Friday, July 19, 2019

19 July

♻️⭕️♻️⭕️♻️⭕️♻️⭕️♻️⭕️♻️
⭕️ઈતિહાસમાં 19 જુલાઈનો દિવસ
🎯♻️🎯🎯♻️🎯♻️🎯♻️🎯♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💰💶💰બેંકોનું રાષ્ટ્રીયકરણ💸💵💶

ઇંદિરા ગાંધી સરકારે વર્ષ 1969ની 19 જુલાઈએ દેશની 14 મોટી બેંકોનું એકસાથે રાષ્ટ્રીયકરણ કરીને તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યક્ષેત્ર હેઠળ લાવી દીધી હતી . આ બેંકો પાસે દેશની 85 ટકા થાપણો હોવાથી તે કેન્દ્ર સરકાર હસ્તક આવી ગઈ હતી .
💰💷વર્ષ ૧૯૬૯માં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશની ૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું . તેના કારણે બેંકો પાસે રહેલી ૮૫ ટકા થાપણો ભારત સરકાર હસ્તક આવી ગઈ હતી .

💡🔦માનવ મસ્તિષ્કની થ્રીડી ઇમેજ🔦

કમ્યૂટેડ ટોમોગ્રાફી એક્સ - રે ઇમેજ ( સીટી સ્કેન) દ્વારા માનવ મસ્તિષ્કની થ્રી ડાયમેન્શન ઇમેજ પહેલીવાર વર્ષ 1983 ની 19 જુલાઈએ અમેરિકાના સંશોધક એમ . વેનિયરની ટીમ દ્વારા લેવામાં આવી હતી . અનેક રોગોના નિદાન માટે આ ટેક્નોલોજી આજે પણ કારગર છે .

✈️✈️100kmથી ઊંચી ઉડાન✈️✈️

અમેરિકન પાઇલટ જો વોકરે વર્ષ 1963ની 19 જુલાઈએ North American X - 15 નામનું વિમાન પૃથ્વી 100 કિલોમીટરની ઊંચાઈએ ઊડાવવાનો વિક્રમ સ્થાપ્યો હતો . આટલી ઊંચાઈએ વિમાન ઉડાવવાને સામાન્ય ઉડ્ડયન નહીં , પરંતુ સ્પેસફ્લાઈટનો દરજ્જો અપાય છે 
✈️નાસા અને યુએસ એરફોર્સ દ્વારા સંયુક્ત રીતે ફ્લાઇટ X - 15એ ૧૦૬૦૧૦ મીટર ઊંચાઈ ઉપર ઊડાડી વિક્રમ સર્જાયો હતો . જોસેફ વોકરે વર્ષ ૧૯૬૩માં આજના દિવસે ફ્લાઇટ ૫૯૭૧ કિ . મી . /કલાકની ઝડપે ઊડાડી હતી .

19 July --- NC



ગુજરાતની ઓળખ છે તેનો આ સમૃદ્ધ હસ્તકલા વારસો --- The identity of Gujarat is its rich heritage legacy

🎭🎨🎭🎨🎭🎨🎭🎨🎭🎨🎭🎨
*અખિલ ભારતીય હસ્તશિલ્પ સપ્તાહ*
*ગુજરાતની ઓળખ છે તેનો આ સમૃદ્ધ હસ્તકલા વારસો*
🖐🖖👋🤚✋🖐🤚🤘🏽🤟🖐🖖🤘🏽
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*મિત્રો ગુજરાતીઓની ઓળખ તેમનો સમૃદ્ધ વારસો અને કલા પરંપરા છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિવિધ હસ્તકલાઓ પાંગરી અને સમૃદ્ધ બની છે. ગુજરાતમાં કલા અને હસ્તકલાનો વૈવિધ્યપૂર્ણ વારસો સચવાયેલો છે. વિવિધ પ્રકારના સ્વરૂપોમાં આ કલાએ વિશ્વભરમાં ગુજરાતનું નામ વિખ્યાત કર્યું છે.. મિત્રો હું યુવરાજસિંહ જાડેજા ચલો આજે આવો જાણીએ કેટલીક જાણીતી અને ઓછી જાણીતી ગુજરાતની હસ્તકલા...*

*♨️💢🤝ગુજરાતનું ભરતકામ અનેક પ્રકારના ભરત અને ટાંકાથી સમૃદ્ધ છે. તેની ઝીંણવટ પૂર્વકની કારીગરી અને સ્વચ્છ કામ જગવિખ્યાત છે. આ માટે કચ્છી ભરત સોથી વધારે જાણીતું છે.*
👉ગુજરાતમાં ભરતકામ મોટા ભાગે રબારીઓ, વણઝારા અને ખેડૂત સમુદાયની સ્ત્રીઓ કરે છે. અગાઉ તેમની જાતિની ઓળખ ગણાતું ભરતકામ આજે તેમના માટે રોજગારીનું બીજું સાધન છે. ⭕️👉આ ભરતમાં આરી ભરત, આભલાં કામ, તોરણ બનાવવા, ચાકરા વગેરે તૈયાર કરવામાં વિવિધ પ્રકારના ભરતકામનો ઉપયોગ કરવામાં આવે છે.

INS કલવરી સબમરીન -- INS Calvary Submarine

✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️
*મુંબઇમાં PM મોદીએ INS કલવરી સબમરીનું કર્યું ઉદ્ઘાટન*
🚢🗺🚢🗺🚢🗺🚢🗺🚢🗺🚢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🚢પ્રધાનમંત્રી મોદી આજે *સ્કોર્પિયન શ્રેણીની સબમરીન INS કલવરીને રાષ્ટ્રને સમર્પિત કરી.* 

🛸આ અવસરે તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસ, રક્ષામંત્રી નિર્મલા સીતારમન, નૌસેના પ્રમુખ કમાંશડગ ઓફ ધ વેસ્ટર્ન નેવલ કમાંડ અને વરિષ્ઠ રક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

*🚢સ્કોર્પિયન શ્રેણીની 6 સબમરીનમાંથી કલવરી પ્રથમ સબમરીન છે. જેને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી રહી છે. 👏👏👏આ મેક ઇન ઇન્ડાની પ્રથમ સફળતા છે.*

*🎯👉આ પરિયોજનાને ફ્રાંસના સહયોગથી ચલાવવામાં આવી રહી છે.*

દિલ્હી --- Delhi

🔶🛡🔷🔶🛡🔷🔶🛡🔷🔶🛡
*💠⭕️💠દિલ્હી⭕️💠⭕️*
*👁‍🗨👁‍🗨ભારતની રાજધાની👁‍🗨👁‍🗨*
🛡🔶🔷🛡🔶🔷🛡🔶🔷🛡🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*દિલ્હી - સ્થાનિક રીતે દિલ્લીના અને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (National Capital Territory of Delhi - NCT)ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ 💠ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ 👁‍🗨♦️વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે.*

♻️✅👁‍🗨એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની નવી દિલ્હી, જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.

💠Capital formation 1911
✅Formation of Union Territory 1956

બંદરો પર નંબરનું સિગ્નલ --- Number signal on ports

⚜હાલ ગુજરાત પર અને ભારત ના અન્ય રાજ્યો પર *ઓખી* વાવાઝોડાં નો ખતરો છે. ત્યારે ગુજરાતના બંદરો પર *૨* નંબર નું *સિગ્નલ* લગાવવામાં આવ્યું છે. તો જાણીએ આ સિગ્નલ વિશે :

🛥 સિગ્નલ 1:
તેનો મતલબ એવો થાય છે કે નીચા દબાણનું વિસ્તાર સમુદ્રમાં દૂર છે અને સપાટીના પવન 33 ગાંઠ (આશરે 60 કિમી પ્રતિ કલાક) સુધી હોઇ શકે છે. આ સંકેતનો અર્થ એ છે કે બંદર પર અસર થતી નથી પરંતુ થોડી ઊંચી પવનની ગતિની ચેતવણી આપે છે.

🛥 સિગ્નલ 2:
34-47 ગાંઠો (આશરે 60-90 કિ.મી.) સુધી સપાટીના પવન સાથે ડિપ્રેસન સમુદ્રમાં ઘડ્યું છે. આ સિગ્નલ બંદરો છોડીને જવા માટે ચેતવણી છે.

🛥 સિગ્નલ 3:
ડિપ્રેશનનું નિર્માણ અને બંદરને અસર કરી શકે છે. 22-27 ગાંઠ (40-50 કિ.મી.) વચ્ચે વિસ્ફોટ થવાની શક્યતા છે. 

🛥 સિગ્નલ 4:
એક ઊંડા ડિપ્રેશનની રચના દરિયામાં થતી હોય છે અને પોર્ટને પછીથી અસર કરે તેવી સંભાવના છે. સપાટી પર પવન લગભગ 28-33 ગાંઠ (લગભગ 50-60 કિ.મી.) હશે. સિંગલ ચાર બંદરે આવેલા જહાજોને સંભવિત ભય દર્શાવે છે. સિગ્નલો 3 અને 4 પોર્ટ પર ખરાબ હવામાન સૂચવે છે.

Get Way of India

⭕️🔘💠♻️👁‍🗨💠🔰⭕️🔘🔰💠
*🏛🏛ગેટ વૅ ઓફ ઇન્ડિયા🏛🏛*
♻️👁‍🗨💠🎯🔰🔘🇮🇳🔰💠♻️👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👉 **ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વિન મેરીના ભારત ની મુલાકાતે* મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*

❇️🎯❇️મુંબઈ સ્વપ્ન નુ શહેર છે જ્યાં ફેશન, આકર્ષક જીવનશૈલી, બોલીવુડ અને ખુબ પ્રસિદ્ધ સિને કલાકારોના ઘર રૂપે ઓળખાય છે. સીધા શબ્દ માં કહીએ તો મુંબઈનું સ્વપ્ન અમેરિકાના સ્વપ્ન સમાન છે. મુંમ્બઈ દેશના બાકી હિસ્સાથી રોડ, રેલવે, સમુદ્ર અને હવાના માધ્યમે સારી રીતે જોડાયેલ છે.

*🏛મુંબઇ મહારાષ્ટ્રની રાજધાની શહેર છે. આ શહેર લોકોના સ્વપ્ન પુરા કરવા માટે ઓળખાય છે. લોકો આને ‘ડ્રીમ સીટી ઓફ ઇન્ડિયા’ ના નામે પણ જાણે છે. અહી જોવાલાયલ અનેક નાના મોટા સ્થળો છે. પણ ગેટવે ઓફ ઇન્ડિયા પણ રોચક છે.*

ભારતની પહેલી મહિલા ડોકટર રૂખમાબાઈ રાઉત --- India's first woman doctor Rochambai Rout

👩‍🏫👩‍🔬👩‍🏫👩‍🔬👩‍🏫👩‍🔬👩‍🏫👩‍🔬👩‍🏫👩‍🔬👩‍🏫
*👩‍🔬👩‍🔬ભારતની પહેલી મહિલા ડોકટર રૂખમાબાઈ રાઉત(પ્રેક્ટિસિંગ મહિલા)👩‍🔬👩‍🔬*
🙏⚗💊💉🌡🕳🔬🔭⚗🔬💉
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🌎ગૂગલે આજે ડોક્ટર રૂખમાબાઈ રાઉતના 153માં જન્મદિવસ નિમિત્તે ડૂડલ બનાવીને તેમને સન્માન આપ્યુ છે. 

*👩‍🔬રુખમાબાઈ ભારતની પહેલી મહિલા ડોક્ટર હતા. ડોક્ટર રૂખમાબાઈનો જન્મ રર ઓક્ટોબર 1864માં થયો હતો.*
😮માત્ર 11 વર્ષની વયે તેમની મરજી વિરૂધ્ધ તેમના વિવાહ દાદાજી ભીકાજી સાથે કરી દેવામાં આવ્યા હતા. 😠એ વખતે બાળ વિવાહ એક સામાન્ય વાત હતી. 😡તેમના પતિએ તેમનો અભ્યાસ છોડાવી દીધો અને પોતાની સાથે રહેવા માટે મજબૂર કર્યા. 
💠👉જ્યારે રૂખમાબાઈ આ માટે ન માન્યા તો તેમના પતિએ 1884માં કોર્ટમાં કેસ કર્યો જેમાં અદાલતે રૂખમા બાઈને કહયુ કે તમે તમારા પતિ સાથે રહો અથવા તો જેલમાં રહો. 
👏👏🤟🤟👌રૂખમાબાઈએ જેલમાં રહેવાનું પસંદ કર્યુ તે જુદા જુદા સમાચાર પત્રોમાં લેખ લખતા હતા જ્યારે તેમને ડોક્ટરી ભણવાનું વિચાર્યુ ત્યારે તેમના માટે લોકોએ સામેથી ફંડ આપ્યો અને તેમને લંડન સ્કૂલ ઓફ મેડિસિનમાંથી ડોક્ટરીનો અભ્યાસ કર્યો. 
🤲તે લંડનથી એક ફિઝીશિયન બનીને પરત આવ્યા. 
*👐તે એક ડોક્ટર હોવાની સાથે સાથે સમાજ સેવિકા પણ હતા. તેમણે એ વખતે સમાજના કુરિવાજો જેવા કે બાળવિવાહ, પર્દાપ્રથા વગેરેનો વિરોધ કર્યો તેમને એક નારીવાદી સ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

દેશની પહેલી મહિલા સરપંચ --- The country's first woman Sarpanch

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 22 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
⭕️♦️♦️⭕️♦️⭕️♦️⭕️♦️
*દેશની પહેલી મહિલા સરપંચ*
👇👇👇👇👇👇👇👇👇

*છોકરીઓના સ્વપ્નની વાત આવે ત્યારે દરેક છોકરી ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક વગેરે બનવાના સ્વપ્ન જોતી હોય છે. આ સાથે છોકરીઓને કહેવામાં આવે છે કે સ્વપ્ન હંમેશાં તેવા જ જોવા જોઇએ જે તે પૂર્ણ કરી શકે, પરંતુ અત્યારે દરેક છોકરી પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ભલે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે તે સંઘર્ષ કરવા પણ તૈયાર હોય છે. પોતાના સ્વપ્ન માટે દરેક સંઘર્ષ કરવા તૈયાર હોય છે, પરંતુ બીજા માટે સ્વપ્ન જોઇ અને બીજાને સુખ આપવાનું સ્વપ્ન જોનારી મહિલા છે ભારત દેશના 🎯👉હિમાચલ પ્રદેશની જબના ચૌહાણ.*

👉જબનાએ સ્વપ્ન જોયું હતું કે તે તેના ગામની દરેક છોકરીઓને શિક્ષા અપાવવા માંગે છે, અને તે હેતુથી તે કોલેજ બનાવવા માંગે છે. તેના ગામમાં વીજળી, પાણી જેવી મૂળભૂત જરૂરિયાતને પૂરી કરવા માટેનું તેનું સ્વપ્ન છે. આ ઉપરાંત ગામના લોકોને તે વ્યસન મુક્ત કરાવવા માંગે છે.
જબાનાએ પોતાના ગામ માટે તો ઘણા સ્વપ્ન જોયા છે, પરંતુ જો તેની વાત કરીએ તો તેનો જન્મ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના થરજૂણ ગામમાં જન્મેલી જબાનાનો જન્મ ગરીબ કુંટુંબમાં થયો હતો, તેમના પિતા ખેડૂત અને ભાઇ નેત્રહિન છે. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, તેથી તે શહેર જઇને ભણવા વિશે તો તે કલ્પના કરી શકે તેમ જ ન હતું, પોતાની ભણવાની ઇચ્છા અને જીવનમાં કંઇક બનવાની ધગશના કારણે તેણે મંડી નગરમાં કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન કર્યું. કોલેજ જવા માટે પણ તે રોજનું ૧૮ કિમી ચાલતી અને ૨ કિમી બસની સફર કરતી આમ, સફર કરતાં કરતાં ત્રણ વર્ષ કોલેજનું ભણતર પૂર્ણ કરીને, તેણે એક ન્યૂઝ પેપરની ઓફિસમાં તે ટાઇપિંગ શીખી અને ત્યાં જ ટાઇપિસ્ટની નોકરી કરી. થોડા સમય બાદ તેણે ત્યાંની લોકલ ન્યૂઝ ચેનલમાં નોકરી કરી.

ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો --- Major Wars of Indian History

🔰🎯💠👁‍🗨♻️🔰🎯💠👁‍🗨♻️
*ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો*
🔰🎯💠👁‍🗨♻️🔰🎯💠👁‍🗨♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👉ભારતીય પ્રજા હજારો વર્ષોથી ગુલામી અને યુધ્ધોન્માદ જોતી અને સહન કરતી આવી છે. વિશ્વના દરેક ખંડમાંથી આક્રમણકારો જુદીજુદી પ્રયુક્તિઓ યોજી ભારતીય પ્રજાને ફોસલાવીને પગ પસેરો કર્યા બાદ સમય જતા છટકું ગોઠવીને પાછળથી હુમલાઓ કર્યાનાં દાખલાઓ છે.

*🎯👉હજારો વર્ષોનો સમય ગાળો ધરાવતો ભારતીય યુધ્ધ ઈતિહાસમાં અનેક યુધ્ધો લડાઈ ચુક્યા છે. ભૂતકાળમાં લડાયેલા યુદધોની આટલી વિશાળ સંખ્યા જોતા તેમાંથી ફક્ત અમુક મહત્વના યુધ્ધો આ લેખ માટે પસંદગી કરવી એ ખુબ જ મુશ્કેલ અને માથાકુટીયું કામ છે. આમ છતા આ લેખમાં જે યુધ્ધોનો ઉલ્લેખ કર્યો છે એ યુધ્ધો એ ભારતીય ઈતિહાસને નવા ચિન્હો આપ્યા છે. જો આ યુધ્ધો ન લડાયા હોત તો કદાચ ભારતીય ઈતિહાસ જુદી જ રીતે લખાયો હોત. આ યુધ્ધો અને તેને લીધે ભારતીય ઇતિહાસમાં લાંબાગાળે કેવા પરિવર્તનો આવ્યા એ જાણ્વું રસપ્રદ બની રહેશે.*

*ઈ.સ. ૩૨૬ હાઈડેસ્પીજનું યુદ્ધ :👉* સિકંદર અને પંજાબના રાજા પોરસની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં સિકંદરની જીત થઈ હતી.

*ઈ.સ. ૨૬૧ કલિંગાની લડાઈ 👉:* સમ્રાટ આશોકએ કલિંગ પર આક્રમણ કર્યું હતું અને યુદ્ધમાં થયેલ રક્તપાતથી વિચલિત થઈને તેમણે યુદ્ધ ન કરવાનું પ્રણ લીધું હતું.

ટીપુ સુલતાન --- Tipu Sultan

👁‍🗨✅👁‍🗨✅👁‍🗨👁‍🗨✅👁‍🗨👁‍🗨✅
*♻️♻️♻️ટીપુ સુલતાન♻️♻️♻️*
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨👁‍🗨

*હૈદર અલીએ બળવો નહોતો કર્યો. મૈસૂરના રાજાને નિવૃત્ત કરી દીધા હત.*
👇👇👇👇👇👇👇

પહેલાં તો જોઈએ કે પૉપ્યુલર બિલીફ શું છે. ટીપુ સુલતાન વિશેની. ૧૭૫૦ની સાલ. મૈસૂરના લશ્કરનો એક અફ્સર હૈદર અલી એના વિશ્ર્વાસુ મિત્ર ખંડેરાવ સાથે, એક લડાઈમાં વિજેતા બનીને પાછો દેવનહલ્લી આવી રહ્યો છે. પાછા આવતાં જ હૈદરને સમાચાર મળે છે કે એની બેગમે એક પુત્રને જન્મ આપ્યો છે. નાનપણથી આ દીકરો પરાક્રમી છે. સહેજ મોટા થયા પછી એ ટીપુ તરીકે ઓળખાય છે. હૈદર પોતાના પુત્રને કહે છે કે ‘આપણા મૈસૂરનો, આપણા હિન્દુસ્તાનનો સૌથી મોટો શત્રુ અંગ્રેજ છે. આપણે એ અંગ્રેજો સામે લડવાનું છે. હું અલ્લાની મદદથી અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢી મૂકીશ.’ ટીપુ બાપુને વચન આપે છે: ‘હું એમાં તમારી મદદ કરીશ.’

રાષ્ટ્રીય પ્રાણી વાઘ --- National animal tiger

રાષ્ટ્રીય પ્રાણી
પ્રતાપી વાઘ, પાન્થેરા ટીગ્રીસ એ પટ્ટાવાળું પ્રાણી છે. તેને ઘેરા પટ્ટાઓ સાથે જાડી પીળા રંગની રૂંવાટીનું આવરણ છે.આકર્ષકતા,શક્તિ,ચપળતા અને પ્રચંડ બળે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીના ગૌરવભર્યા સ્થાન પર મૂક્યો છે.જાણીતી જાતોની આઠ લોકજાતિઓમાંથી,ભારતીય લોકજાતિ,રોયલ બંગાળ ટાઈગર,એ દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર સિવાય સંપૂર્ણ દેશમાં અને પડોશી દેશો,નેપાળ,ભુતાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે.ભારતમાં વાઘની ઘટતી જતી વસ્તીની ચકાસણી કરવા માટે,એપ્રિલ 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ નો આરંભ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં,આ પ્રોજેક્ટ હેઠળ 37,761 ચો.ફુટના વિસ્તારને આવૃત કરતા 27 વાઘ સંગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.

🎯

W.D
વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની શાન અને ગૌરવ છે.
લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ. આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.

India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

તિલકા માઝી -- Tilka Maszi

💠💠💠💠💠💠💠💠💠💠💠
સ્વાતંત્ર્ય સંગ્રામના સૌ પ્રથમ શહીદ ક્રાંતિકારી : તિલકા માઝી
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની આદિવાસી જનજાતિઓની ઉલ્લેખનીય ભૂમિકા રહી છે. સંથાલી હોય કે પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતની ભીલ જનજાતિ કે પછી પૂર્વીય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગોડ અને કોરકૂ વનવાસી, દેશના અન્ય અનેક વિસ્તારોમાં વનવાસી જનજાતિઓએ તત્કાલીન રાજાઓ અને સામંતો વિરુદ્ધ વિદ્રોહનાં બ્યૂગલ બજાવ્યાં હતાં, જે પાછળથી અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પરિણમ્યાં. વનવાસીઓ સાથેના સંઘર્ષમાં શક્તિશાળી બ્રિટિશ હુકૂમતને પણ અનેક વખત મોઢાની ખાવી પડી હતી.

ઝારખંડના છોટા નાગપુર અને સંથાલ પરગણાના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓમાં સિરસા મુંડા, સિદો કાન્હૂ, ચાંદ ભોરમ, બુદ્ધ ભગત, રઘુનાથ મંગૂ સહિત અનેક ક્રાંતિકારીઓ દ્વારા અંગ્રેજ શાસન વિરુદ્ધ શંખનાદ કરાયો હતો. આમાં સૌથી મહત્ત્વનું નામ એટલે ‘તિલકા માઝી.’ એ સમયે ઝારખંડ બિહારનો જ એક ભાગ હતું. આ પહાડી વિસ્તારમાં સંથાલ જાતિ અને અંગ્રેજ સેના વચ્ચે ભયંકર લડાઈ છેડાઈ ચૂકી હતી. એક તરફ સંથાલીઓમાં પોતાની ભૂમિ અંગ્રેજોના કબજામાંથી મુક્ત કરાવવાનું ઝનૂન હતું તો બીજી તરફ અંગ્રેજો પણ આ વિસ્તાર પર કબજો જાળવી રાખવા મરણિયા બન્યા હતા. અંગ્રેજ સરકાર કોઈપણ ભોગે અહીંની રાજમહેલ પહાડીઓ પર પોતાનો અધિકાર સ્થાપવા માંગતી હતી. પરિણામે અહીંની સંથાલ જાતિઓના વનવાસીઓએ વિદ્રોહ કરી દીધો, જેનું નેતૃત્વ તિલક માઝી નામનો વનવાસી યુવક કરી રહ્યો હતો. તેણે છાપામાર યુદ્ધ છેડી અંગ્રેજોને ભાગલપુર અને રાજમહેલની પહાડીઓ પરથી ભાગી જવા મજબૂર કરી દીધા. છેક ૧૭૭૧થી ૧૯૮૪માં આ વનવાસી યુવકે છાપામાર યુદ્ધ થકી અંગ્રેજ હુકૂમતના નાકમાં દમ કરી દીધો હતો.

APEC Summit

💥💥 APEC સમિટ💥💥

👉પૂર્ણ નામ- એશિયા પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન સમિટ 
👉હેડક્વાર્ટર્સ - સિંગાપોર
👉સ્થાપના - 1989

👉હેતુ - એશિયા-પેસિફિક દેશોના અર્થતંત્રો વચ્ચે વધતી જતી અાઘારિતતા અને એશિયા-પેસિફિક આર્થિક ગતિશીલતા અને સમુદાયની સમજ આગળ વધારવાની જરૂરિયાતને આધારે એપીઇસીની સ્થાપના કરવામાં આવી હતી.

👉કુલ દેશો - ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રુનેઈ, ચીલી, ચીન, તાઇવાન, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, જાપાન, કોરિયા, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, ફિલિપાઇન્સ, રશિયા, સિંગાપોર, થાઈલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ,પાપુઆ, ન્યુ ગિની વિયેતનામ. 
આ કુલ 21 દેશો છે

👉એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - એલન બોલાર્ડ
.
👉26 મી એપીઇસી સમિટ 2014 - બેઇજિંગ, ચીન

👉27 મી એપીઇસી સમિટ 2015 - મનિલા, ફિલિપાઇન્સ

મકરંદ દવે --- Makrand Dave

🌺🌻🌹🌷🌼🌸💐💐🌺🌻🌸
*મકરંદ દવેની મારી સૌથી પ્રિય રચનાઓ*
🌸🌼🌷🌹🌻🌺💐🌸🌼🌷🌻
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*મકરંદ દવેની આ સુપ્રસિદ્ધ રચના. એની પ્રથમ બે પંક્તિઓ જ મનને ભાવી જાય એવી હોય છે. આજકાલ બધું જ મારું-મારું થવા લાગ્યું છે ત્યારે કવિ પોતાને ગમતું હોય તે મોકળાશથી બીજાને વ્હેંચવાની વાત કરે છે.. જીવનની ક્ષણભંગુરતાને કવિએ ‘સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી’ કહીને ખુબ સુંદર રીતે રજૂ કરી છે.*

*👇👇ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
🙌🏻🙌🏻🙌🏻🙌🏻
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?