Showing posts with label Indian History. Show all posts
Showing posts with label Indian History. Show all posts

Saturday, September 14, 2019

હૈદરાબાદમાં પોલીસ પગલા --- Police action in Hyderabad

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠
*♻️હૈદરાબાદમાં પોલીસ પગલાં*
🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*હૈદરાબાદના નિજામ સામે કડક કાર્યવાહી કરવાના સરદાર પટેલના અભિપ્રાયને માઉન્ટબેટના કહેવાથી શાંતિથી કામ લેવાનો દ્રષ્ટિકોણ ધરાવતા નહેરુ નામંજૂર કરતા હતા. માઉન્ટબેટને ભારત છોડયા પછી ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના ગવર્નર જનરલ બન્યા. ત્યારે સરદાર પટેલે હૈદરાબાદના નિજામના હાસ્યનાટક પર પડદો પાડતી સીધી પોલીસ કાર્યવાહીથી 💠13મી સપ્ટેમ્બરે ભારતીય સેનાઓને મોકલી હતી. 💠15 સપ્ટેમ્બર સુધી ભારતીય સેનાની કાર્યવાહીને રોકવાની કોશિશો થઈ. પણ સરદાર પટેલની લોખંડી દ્રઢતા આગળ બધું જ નિષ્ફળ ગયું અને હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ કરવામાં સફળતા મળી.*

*♻️💠ખંડિત આઝાદી વખતે ભારતીય સંઘની રચના માટે 563 રજવાડાને એકઠા કરવાનો પડકાર હતો. જેમાં હૈદરાબાદના નિજામે મોટી અડચણ પેદા કરી હતી. અંગ્રેજી હકૂમતના સમયે પણ નિજામના રાજ્યમાં પોતાની સેના, રેલવે અને ટપાલ-તાર વિભાગો હતા. વસ્તી અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની દ્રષ્ટિએ હૈદરાબાદ તે સમયે* *💠🎯ભારતનું સૌથી મોટું રજવાડું હતું. તેનું ક્ષેત્રફળ 82 હજાર 698 વર્ગ માઈલ હતું. નિજામના રાજ્યનું કદ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કુલ ક્ષેત્રફળથી પણ વધારે હતું.🎯🎯*

*💠🎯👉હૈદરાબાદ ભૌગોલિક રીતે ચારે તરફથી ભારતીય ગણરાજ્યથી ઘેરાયેલું હતું. અહીંની 80 ટકા વસ્તી હિંદુઓની હતી અને મુસ્લિમો વહીવટી તંત્ર અને સેનામાં મહત્વપૂર્ણ સ્થાનો પર હતા. હૈદરાબાદની પ્રજા પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા ઈચ્છતી હતી. પરંતુ પાકિસ્તાન તરફી નિજામ અને તેના કટ્ટરપંથી પ્રતિનિધિ કાસિમ રાજવીએ રજાકારો સાથે મળીને હૈદરાબાદની આઝાદીના ટેકામાં જાહેરસભાઓ કરી હતી. વિસ્તારમાંથી પસાર થનારી ટ્રેનોને રોકીને બિનમુસ્લિમ પ્રવાસીઓ પર હિંસક હુમલા કર્યા હતા. હૈદરાબાદ નજીકના ભારતીય ક્ષેત્રોમાં રહેતા લોકોને પણ પરેશાન કરવાનું શરૂ કર્યું.*

Saturday, September 7, 2019

લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં --- In London, in 1931, the second round of conference began, just as Gandhi was present from the Congress

🔘👇🔘👇🔘👇🔘👇🔘👇🔘
*લંડનમાં 1931માં બીજી ગોળમેજી પરિષદની શરૂઆત થઈ જેમ કૉંગ્રેસ તરફથી ગાંધીજી હાજર રહ્યાં હતાં.*
👇🔘👇🔘👇🔘👇🔘👇🔘👇
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🗣👁‍🗨♦️ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું 'છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું એ જોઈને ગાંધીજીએ કહ્યું કે "મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે." હવે પછી 'રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા.*

*♻️💠શાહી અંગ્રેજી હકુમત માત્ર ન્યાયનું નાટક કરવાના ઈરાદાથી વાટાઘાટ કરવા બોલાવે છે અને પોતાની એક વાત પણ સ્વીકારાવાની નથી તે વાત જગજાહેર હોવા છતાં ગાંધીજીએ ૧૯૩૧ની ગોળમેજી પરિષદમાં ભાગ લેવા કરેલો ઐતિહાસિક આગબોટ પ્રવાસ.*

*🎯💠♻️વિષ્ણુ પંડયાની નોંધ અનુસાર, ગાંધીજી ગોળમેજી પરિષદ માટે આવ્યા ત્યારે આપણા બે ગુજરાતીઓ અમૃતલાલ શેઠ અને પોપટલાલ ચુડગર પણ ત્યાં પહોંચ્યા હતા. ઇન્દુલાલે તેમને ‘આર્યભુવન’માં રહેવા આમંત્રણ આપ્યું અને પછી તો મહેફિલ જામી – સાર્વજનિક પ્રશ્નોનાં ચિંતનની! ઇન્દુલાલ યાજ્ઞિકના લંડનનિવાસ દરમિયાન જ આપણા ગુજરાતને માટે એક ગૌરવપ્રદ ઘટના ઘટી તે તેમણે લખેલા શ્યામજી કૃષ્ણવર્માનાં સર્વ પ્રથમ અધિકૃત જીવનચરિત્રની છે. ઇંગ્લેન્ડના ગુજરાતીઓની સ્મૃતિ તે ‘ડાયોસ્પોરા’ની મોટી ઘટના ના ગણાય ?*
*🎯🔰👉બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો ભાવ હતો તેનો અંદાજો મેળવવો હોય તો આ ગીત સાંભળવું જ રહ્યું.*
*દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ ! સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !…. ઘણું બધું કહી જાય છે. આઝાદી પછી જન્મેલ દેશની મોટા ભાગની પેઢીને માટે ખજાના સમું આપણા પ્યારા કવિનું આ અણમોલ ગીત આજે સાંભળીએ.*
👇👇👇👇👇👇👇

Tuesday, August 20, 2019

બ્રહ્મોસમાજ --- Brahmo Samaj

👏⭕️👏⭕️👏⭕️👏⭕️👏⭕️👏
🔰🎯1828 :- રાજા રામ મોહન રાય દ્રારા બ્રહ્મોસમાજની કલકત્તામાં સ્થાપના કરવામાં આવી.
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

એક પ્રાપ્ત થતાં બધું પ્રાપ્ત થઇ જશે !

પ્રાર્થના કોટપાટલુન પહેરીને પણ થાય. સ્નાન કરવાની પણ જરૃર નહિ. આ મત બ્રહ્મોસમાજ કહેવાયો. એમાં એક બ્રહ્મની પ્રાર્થના થતી

સાધકના મનમાં સતત એવા પ્રશ્નો જાગતાં હોય છે કે પ્રાર્થના એટલે શુ ? ઉપાસના અને પ્રાર્થનામાં શો તફાવત ? તો વળી કોઇ એમ વિચારે છે કે ઉપવાસ કરવા જરૃરી છે ખરા ? આ ઉપવાસથી આપણને કોઇ લાભ થાય ખરો ? આ સંદર્ભમાં જ્ઞાાનયોગી શ્રી ચંદુભાઇના અધ્યાત્મગહન વિચારો પર દ્રષ્ટિપાત કરીએ. તેઓ કહે છે,

પ્રાર્થનાનો સામાન્ય અર્થ યાચના એવો છે. પ્રભુ પાસે કાંઇ યાચવું એ પ્રાર્થના છે. જેમ જેમ માનસિક વિકાસ થતો જાય છે, તેમ તેમ પ્રાર્થનાનો અર્થ ફરતો જાય છે. ઉચ્ચ કોટિનો ભક્ત પરમાત્માને ઓછામાં ઓછું કામ સોંપે છે, એથી આગળ જનારો ભક્ત કશી ઈચ્છા જ નથી કરતો. એની એક એક ક્રિયા પ્રભુમય જ થાય છે, પણ આપણે સામાન્ય પ્રચલિત અર્થની પ્રાર્થનાની વાત કરીએ.

Saturday, April 13, 2019

जलियांवाला हत्याकांड --- Jallianwala massacre


Jallianwala Bagh massacre

Description

The Jallianwala Bagh massacre, also known as the Amritsar massacre, took place on 13 April 1919 when Acting Brigadier-General Reginald Dyer ordered troops of the British Indian Army to fire their rifles ... Wikipedia
Date13 April 1919
Deaths379-1,600
WeaponsLee-Enfield rifles