Tuesday, June 18, 2019

હલ્દીઘાટીનું યુદ્ધ --- Battle of Haldighati

⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
18 જૂન 1576 :- મહારાણા પ્રતાપ અને મોગલ શહેનશા અકબર વચ્ચે હલ્દીઘાટીમાં યુદ્ધ શરુ થયું. 
⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ભારત ભૂતકાળથી જ સંસ્કારી અને શ્રીમંત દેશ રહ્યો છે.મધ્ય યુગની શરુઆતમાં મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન થઈ ગયું હતું.

👉યુવરાજસિંહ જાડેજા રોયલ ઓફ ઈન્ડિયા શ્રેણી હેઠળ જણાવવા જઈ રહ્યુો છુ. વિખ્યાત રાજાઓ અને મુઘલ બાદશાહોની જાણી-અજાણી કથાઓ વિશે.આજે અમે તમને જણાવી રહ્યા છીએ મુઘલ બાદશાહ અકબર અને મહારાણા પ્રતાપની સેના વચ્ચે 1576માં થયેલા હલ્દીઘાટી યુદ્ધની તમામ વાતો...

🎯18 જૂન 1576માં મેવાડનાં રાજા મહારાણા પ્રતાપ અને મુઘલ સમ્રાટ અકબર વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું.આ લડાઈમાં ન્હોતો અકબર જીત્યો અને નાં તો મહારાણા પ્રતાપ હાર્યા.ઘણા રાઉન્ડમાં થયેલા આ યુદ્ધમાં કહેવાય છે કે,અકબર મહારાણા પ્રતાપનું યુદ્ધ કૌશલ્યથી જોઈને ગભરાઈ ગયો હતો.બહુ ઓછા સૈનિકોનાં બળથી મહારાણા પ્રતાપે અકબરની સેનાનો જોરદાર સામનો કર્યો હતો.આ યુદ્ધની ભારતીય ઈતિહાસનાં મુખ્ય યુદ્ધમાં ગણતરી થાય છે.

🎯હલ્દીઘાટીમાં દરેક કણ કહે છે બલિદાનની કથા

હલ્દીઘાટીનો દરેક કણ મહારાણા પ્રતાપની સેનાની બહાદુરી, હિંમત અને બલિદાનની કથા કહે છે. યુદ્ધભૂમિની પરીક્ષાથી રાજપૂતોનાં કર્તવ્ય અને બહાદુરીનાં જુસ્સાની ઓળખાણ થઈ હતી. મેવાડનાં રાજા રાણા ઉદય સિંહ અને મહારાણી જયવંતા બાઈનાં પુત્ર મહારાણા પ્રતાપ સિસોદિયા વંશનાં એકલા એવા રાજપૂત રાજા હતા જેઓએ મુઘલ સમ્રાટ અકબરની આજ્ઞાંકિતતા અસ્વીકાર કરવાનું સાહસ કર્યું હતું અને જ્યા સુધી જીવંત રહ્યા અકબરને રાહતનો શ્વાસ ન લેવા દીધો.

18 June

🗑🗑🗑🗑🗑🗑🗑🗑🗑🗑🗑🗑
ઈતિહાસમાં ૧૮ જૂનનો દિવસ
⌛️⌛️⌛️⌛️⌛️⌛️⌛️⌛️⌛️⌛️⌛️⌛️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💡💡💡ઉત્ક્રાંતિની થીયરી🔦🔦🔦🔦

માનવજાતની ઉત્ક્રાંતિને વર્ણવતી ચાર્લ્સ ડાર્વિનની થિયરીને ટેકો આપતી થીયરી બ્રિટિશ વિજ્ઞાની આલ્ફ્રેડ રસેલે ૧૮૫૮માં આજે ડાર્વિનને સુપરત કરી હતી . વર્ષ બાદ ડાર્વિને તેનો વિસ્તૃત દસ્તાવેજ રજૂ કર્યો હતો .

📡📡સ્ટેલ્થ ટેક્નોલોજીનું પહેલું વિમાન▪️🕹🕹

રડારથી લઈને ઇન્ફ્રારેડ ટેક્નોલોજી વડે નહીં પકડાતું સ્ટેલ્થ ટેક્નોલોજી ધરાવતું વિશ્વનું પહેલું યુદ્ધ વિમાન Lockheed F - 117 Nighthawk વર્ષ 1981 ની 18 જૂને પહેલીવાર ઉમંડ્યું હતું .

⛳️⛳️🏐🏐૧૯૪૬ – ડો. રામમનોહર લોહિયા , જાણીતા સમાજવાદી, એ ગોઆમાં પોર્ટુગિઝો સામે 'સીધા પગલાં દિન' જાહેર કર્યો. પંજીમમાં એક રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું. આ દિવસને
ગોઆ ક્રાંતિ દિન તરીકે ઓળખવામાં આવે છે.