👩‍👦
👩‍👩‍👧‍👧👨‍👨‍👦👩‍👩‍👦‍👦વિશ્વ વસ્તી દિન👩‍👧👩‍👩‍👦👩‍👧
👨‍👨‍👧👨‍👨‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👧👩‍👩‍👦👨‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦👩‍👩‍👧👨‍👨‍👦
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

વસ્તી એટલે જન સંખ્યા. વસ્તી એટલે માણસોનો વસવાટ. ઈ.સ. ૧૮૦૦માં વસ્તી વિશ્વની એક અબજ જેટલી થઇ હતી. જે ક્રમશ: વધતાં ઈ.સ. ૨૦૦૦માં વિશ્વની વસ્તી છ અબજ વીસ કરોડ થઇ. જે રીતે વસ્તી વધારો થયેલો જોવા મળે છે તેને આપણે વસ્તી વિસ્ફોટ જ કહી શકાય. ભારત આઝાદ થયો ત્યારે તેની વસ્તી ઈ.સ. ૧૯૦૧માં ૨૪ કરોડની હતી. જે ૧૯૯૧માં ત્રણ ગણી વધીને ૮૪ કરોડ પહોંચી ગઈ. ઈ.સ.૨૦ઓ૧ન વર્ષોમાં ૧૦૨.૭ કરોડની જનસંખ્યા પહોંચી ગઈ. અત્યારે ભારતની વસ્તીની બાબતમાં વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત એક વિશાલ દેશ છે. મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે આમ છતાંય ઔદ્યોગિક ક્રાંતિ અને બીજા કારણોસર મોટા શહેરોમાં ખૂબ જ ઝડપથી વસ્તી વધવા લાગી છે. અત્યારે લગભગ ૭૨% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. વસ્તી વધવાના અનેક કારણો જવાબદાર છે. જન્મદર ઉંચો છે.હ્યારે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્ર આરોગ્યક્ષેત્રે સગવડોમાં વધારો અને તે અંગે જાગૃતિ આવવાથી મૃત્યુદરમાં ઘટાડો જોવામળે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏



11 July

🔦⌛️🔦⌛️🔦⌛️🔦⌛️🔦⌛️🔦
ઈતિહાસમાં ૧૧ જુલાઈનો દિવસ
⏳💡⏳💡⏳💡⏳💡⏳💡⏳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👪👨‍👩‍👧👨‍👩‍👧‍👦વિશ્વ વસતી દિવસ 7👨‍👩‍👦‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👦‍👦

અબજનો આંકડો પાર કરી ગયેલી વસતી પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસતી દિવસની ઉજવણી કરવામાં આવે છે . વધતી વસતીથી કુદરતી સ્ત્રોતો પર પડતા દબાણ પ્રત્યે વિશ્વ હજી જાગૃત થયું નથી .
👩‍👩‍👧‍👧વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ
જુલાઇ ૧૧ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજ ને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.
જુલાઇ ૧૧, ૨૦૦૭ માં, 'પાંચ અબજ દિન'ની ૨૦મી વર્ષગાંઠે, વિશ્વની વસ્તી ૬,૭૨૭,૫૫૧,૨૬૩ લગભગ પહોંચેલ.

🎬📽🎥સિનેમેટોગ્રાફીની શોધ📽🎥

આધુનિક ફિલ્મોના શૂટિંગની ટેક્નોલોજી સિનેમેટોગ્રાફીની શોધ ફ્રેન્ચ સંશોધક બંધુઓ ઓગસ્ટ અને લુઇસ લ્યુમિયરે દુનિયા સામે 1895ની 11 જુલાઈએ રજૂ કરી હતી . 🎯તેઓ દુનિયાના સૌથી પહેલા ફિલ્મ મેકર ગણાય છે .

ભાવનગર --- Bhavnagar

✅💠✅💠✅💠✅💠✅💠
🎋ભાવનગર: કલ, આજ ઔર કલ
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰(ભાગ 1]
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👁‍🗨🙏👁‍🗨મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જીલ્લાઓની માહિતી આજથી હું મોકલીશ 2 દિવસે એક જીલ્લાની સંપૂર્ણ માહિતી મોકલવામાં આવશે.. પુસ્તકોમાં જે માહિતી ઓછી ઉપલબ્ધ હશે તેની પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે...યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

👉 આજે ભાવનગરની માહિતી મોકલવામાં આવશે.

👉આજના દિવસની માહિતીની શરૂઆત
કવિ તુષાર શુક્લના એક ગીતની પંક્તિઓથી

👁‍🗨ભાવનગરને ભાવથી લોકો કહેતા સહુ ભાવેણું

🍉🍇ગાય, ગાંડા ને ગાંઠિયા સાથે ગામને જૂનું લ્હેણું

બોર તળાવે, કલમ ચલાવે, ગઝલો ખૂબ લખાતી-

ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે ક્રાંતિ આણે તેવા ગ્રીન પ્લાસ્ટિકની સફળ શોધ --- Successful invention of such green plastic that revolutionized auto mobiles

🔘🔶🔘🔶🔘🔶🔘🔶🔘🔶
ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે ક્રાંતિ આણે તેવા ગ્રીન પ્લાસ્ટિકની સફળ શોધ
🔶🐾🔶🐾🔶🐾🔶🐾🔶🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔷આવનારા સમયમાં ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે નવી ક્રાંતિ આણે તેવા મહત્ત્વપૂર્ણ સંશોધનનો ભાવનગર સ્થિત પ્રતિષ્ઠિત કેન્દ્રીય સંસ્થા સીએસએનસીઆરઆઇ ( સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ) ખાતે આવિષ્કાર થયો છે. જેટ્રોફા નામની વનસ્પતિમાંથી બાયો ફ્યૂઅલી આડપેદાશમાંથી ગ્રીન પ્લાસ્ટિક બનાવવામાં સફળતા મળી છે. આ સંશોધનને યુરોપિયન પેટન્ટ પણ મળી છે. આ સંશોધનનો ઉપયોગ ઓટો મોબાઇલ્સ ક્ષેત્રે થઇ શકે અને તે નવી ક્રાંતિ સર્જી શકે એમ હોવાનું સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિક એસ.મિશ્રાએ જણાવ્યું હતું.

🔷ભાવનગરનાં વાઘાવાડી રોડ ઉપર આવેલ સંશોધન સંસ્થા સીએસએમસીઆરઆઇ અને કાઉન્સિલ ઓફ સાયન્ટીક એન્ડ ઇન્ડસ્ટ્રયલ રિસર્ચ (સીએસઆઇઆર) દ્વારા ગ્રીન પ્લાસ્ટિકનાં સંશોધન પર વર્ષ ૨૦૦૫થી કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સંશોધનને હવે સફળતા મળી છે. ૫૦૦ ગ્રામથી વધુ ગ્રીન પ્લાસ્ટિક લેબોરેટરીમાં મળ્યું છે જેને કેટલીક સંસ્થાઓને સંશોધન અને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યું હતું. પોલિમર્સ પર હાથ ધરવામાં આવેલાં પરીક્ષણોમાં જાણવા મળ્યું હતું કે તે ભેઝવાળી જમીનમાં ત્રણ મહિનામાં ગળી જાય છે. અને આ સંશોધનનો બાયો પ્લાસ્ટિક મેળવવાની પ્રક્રિયાને યુરોપિયન પેટન્ટ (ગ્રન્ટ નં-ઇપી-૨૪૭૫૭૫૪બી-૭) પ્રાપ્ત થઇ છે.

🔷સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિયૂટનાં વૈજ્ઞાનિક એસ.મિશ્રાના જણાવ્યા મુજબ જેટ્રોફા નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવતા બાયોફ્યુઅલની આડપદાશમાંથી ગ્રીન પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં થઇ શકે તેમ છે. અને પરંપરાગત પ્લાસ્ટિકની જગ્યાએ તેનો ઉપયોગ કરવાથી કાર ઉત્પાદનના ગ્રીન સંકલ્પ્ને વેગ મળી શકે તેમ છે. ડો.મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે બાયો ડીઝલમાંથી નીકળતા આડપેદાશોમાંથી અમે પ્લાસ્ટિક બનાવવાનો વિચાર આવતા સંશોધન કાર્ય શરૂ કરાયું હતું. સૌ પ્રથમ ફૂડ ગ્લીસરોલનો અસરકારક ઉપયોગ ર્ક્યો હતો. જેટ્રોફામાંથી વધુ એક ઉત્પાદન મળી આવ્યું છે અને આ ગ્રીન પ્લાસ્ટિક સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. આમ ભાવનગર સ્થિત કેન્દ્ર સરકાર હસ્તકની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેનાં સંશોધનમાં વધુ એક સફળતા મળી છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ગુરુપૂર્ણિમા --- Gurupurnima

🙏💐🙏💐🙏💐🙏💐🙏
🙏🙏"ગુરુપૂર્ણિમા"🙏🙏
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)

🌞ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબને મારા કોટિ કોટિ વંદન🙏🏻

🎤આજના દિવસના મારા ઓડિયનો મુખપાઠ🎤

🙏👁‍🗨નમસ્કાર સ્રોતા મિત્રો આજે છે ૯મી જુલાઇ દિનવિશેષ સાર્વ્યામા. હું યુવરાજસિંહ જાડેજા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. 🙏🏻

👉મિત્રો આજના દિનવિશેષ ની વાત કરવામાં આવેતો આજના દિવસનો મહિમા અનેરો છે.

🙏આજે હું જે કઇ પણ છું તેમારા ગુરુજી અશોકસિંહ પરમાર સાહેબ ની આશીર્વાદ ના લીધે છું. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏આજ મને એમના વિશે બોલવાનો રુડો અવસર મળ્યો છે. કેમકે આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલેકે ગુરુ પૂર્ણિમા છે.
🙏મારા જીવનમાં ત્રણ ગુરુઓ રહ્યા છે. 
✅જેમા પ્રથમ છે મારા જીવન પથદર્શક ગુરુજી ‘અશોકસિંહ પરમાર સાહેબ’ 

✅બિજા છે મારા જીવન ધડતર મા જેનો અતુલ્ય ફાળો છે તે છે મારા ‘માતા-પિતા’ 

✅ત્રિજા છે મારા આધ્યાત્મિક ગુરુ મારા ‘બાપજી’

ભારત અને ઇઝરાયેલ --- India and Israel

🛡🛡🛡🛡🛡🛡🛡
ભારત અને ઇઝરાયેલ
🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⭕Yuvirajsinh Jadeja:
ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોમાં કેટલીક બાબત મહત્વપૂર્ણ છે જે નીચે મુજબ છે.
* ભારત ઇઝરાયેલના શસ્ત્ર નિકાસના મામલામાં સૌથી ટોપના મહત્વના દેશ તરીકે છે. ભારત દ્વારા ૨૦૧૨-૧૬ વચ્ચે ઇઝરાયેલના શસ્ત્રોની નિકાસના મામલામાં ૪૧ ટકા હથિયારોની ખરીદી કરવામાં આવી છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના જણાવ્યા મુજબ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો ઐતિહાસિક રહ્યા છે
* ઇઝરાયેલ ભારતના ત્રીજા સૌથી મોટા શસ્ત્ર સોર્સ તરીકે છે. ૨૦૧૨-૧૬ વચ્ચેના ગાળામાં ૭.૨ ટકા આયાત હિસ્સો ઇઝરાયેલનો રહ્યો છે
* ભારત અને ઇઝરાયેલ વચ્ચે શસ્ત્ર આયાતની ટકાવારી અમેરિકા અને રશિયા બાદ ત્રીજા સ્થાને છે. ભારતના શસ્ત્ર સોર્સના મામલામાં આયાતની હિસ્સેદારી અમેરિકાની ૧૪ ટકા અને રશિયાની ૬૮ ટકા રહી છે
* આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશોમાં એકસમાન અભિપ્રાય રહ્યા છે.
* ઇઝરાયેલમાં ૪૦૦૦થી વધુ ભારતીયો રહે છે અને ભારતીયોને સંબોધન કરીને લોકથી લોક સંપર્કો વધારવાના પ્રયાસો કરવામાં આવનાર છે
* ઇઝરાયેલી વડાપ્રધાન સાથે શિખર વાતચીત,
પ્રતિનિધિસ્તરની વાતચીતના અંતે સુરક્ષા,
કૃષિ, જળ, ઉર્જા, સંરક્ષણ, અંતરિક્ષના ક્ષેત્રમાં ૧૭૦૦ કરોડથી વધુની સમજૂતિ થશે

મોદી નેતન્યાહુના મોટાભાઈનું બલિદાન યાદ કર્યું (ઓપરેશન એન્ટેબી ) ---- Modi recalled the sacrifice of Netanyahu's elder brother (Operation Entebbe)

💐🙏💐🙏💐🙏🙏💐🙏💐🙏💐
મોદીએ નેતન્યાહુના મોટાભાઈનું બલિદાન યાદ કર્યું (ઓપરેશન એન્ટેબી )
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️👉ઓપરેશન એન્ટેબી ’⭕️ નામ બદલીને તેને ‘ઓપરેશન યોનાતન ’ નામ અપાયું હતું .

👮વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુના મોટાભાઈએ બરાબર ૪૧ વર્ષ પહેલાં ઈઝરાયેલીઓને બચાવવા માટે યુગાન્ડામાં આપેલું બલિદાન યાદ કર્યું હતું . 

👮👮મોદીએ બેન ગુરિયોન એરપોર્ટ પર તેમના ટૂંકા વક્તવ્યમાં કહ્યું હતું કે ‘આજે ૪ જુલાઈ છે . 
👮👮ઓપરેશન એન્ટેબીને 👥બરાબર ૪૧ વર્ષ થયા છે . એ દિવસે તમારા વડાપ્રધાન અને મારા મિત્ર બિબિ (નેતાન્યાહુ )ના મોટાભાઈ યોનાતને યુગાન્ડામાં બંદી બનાવાયેલા અનેક ઈઝરાયેલીઓના જીવ બચાવ્યા હતા . ’ 🗣મોદીએ કરાવેલા આ સંસ્મરણથી નેતાન્યાહુ થોડી વાર માટે સ્થિતપ્રજ્ઞ બની ગયા હતા .
👤👥👤👥👤👥👤👥👤👥
🗣🗣🗣ઓપરેશન એન્ટેબી👀👀
👤👥👤👥👤👥👤👥👤👥

ઈઝરાયલ --- Israel

🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱
🇮🇱🇮🇱🇮🇱🇮🇱ઈઝરાયલ🇮🇱🇮🇱🇮🇱🇮🇱
🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✅ઈઝરાયલ રાષ્ટ્ર (ઇબ્રાની) એક દક્ષિણપશ્ચિમ એશિયા માં સ્થિત એક દેશ છે. આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં લેબનાન છે, પૂર્વ માં સીરિયા અને જૉર્ડન છે, અને દક્ષિનપશ્ચિમમાં ઈજીપ્ત છે .

⭕️રાજધાની જેરુશલેમ
⭕️મોટું શહેર જેરુસલેમ
⭕️સત્તાવાર ભાષા હિબ્રૂ , અરબી
⭕️વંશીય જૂથો 76% યહૂદી, 19%
⭕️ઓળખ ઇસ્રાઇલી
⭕️સરકાર સંસદીય લોકતંત્ર
⭕️ચલણ ઇજરાઈલી નવી

ગુજરાતનાં લોકનૃત્યો ---- Gujarat's folk dance

💃🚶💃🏃💃🏃💃🏃💃🏃💃🏃
👯‍♂👯ગુજરાતનાં લોકનૃત્યો👯‍♂👯
💃🚶💃🚶💃🚶💃💇💃🚶💃🚶
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨(૧) ગરબો : ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે.

👁‍🗨(૨) રાસ : હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે.

👁‍🗨(૩) હાલીનૃત્ય : હાલીનૃત્ય સુરત જિલ્લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨(૪) ભીલનૃત્ય : પંચમહાલનાં ભીલનૃત્યો પૈકી યુદ્ઘનૃત્ય વિશેષ જાણીતું છે. યુદ્ઘનું કારણ પ્રેમપ્રસંગ હોય છે. આ નૃત્ય પુરુષો કરે છે. ઉન્માદમાં આવી જઇને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે. આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્ય ‘આગવા’ તરીકે ઓળખાય છે. ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કૂદકા મારતાં આ નૃત્ય કરે છે.

સંસદમાં આજે એક શામ GST કે નામ ! ---- The name of the GST that is today in Parliament!

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
સંસદમાં આજે એક શામ GST કે નામ !
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✅✅સંસદના સેન્ટ્રલ હોલમાં અગાઉ ત્રણ વખત વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું .
💠 ૧૯૪૭માં ભારત આઝાદ થયો ત્યારે વિશેષ સત્ર યોજાયું હતું તેમજ ત્યારબાદ 🔘૧૯૭૨માં સિલ્વર જ્યુબિલી અને 
💠૧૯૯૭માં ગોલ્ડન જ્યુબિલી સમારોહ વખતે સેન્ટ્રલ હોલમાં વિશેષ સત્ર યોજાયું હતું .

⭕️⭕️જીએસટી એક જુલાઇથી સમગ્ર દેશમાં લાગુ થશે. જીએસટી દેશમાં લાગુ થનાર તમામ અપ્રત્યક્ષ કરોની જગ્યા લેશે ✅એક દેશ એક કર નીતિ હેઠળ લાગુ કરવામાં આવી રહેલ જીએસટીની શરૂઆત તા.૩૦ જુનને શુક્રવારે રાતે સંસદના વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવી રહી છે અને રાતે બરોબર ૧ર વાગે તેને લોન્ચ કરવામાં આવશે.✅🙏♻️

✅જીએસટીને કારણે ૨ ટ્રિલિયનના અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. 

🎯GSTથી કયા પ્રકારના ટેક્સ સમાપ્ત થશે👇👇👇👇👇

જીએસટી લાગુ થયા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, એડીશનલ એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડીશનલ કસ્ટમ ડ્યૂટી (સીવીડી), સ્પેશ્યલ એડીશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી), વેટ/સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, લક્ઝરી ટેક્સ સમાપ્ત થઇ જશે.