Wednesday, September 25, 2019

સતીષ ધવન --- Satish Dhawan

🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳
*🔷🔷🔷સતીષ ધવન🔶🔶🔶*
🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳
સતીષ ધવનનો જન્મ ૨૫ સપ્ટેમ્બર, ૧૯૨૦ના રોજ શ્રીનગર ખાતે થયો હતો. તેઓ જાણીતા રોકેટ વિજ્ઞાની હતા અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં એરોસ્પેસ એન્જિનિયરની વિદ્યાશાખાના પ્રણેતા હતા. તેમને ફ્લુઈડ ડાયનામિક્સ એટલે કે પ્રવાહી કે વાયુની ગતિશીલતા પર આધારિત વૈજ્ઞાનિક સંશોધનોના પ્રણેતા માનવામાં આવે છે. ૧૯૭૨માં વિક્રમ સારાભાઈ બાદ પ્રોફેસર સતીષ ધવનની નિમણૂક ઈસરોના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી. ધવને યુનિર્વિસટી ઓફ પંજાબ ( હાલમાં પાકિસ્તાન) ખાતેથી આટ્ર્સ અને સાયન્સની ડિગ્રી મેળવી હતી. ગણિતમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૪૩માં તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. યુનિર્વિસટી ઓફ મિનેસોટામાંથી મિકેનિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે એરોસ્પેસની ડિગ્રી મેળવી હતી. ગણિતમાં જ ડોક્ટરેટની ઉપાધિ મેળવ્યા બાદ તેઓ ભારત પરત ફર્યા હતા. થોડા જ સમયગાળામાં તેમની વરણી ઈસરોના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી. બેંગલોર ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સમાં તેઓ પ્રોફેસર હતા. સુપરસોનિક વાઈન્ડ ટનલ ( એટલે કે વિમાન અને પવન વચ્ચેનો સંબંધ અને પવનની વિમાનની ગતિ પર અસર) ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ખાતે વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. ઉપગ્રહના માધ્યમથી ગામડાંઓમાં શિક્ષણ પહોંચાડવાનું કાર્ય, રિમોટ સેન્સિંગ સેટેલાઈટ એટલે કે દૂર રહીને માહિતી આપનાર ઉપગ્રહના સંશોધનનો શ્રેય તેમને જાય છે. હવે ઈસરો દ્વારા ઉપગ્રહના લોન્ચિંગ માટે જે વ્હિકલ વપરાય છે તે પીએસએલવીનું સંશોધનકાર્ય ધવન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ૧૯૮૧માં તેમને પદ્મ વિભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ૩ જાન્યુઆરી, ૨૦૦૨ના રોજ તેઓ મૃત્યુ પામ્યા હતા.
ભારત દ્વારા જે ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવે છે તે ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવે છે. આ ઉપગ્રહ સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનું નામ સતીષ ધવનના નામ પરથી સતીષ ધવન સ્પેસ સેન્ટર રાખવામાં આવ્યું છે.

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

મોરારીબાપુ --- Morariabapu

🗣👏💐🗣👏💐🗣👏💐🗣👏💐 
💐👏💐👏મોરારીબાપુ💐👏💐👏
💐👏💐👏💐👏💐👏💐👏💐👏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*👉🙏પોતાના વિશિષ્ટ અંદાજમાં રામકથાનુ સપાન કરાવનારા અને દેશ-વિદેશના લાખો લોકોને જીવનદર્શનનો સાચો માર્ગ બતાવનારા સંત શ્રી મોરારી બાપૂનો 25 સપ્ટેમ્બરે જન્મદિવસ છે.*

👉 રામચરિત્રને સરળ, સહજ અને સરસ રીતે રજૂ કરનારા 62 વર્ષીય બાપૂની સાદગીની કોઈ બીજી જોડ નથી.
👉ટીવી ચેનલો પર અનેક સંત-મહાત્માઓના પ્રવચનો આવે છે, જેમાં બાપૂ પણ સમાયેલ છે, પરંતુ જે લોકો તેમની સાથે જોડાયેલા છે, તે બાપૂની કથા વિશે જાણ થતા જ કદી ચેનલ નથી બદલતા. જ્યા કથાનુ આયોજન રાખવામાં આવે છે ત્યાં હજારો શ્રધ્ધાળુઓ કથાનું રસપાન કરવા હાજર રહે છે.
👉રામના જીવન વિશે તો બધા જ જાણે છે, પરંતુ ખબર નહી કેમ બાપુની વાણીમાં એવો કયો જાદુ છે, જે શ્રોતાઓ અને દર્શકોને બાંધી મૂકે છે. તેઓ કથાના માધ્યમથી માનવ જાતિને સદ્દકાર્યો કરવા પ્રેરિત કરે છે. 
🔰👉સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેમની કથામા ન તો ફક્ત વૃદ્ધ સ્ત્રી-પુરૂષો જ હાજર રહે છે, પરંતુ યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહે છે. તેઓ ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ માનવ કલ્યાણને માટે રામકથાની ભાગીરથીને પ્રવાહિત કરે છે. 

25 Sep

💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*ઈતિહાસમાં ૨૫ સપ્ટેમ્બરનો દિવસ*
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)

*🔘👁‍🗨🔘મોહિન્દર અમરનાથ🔘👁‍🗨*

ભારતના પહેલા વર્લ્ડ કપ વિજયનો હીરોઓલ રાઉન્ડર અમરનાથનો જન્મ વર્ષ ૧૯૫૦માં આજના દિવસે પટિયાલામાં થયો હતો. તેમણે પહેલી ટેસ્ટની પહેલી ઓવરમાં ઇયાન ચેપલ અને બીલ લોરીની વિકેટો ખેરવી મેચનું પાસુ પલટી નાંખ્યું હતું. 

*🔰👁‍🗨USS Enterprise🔰👁‍🗨🔰*

વિશ્વનું પહેલું ન્યુક્લિયર પાવર્ડ વિમાન વાહક જહાજ વર્ષ ૧૯૬૦માં આજના દિવસે લોન્ચ થયુ હતું. ૬૦થી ૯૦ યુદ્ધ વિમાનો સાથે દુનિયાના કોઈપણ ખૂણે ધનોત પનોત કાઢવામાં સક્ષમ આ જહાજને વર્ષ ૨૦૧૨માં અમેરિકાએ નિવૃત્ત કર્યુ હતું. 

*🌑🌑શનિના સફેદ વાદળો 🌑🌑*

ધ ગ્રેટ વ્હાઇટ સ્પોટ તરીકે ઓળખાતા શનિના સફેદ વાદળો આમ તો દર ૨૮.૫ વર્ષે એકવાર ટેલિસ્કોપથી દેખાય છે, પરંતુ ૧૯૯૦માં આજના દિવસે સૌથી વધુ સ્પષ્ટતાથી દેખાયા હતા. ૧૯૯૦ બાદ ગમે ત્યારે આ વાદળો ઓછા વત્તા અંશે દેખાયા છે.

25 Sep 2019 --- NC