Showing posts with label Gujarati Sahitya. Show all posts
Showing posts with label Gujarati Sahitya. Show all posts

Sunday, January 31, 2021

ગજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો


 🔰🔰🔰🔰💠💠🔘🔰🔰🔘🔘
1.    ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર.    - અખો     
2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    - હરજી લવજી દામાણી    
3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  - કવિ કલાપી   
4.    યા હોમ કરીને પડો,ફતેહ છે આગે.  - કવિ નર્મદ     
5.    અમને નાખો જિંદગીની આગમાં,
      આગને પણ  ફેરવીશું બાગમાં.....  - શેખાદમ આબુવાલા     
6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો
       એને આવકારો  મીઠો આપજે રે......   - દુલા કાગ     
7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
      આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે     
8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    - સુન્દરમ્     
9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   -          અરદેશર ખબરદાર     
10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું          પ્રભાત.   - કવિ નર્મદ     
11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી
મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.       - પ્રેમાંનદ
12.    ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત.      - કવિ અરદેશર ખબરદાર
13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    - ઉમાશંકર જોશી     
14.    ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   - ન્હાનાલાલ     
15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.  - કલાપી     
16.    જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !    - કવિ બોટાદકર     
17.    રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ..    - મીરાંબાઈ     
18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.              - કરસનદાસ માણેક
19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !             - ઝવેરચંદ મેધાણી
20.    રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.           -  કવિ કલાપી
21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  - દલપતરામ
22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.    - કવિ કલાપી
23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી
સોગાત ખુદાની.                         - બરકત વિરાણી
24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?            - અમૃત ધાયલ     
25.    ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ;
બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું .            - ઉમાશંકર જોશી
26.    સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં !                       - કવિ ન્હાનાલાલ
27.    ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ
સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન
ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત                   - બચુભાઈ રાવત
28.    મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો !          - નરસિંહરાવ દિવેટિયા
29.    બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું.    -  ગની દહીંવાલા   
30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.                - ઉમાશંકર જોશી
31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.            - ન્હાનાલાલ
32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા
માટે સુંદર બનવું પડે. - કલાપી      
33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ......                - નરસિંહ મહેતા
34.    એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ....        - અખો
35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને .  - પ્રીતમ
36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,              - દયારામ     
37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....                - ગંગાસતી     
38.    વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું,                    - દયારામ     
39.    અંધેરી નગરી ને ગંડુ રાજા....   - દલપતરામ     
40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...  - નરસિંહરાવ દિવેટિયા
41.    નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન..    - બ.ક.ઠાકર    
42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક
43.    માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે,      - પન્નાલાલ પટેલ
44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ
45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો
પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને
યાદ આવ્યા, - હરીન્દ્ર દવે
46.    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...        - રાવજી પટેલ
47.    ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ

Raj, [31.01.21 10:44]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
...        - મણિલાલ દેસાઈ
48.    શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી..    - ચંદ્રકાન્ત શેઠ

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*