Saturday, September 28, 2019

નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્ ‘ --- Pandya Natwarlal 'Usanas'

🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
*💠💠નટવરલાલ પંડ્યા💠💠*
⭕️👇👇⭕️👇⭕️👇⭕️👇
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

પંડ્યા નટવરલાલ કુબેરદાસ, *‘આરણ્યક’,* *‘ઉશનસ’* 
કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી ડભોઈમાં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨ માં મ. સ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૫૭ સુધી ગાર્ડા કૉલેજ, નવસારીમાં તથા ૧૯૫૭થી આર્ટસ કૉલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી આચાર્ય. 
*💠👉૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ.*

*🔰૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. 🔰🎯૧૯૫૯માં કુમારચંદ્રક, 🎯🔰૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, 🎯🔰૧૯૭૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 🎯🔰🎯૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.*

🎯👉આધુનિકતાની સેર સાથે પરંપરાની અને પ્રતિશષ્ટતાની જે બળુકી સેર વહી એમાં આ કવિનું સત્ત્વશાળી પ્રદાન છે. એમની ખરબચડી અને બરછટ લાગતી બાનીનું કૌવત તેજસ્વી છે. અભિવ્યક્તિના સ્તરે આવતું કશુંક પ્રાકૃત એમની પ્રતિભાનો અંશ બની જતું કળાય છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય, પ્રવાસનાં અનુભવકેન્દ્રોમાંથી ઉત્ક્ષિપ્ત એમની રચનાઓની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે, છતાંય એની હૃદ્ય ભાષાસામગ્રીનું સંવેદન એકંદરે આકર્ષક છે. એમનું કાવ્યલેખન પ્રાયોગિક ભૂમિકાથી પ્રભાવક ભૂમિકા પર પહોંચી અંતે પ્રયોગશીલ ભૂમિકા ભણી વળતું જોઈ શકાય છે. 

28 Sep 2019 --- NC