Showing posts with label Place. Show all posts
Showing posts with label Place. Show all posts

Sunday, January 31, 2021

Akṣaradērī - અક્ષરદેરી

🏛🏛🏛🏛🏛🏛🏛🏛
*⛎⛎⛎અક્ષરદેરી⛎⛎*

🕍 *આગળ જતા અક્ષરદેરીનું માળખું(આકાર) જ BAPS (બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) નો સિમ્બોલ બન્યો.*

વસંત પંચમી એટલે શાસ્ત્રીજી મહારાજની જન્મજયંતી પણ સાથે  આ વર્ષે એટલેકે મહા સુદ પાચમ, સવંત ૨૦૭૩ના રોજ ગોંડલ અક્ષરદેરીનું ૧૫૧મુ વર્ષ શરું થવા જઈ રહ્યું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષરદેરી વિષેની થોડી વાતો આપણે જાણીશું તથા તેનો મહિમા સમજવાનો પ્રયાસ કરીશું

Friday, November 15, 2019

ઝારખંડ --- Jharkhand

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰🔘⭕️💠🔰🔘⭕️💠
*નવેમ્બર ૧૫, ૨૦૦૦ ના રોજ આ રાજ્ય બિહાર માંથી છુટું પડ્યું હતું*
*👁‍🗨👁‍🗨👁‍🗨ઝારખંડ👁‍🗨👁‍🗨*
🔰🔘💠⭕️🔰🔘💠♦️

*🎯👉ઝારખંડ ભારતના મધ્યપૂર્વ ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર રાંચી છે. નવેમ્બર ૧૫, ૨૦૦૦ ના રોજ આ રાજ્ય બિહાર માંથી છુટું પડ્યું હતું. ઝારખંડ તેની ભરપૂર ખનીજ સંપત્તિ માટે જાણીતું છે. ઝારખંડ રાજ્યમાં કુલ ૨૨ જિલ્લાઓ આવેલા છે.*

*👁‍🗨ઝારખંડ ધામ જે ઝારખંડી તરીકે પણ ઓળખાય છે, એક મંદિર છે. આ મંદિર ભગવાન શિવનું નોંધપાત્ર યાત્રાધામ છે, જે ભારત દેશના ઝારખંડ રાજ્યના ગિરિડીહ જિલ્લાના ધનવર નજીક આવેલ છે. તે ગિરિડીહથી આશરે ૫૫ કિ. મી. અને રાજધનવરથી ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ ધામની અનન્ય વિશેષતા છત વગરની ઇમારતો છે.*

Monday, August 19, 2019

વડનગર -- Vadnagar



⏹વડનગર:
                   વડનગરના કીર્તિતોરણનું શિલ્પકામ અને સજાવટ સિદ્ધપૂરના રુદ્રમહાલયના કોતરકામને મળતું આવે છે. જેમ્સ ફર્યુસન પોતાના પ્રાચીન કલા નામના પુસ્તકમાં લખે છે કે, ગુજરાતની શિલ્પકલા પ્રાચીન કીર્તિસ્તંભો ઉપરથી જાણી શકાય છે. બેમાંથી એક જૂનું તોરણ તૂટેલી હાલતમાં હતું અને તેને પુરાતત્વ વિભાગે પ્રાચીન શૈલી પ્રમાણે તૈયાર કરાવ્યુ છે.

પાલીતાણા -- Palitana



⏹ પાલીતાણા:
                       પાલીતાણા પાસેની 603 મીટર ઊંચા શેત્રુંજય પવૃતમાળા જૈન ધર્મના પ્રથમ તીથકર  ઋષભદેવ નું આ સ્થાનક મનાય છે.  આધુનિક યુગમાં બંધાયેલું 'સમવસરણ મંદિર' ગિરિરાજના તળેટીમાં આવેલું છે.  આ શહેર મંદિરોના શહેર તરીકે ઓળખાય છે.

લદાખ -- Ladakh



લદાખ એક સ્થળ છે જે ટ્રાવેલિંગના દરેક શોખીન લિસ્ટમાં ટોપ પર નથી. ઝંસ્કાર વેલી, ખારદંગ-લા-પા, પેંગોંગ લેક, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે લડાખમાં જોવાલાયક ખાસ સ્થળો છે. આજકાલ લદખ રોડ્રિપ પર જવાબો ટ્ર ખુન્ડ ખુબ મુકાયા છે.

સિદ્ધપુર -- Siddhpur



સિદ્ધપુર
અમદાવાદની ઉત્તરે ૧૦૩ કિ.મીત દૂર સિદ્ધપુર નામનું પવિત્ર નગર વસેલું છે. સરસ્વતી નદીના ડાબા કિનારે અને અનહિલવાડ પાટણના સામા પ્રવાહે ૨૪ કિ.મી દૂર અમદાવાદ પહેલાંની જુની ગુજરાતની રાજધાની ૧૫મી સદીના પહેલા ત્રિમાસે શોધાયું હતું. આ નગર મંદિરો, કુંડ, આશ્રમો અને અન્ય પવિત્ર મૂર્તિઓથી સજ્જ પ્રતિષ્ઠિત સ્થાન બન્યું છે. ૧૦મી સદીમાં સોલંકી શાસનમાં આ નગરની પ્રતિષ્ઠા અને કિર્તી તેની પરાકાષ્ઠા પર હતી. ગુજરાતના મહાન રાજા સોલંકી રાજવંશના સિદ્ધરાજ જયસિંહના નામ પરથી આ નગરનું નામ રાખવામાં આવ્યું છે.

Friday, August 9, 2019

પાટણ પટોળા --- Patan Patola



પટોળ એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ. પટોળા વિષેની દંતકથા એવી છે કે રાજા કુમારપાળ 12મી સદીમાં દૈનિક પુજા કરવા માટે રોજ નવો ઝભ્ભો પહેરવા દક્ષિણ મહારાષ્ટ્રના જૈનાના પટોળા ઝભ્ભા

મંગાવતા હતા. જ્યારે રાજાને ખબર પડી કે, જૈનાના રાજા વાપરેલાં કપડાં પાટણ મોકલે છે, ત્યારે તેમણે દક્ષિણ પર હુમલો કર્યો, દક્ષિણના રાજાને હરાવ્યો અને ત્યાંથી પટોળાના 700 વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યા. આ કુટુંબો પૈકીના માત્ર સાળવીઓએ આજે આ કારીગરી જાળવી રાખી છે.

પંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર --- Panchasar Parsvnath Jain Derasar


🔥પંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર પાટણના સોથી વધારે જૈન મંદિરોમાં સૌથી મોટા મંદિરો પૈકીનું એક છે અને સોલંકી યુગમાં જૈન ધર્મના કેન્દ્ર તરીકે પાટણની ભૂમિકાની યાદ દેવડાવે છે. 

🔥આ મંદિર જૈન સ્થાપત્યની લાક્ષણિકતા સમાન આધૂનિક કોતરણીકામ અને સફેદ આરસપહાણની ફરશો ધરાવે છે. 
🔥કપુર મહેતાના પાડાની પણ મુલાકાત લેવા જેવી છે, જ્યાં પથ્થરના મંદિરના અંદરના ભાગમાં કાષ્ટ કારીગરી છે. 
🔥એક  સમયે તમામ જૈન મંદિરો લાકડાનું સુંદર અને નાજુક કોતરણીકામ કરીને બનાવવામાં આવતા હતા. 
🔥એવું કહેવાય છે કે નિષ્ણાત સ્થપતિ ઉદા મહેતાએ એકવાર મંદિરમાં સળગતી મીણબત્તી મોંઢામાં લઇને જતા ઉંદરને જોયો, ત્યારે તેમને લાગ્યું કે ક્યારેક કોઈ હોનારતમાં વર્ષોની મહેનત બળીને ખાખ થઈ જશે, ત્યાર બાદ તમામ મંદિરો પથ્થરોમાં કોતરવાનો આગ્રહ રાખ્યો હતો.


તાજમહેલ --- Taj Mahal

જાણો તાજ મહેલ વિષે મજેદાર વાતો
 નો ઈતિહાસ

૧૬૩૧ માં શાહજહાં એ તેની પત્ની મુમતાઝ ની યાદ માં ૩૭ અનુભવી કસ્બીઓ ના માર્ગદર્શન હેઠળ ૨૦,૦૦૦ ચુનંદા કારીગરો વડે આગ્રામાં બનાવ્યો. તે ૧૬૫૪ માં ૨૨ વર્ષે સંપુર્ણ કામ પૂરું થયુ.


આગ્રાથી ૩૨૨ કીલોમીટર દુર મકરાણા નો રાજસ્થાની આરસપહાણ મેળવવા ૧૮૦૦ મજૂરોએ ખાણ ખોદકામ કરી ૨.૨૫ ટનના આરસના ચોસલા આગ્રા લાવવા ૧,૦૦૦ હાથી રોક્યેલા .યમુના નદીના કિનારે ૬.૭ મીટર ઉંચા ૯૫ ગુણ્યા ૯૫ મીટરના આરસના પ્લેટફોર્મ પાર બાંધકામ શરુ થયા પછી ૩૯.૫ મીટર ઉંચા ચાર મિનારાવાળો અને ૬૫.૫ મીટર ઉંચો ગુંબજવાળો તાજ મહેલ બનતા ૨૨ વર્ષ લાગ્યા. તેમાં આરસપહાણનો ૯,૪૦,૦૦૦ ઘન મીટર જથ્થો વપરાયો .


તાજમહેલ માં બગદાદથી આરસપહાણ પાર મરોડદાર અક્ષરો કોતરનાર કારીગરો આવ્યા, મધ્ય એશિયા ના બુખારા નગરમાંથીએક શિલ્પીને આરસપહાણ ના ફૂલો કોતરવા બોલાવ્યો ,વીરાટ કદ ના ગુંબજો બાંધવા ખાસ તુર્કીના ઇસ્તમ્બુલ થી કારીગરો બોલાવ્યા ,સમરક્નદ થી મિનારનો ખાસ કારીગર આવ્યો અને માસ્ટર કડીયો અફઘાનિસ્તાન ના કંદહારનો આવ્યો હતો.

નાગાસાકી દિવસ -- Nagasaki Day



💁🏻‍♂ આજે છે નાગાસાકી દિવસ

▪️ 9 ઓગસ્ટ, 1945 માં અમેરિકાએ જાપાન ના નાગાસાકી પર 6. 4 કિલોનો ફૈટ મેન નામનો બોમ્બ ફેંક્યો હતો .

▪️ આ બોમ્બ નાખવામાં આવ્યો ત્યારે 43 સેકન્ડ બાદ જમીન થી 1540 ફુટની ઉંચાઈ એ બોમ્બ ફુટયો અને તેમાંથી 21 કિલોટન TNT બરાબર વિસ્ફોટ થયો .

▪️ જમાં તાત્કાલિક થયેલા મુત્યુ ની સંખ્યા નો અંદાજ 40,000 થી 75,000 ની વચ્ચે હતો .

▪️ 1945 ના અંત સુધીમાં આ આંકડો 80,000 પર પહોંચી ગયો તેથી આ દિવસ ને નાગાસાકી દિવસ તરીકે ઉજવાય છે .

જમ્મુ - કાશ્મીર --- Jammu - Kashmir


💁🏻‍♂ ૧૨મી શતાબ્દિ સુધી જ્મ્મુ - કાશ્મીર એક પૂર્ણ હિંદુ રાજ્ય રહ્યુ હતુ


▪️૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું
૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન ઇસ્લામનું આગમન થયું હતુ.

Tuesday, August 6, 2019

હિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલો ---- Atomic attack on Hiroshima and Nagasaki

💣🛡💣🛡💣🛡💣🛡💣🛡💣🛡
હિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલો
💣⚔💣⚔💣⚔💣⚔💣⚔💣⚔
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨💣હિરોશિમા ઉપર👉 લિટલ બૉય 

💣👁‍🗨નાગાસાકી ઉપર 👉ફૅટ મૅન

💣🌀1945માં બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કા દરમ્યાન, યુનાઈટેડ સ્ટેટ્સે જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર બે અણુબૉમ્બ ઝીંકયા હતા. 

💣🌀જાપાનનાં 67 શહેરો પર સતત છ મહિનાઓ સુધી સઘન વ્યૂહાત્મક અગન-ગોળાઓના વરસાદ પછી પણ, જાપાન સરકાર 📢પોટ્સડેમ ઘોષણાપત્ર 📢દ્વારા આપવામાં આવેલા આખરી કહેણને અવગણી રહી હતી. 🔷રાષ્ટ્રપ્રમુખ
હૅરી એસ. ટ્રુમૅનના વહીવટી આદેશથી, ઑગસ્ટ 6, 1945ના, સોમવારના યુનાઈટેડ સ્ટેટ્સે
💣🗣હિરોશિમા શહેર પર " લિટલ બૉય " નામનું
અણુશસ્ત્ર ઝીંકયું, અને તેના પછી 💣🌀ઑગસ્ટ 9ના
નાગાસાકી પર " ફૅટ મૅન " નામના અણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો. યુદ્ધમાં અણુશસ્ત્રો સક્રિયપણે વપરાયાનું એક માત્ર ઉદાહરણ આ બે ઘટનાઓ જ છે. 

Friday, August 2, 2019

ગાંધીનગર -- Gandhinagar

🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨ગાંધીનગર👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
🔘🔘ગુજરાત રાજ્યનું પાટનગર🔘
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉સાબરમતી નદીના કિનારે ચીમનભાઇ પટેલ ની સમાધિ 'ર્નમદા ઘાટ' આવેલ છે.(સરિતા ઉધ્ધાન)

👁‍🗨ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. 
👁‍🗨ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. 
👁‍🗨ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી.
👁‍🗨 ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇ હતા. 
🎯શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું. 

કોણાર્ક નું સૂર્યમંદિર, ઓડિશા -- The Solar Temple of Konark, Odisha

Raj Rathod, [02.08.19 19:24]
[Forwarded from Hiren Bharwad (Hiren Bharwad)]
[ Photo ]
અતુલ્ય  ભારત 🇮🇳

🌞 કોણાર્ક નું સૂર્યમંદિર, ઓડિશા

🌝 ત 13 મી સદીમાં ગંગવંશના મહાન શાસક રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું છે.

🌞 આ મંદિરને 1984 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યું છે.

🌝 આ મંદિરને તેના ઘેરા રંગને કારણે 'બ્લેક પેગોડા' તરીકે પણ ઓળખાય છે.

✍️ હિરેન ભરવાડ ©

લોક સાહિત્યમાં દુહા અને કહેવતો માં સચવાયેલા નગરો અને સ્થળનામો --- Towns and places preserved in folk literature Doha and proverbs

Raj Rathod, [02.08.19 09:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*🎯🙏🙏મિત્રો આં લેખ ખાસ વાંચજો. ફકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં. જીવનમાં ઘણું બધું એવું હોય છે જે માણવા જેવું પણ હોઈ છે.😊અને આં સ્વાદ અને રસ માણવા જેવો છે. કાઠિયાવાડી ભાષામાં કહું તો આં લાહવો લેવા જેવો છે.🎯*
🎉🎊🎊🎉🎉🎉🎉🎊🎉🎉
*લોકસાહિત્યમાં દુહા અને કહેવતોમાં સચવાયેલાં નગરો અને સ્થળનામો*
🎉🎉🎊🎊🎉🎉🎉🎉🎉🎉🎊
https://telegram.me/gyansarthi

💠❇️🎯સૌરાષ્ટ્ર, કચ્છની પથરાળ ભોમકાનું લોકસાહિત્ય પણ ત્યાંના મનેખ જેવું પાણીદાર છે. ભાતીગળ છે. અનેક પ્રકારો અને વિશેષતાઓથી વીંટળાયેલું છે. ચાર ચરણના પાંખાળા દૂહા કે પછી સોરઠા, છકડિયા ને સમસ્યાઓ હોય, આ બધામાં જુદાજુદા પંથકોનાં ભૌગોલિક નામો, શહેરોનાં નામો, એની પ્રાદેશિક વિશેષતાઓ અને લક્ષણો, ધીંગી ધરાના વૃક્ષો-વનરાજિ, અઢાર ભાર વનસ્પતિ, એનાં ડુંગરા, ફૂલવાડીઓ, નદીઓ, સરોવરો, રસાળ ધરતી પરનું ઋતુ સૌદર્ય, પાકતાં ધનધાન્ય, પટાધર પુરુષો, શીલ અને સૌંદર્યથી શોભતી પદણિનારીઓ, જે તે નગરની વખણાતી ચીજ-જણસો, એ મુલકના માયાળુ માનવીઓની ભક્તિ, શક્તિ, નેકી, દિલાવરી, દાતારી, વીરતા, દેગતેગની વાતું, ઉમદા આતિથ્ય સત્કાર, માનવ સ્વભાવ, એના લક્ષણો, અપલક્ષણો પર ઠીકઠીક પ્રકાશ પાડે છે. લોકસંસ્કૃતિને સમજવા મથનારે એનો ઊંડો અભ્યાસ કરવો જોઇએ. અહીં લોકસ્મૃતિમાં દૂહા-સમસ્યા રૂપે સચવાયેલાં ગુજરાત અને રાજસ્થાનનાં સ્થળનામો જોઇએ.

Saturday, July 20, 2019

ભરૂચ --- Bharuch

🇮🇳🔘🔰🎯🇮🇳🔘🔰🎯🇮🇳🔰🔘
*ગુજરાતનું ભવ્ય ઐતિહાસિક શહેર ભરૂચ*
🔰🇮🇳🔘🎯💠🇮🇳🔰🔘🎯💠🇮🇳
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
(ભાગ 1)
*“ભાંગ્યું ભાગ્યું તોય ભરૂચ”*

*👆👉આ પંક્તિમાં ભરુચની જાહોજલાલીનો ખ્યાલ આવી જાય છે. અનેક ઝંઝાવાતો વચ્ચે પણ ભરૂચ એ સતત અડીખમ રહેલું શહેર છે. ભરૂચે કયારેય એનું સાતત્ય અને જીવંતતા ગુમાવી નથી , અને કેમ ના હોય !!!! ભરૂચ એ ગુજરાતની જીવાદોરી, ગુજરાતની સૌથી મોટી નદી અને ગુજરાતની માતા
નર્મદા નદીને કિનારે વસેલું એક ઐતિહાસિક શહેર છે. નર્મદાના સામે કિનારેથી નિહાળો તો ભરૂચ તમને ભગવાન રામના ધનુષ જેવું લાગશે !!!!!*

*🤜ભરૂચની ગલીઓ એ એના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. આજે તો ભરૂચ એક આધુનિક શહેર બની ગયું છે .* *🤜ભૃગુઋષિની તપોભૂમિ ભૃગુતીર્થ આજનું ભરૂચ બલિરાજાના સમયકાળ જેટલું પ્રાચીન અને ભગવાન વામનની અવતા૨ી લીલાની યાદ તાજી કરાવે છે. જૂના જમાનામાં મકકાના બારા બાબુલ તરીકે જાણીતું હતું. મકકા હજ ક૨વા જનારાઓ ભરૂચથી આવતા જતાં હોવાથી મુખ્‍ય વ્‍યાપારી કેન્‍દ્ર તરીકે વિકસિત થયું અને ફવિડ સંસ્‍કૃતિનાં સમયમાં ભૃગુકચ્‍છ બંદ૨ તરીકે જાણીતું હતું. પાલી ભાષામાં લખાયેલી બૌદ્ધ જાતક કથાઓમાં ૫ણ ભૃગુકચ્‍છ બંદ૨ની વિખ્‍યાત જાહોજલાલીનાં ઉલ્લેખ મળે છે.*

પાકિસ્તાની સિંધુ નું હિંદુ રજવાડું અમરકોટ --- Amarkot, the Hindu kingdom of the Sindhu of Pakistan

⭕️💠🎯🔰🔘⭕️💠🎯🔰🔘⭕️
*પાકિસ્તાની સિંધનું હિંદુ રજવાડું અમરકોટ*
👁‍🗨💠🎯🔰👁‍🗨💠🎯🔰👁‍🗨💠🎯

બહુ માન્યામાં આવે નહીં, પણ વાત જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જમ્મુ-કાશ્મીર વિશેની સંશોધન સંસ્થાના પ્રકાશનમાં કહેવાઈ હોય ત્યારે એને કાન તો દેવા પડે. ૯૦ ટકા કરતાં વધુ હિંદુ વસતી ધરાવતા દેશી રજવાડાના હિંદુ રાણાએ બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા પડ્યા ત્યારે ભારતની લાખ કોશિશ છતાં પાકિસ્તાન સાથે જવાનું પસંદ કર્યું હતું. રાણાને સમજાવવા ૧૯૪૬માં કોંગ્રેસના નેતા જવાહરલાલ નેહરુ ગયા હતા, પણ રાજાએ તો ચોખ્ખું સુણાવ્યું કે અમે કોંગ્રેસ સાથે નહીં રમીએ, પણ કોંગ્રેસ સામે મુસ્લિમ લીગ સાથે રહીને તમારી સાથે ટકરાઈશું જરૂર.

સિંધના થરપારકરના અમરકોટ રજવાડાના રાણા અર્જુનસિંહ અને ચંદરસિંહ સોઢાની આ વાત છે. ૧૯૪૭માં પિતા અને અમરકોટના ૨૪મા રાણા અર્જુનસિંહનો દેહાંત થયો એટલે ભારત કે પાકિસ્તાનમાં વિલયનો નિર્ણય કરીને હસ્તાક્ષર કરવાની જવાબદારી ૨૫મા રાણા ચંદરસિંહની આવી. ૨૦૦૯માં એમનું મૃત્યુ થયું અને અત્યારે ૨૬મા રાણા તરીકે એમના પાટવી કુંવર હમીરસિંહ ગાદી સંભાળે છે. હમીરસિંહના યુવરાજ કરણીસિંહ સોઢા ઈંગ્લેન્ડમાંથી વકીલાતની પદવી લઈને સિંધમાં રજવાડાનો કારોબાર સંભાળવાની સાથે સાથે શિકારનો શોખ પણ પોષે છે. આખા ખાનદાનને પાકિસ્તાન સાથે ભળવાનો કોઈ કડવો અનુભવ આજ લગી થયો હોય એવું જણાતું નથી. ઊલ્ટાનું, આજેય અમરકોટ હિંદુબહુલ પ્રદેશ છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે એખલાસનો માહોલ છે અને રાણા પરિવાર માને છે કે અમારા લગ્ન કે અન્ય પ્રસંગે અમારી સાથે મુસ્લિમ મિત્રો-સાથીઓ અને એમને ત્યાં શાદી-નિકાહ સહિતના પ્રસંગે અમારી હાજરી જાણે કે અનિવાર્ય છે.

Friday, July 19, 2019

દિલ્હી --- Delhi

🔶🛡🔷🔶🛡🔷🔶🛡🔷🔶🛡
*💠⭕️💠દિલ્હી⭕️💠⭕️*
*👁‍🗨👁‍🗨ભારતની રાજધાની👁‍🗨👁‍🗨*
🛡🔶🔷🛡🔶🔷🛡🔶🔷🛡🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*દિલ્હી - સ્થાનિક રીતે દિલ્લીના અને નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (National Capital Territory of Delhi - NCT)ના અધિકૃત નામથી પણ જાણીતું દિલ્હી એ 💠ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું મહાનગર છે. આશરે 159 લાખ રહેવાસીઓ ધરાવતું આ શહેર વસ્તીની દષ્ટિએ 👁‍🗨♦️વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર છે.*

♻️✅👁‍🗨એનસીટી(NCT)ની નજીક વસેલા કેટલાક શહેરી વિસ્તારો સમાવતાં શહેર માટે પણ સામાન્ય રીતે દિલ્હી નામ વાપરવામાં આવે છે, તેમ જ ભારતની રાજધાની નવી દિલ્હી, જે એનસીટી(NCT)ની અંદર વસેલી છે તેના માટે પણ દિલ્હી નામનો જ ઉપયોગ કરવામાં આવે છે. એનસીટી(NCT) એ સમવાયી વહીવટ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છે.

💠Capital formation 1911
✅Formation of Union Territory 1956

Get Way of India

⭕️🔘💠♻️👁‍🗨💠🔰⭕️🔘🔰💠
*🏛🏛ગેટ વૅ ઓફ ઇન્ડિયા🏛🏛*
♻️👁‍🗨💠🎯🔰🔘🇮🇳🔰💠♻️👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👉 **ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વિન મેરીના ભારત ની મુલાકાતે* મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*

❇️🎯❇️મુંબઈ સ્વપ્ન નુ શહેર છે જ્યાં ફેશન, આકર્ષક જીવનશૈલી, બોલીવુડ અને ખુબ પ્રસિદ્ધ સિને કલાકારોના ઘર રૂપે ઓળખાય છે. સીધા શબ્દ માં કહીએ તો મુંબઈનું સ્વપ્ન અમેરિકાના સ્વપ્ન સમાન છે. મુંમ્બઈ દેશના બાકી હિસ્સાથી રોડ, રેલવે, સમુદ્ર અને હવાના માધ્યમે સારી રીતે જોડાયેલ છે.

*🏛મુંબઇ મહારાષ્ટ્રની રાજધાની શહેર છે. આ શહેર લોકોના સ્વપ્ન પુરા કરવા માટે ઓળખાય છે. લોકો આને ‘ડ્રીમ સીટી ઓફ ઇન્ડિયા’ ના નામે પણ જાણે છે. અહી જોવાલાયલ અનેક નાના મોટા સ્થળો છે. પણ ગેટવે ઓફ ઇન્ડિયા પણ રોચક છે.*

Tuesday, July 16, 2019

વીરાંજલી વન --- "Virangli Forest"

તા ૧૬-જુલાઈ રવિવાર નારોજ ૬૮ મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ
સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવ ખાતે વીરાજંલી વનનું
લોકાર્પણ કરાશે
રાજ્યમાં નિર્માણ પામેલા વનોની શ્રુંખલામાં “વીરાજંલી વન” નો ઉમેરો
૧.૦૮ લાખ રોપા-વૃક્ષ છોડનું વાવેતર
સાંસ્ક્રુતિક વનો-ઔષધ નર્સરી પ્રવાસીઓ માટે મુલાકાતનું સ્થળ બનશે“વન” શબ્દ ફક્ત વૃક્ષાદિત વિસ્તાર જ નથી પરંતુ વનની ઉપયોગિતા જોતા તેનો અર્થ ઘણો વિસ્તૃત છે. કૂદરતી રીતે સર્જિત વિસ્તાર કે જ્યાં માનવ હસ્તક્ષેપ ના હોય અથવા નહીવત હોય અને જ્યાં જળચર, થળચર અને નભચર, નાનાં-મોટા પ્રાણીઓ તેમજ વિવિધ પ્રકારની વનસ્પતિ ઘાસ,વેળા, છોડ, ક્ષુપ, વૃક્ષ વગેરે એક બીજા પર નિર્ભર સહ અસ્તિત્વ ધરાવે તેને પરિસરીય દ્રષ્ટીએ “વન” કહેવાય છે. 
આવા વનોની જતન-સંવર્ધન અને સુરક્ષાને ગુજરાત સરકારે અગ્રીમતા આપી છે. રાજ્યના નાગરિકો વન પ્રત્યે આકર્ષાય, તેના જતન માટે જાગૃતિ આવે અને પ્રવાસનની દ્રષ્ટિએ પણ તેનો વિકાસ થાય તેવા આશયથી સ્થાનિક મહત્વ તથા આસ્થાને ધ્યાને રાખીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વન ઉભા કરાયા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ખાતે રાજ્યનું ૧૭મું એવું “વીરાજંલી વન” બનાવાયું છે. 
અપાર કૂદરતી સૌદર્ય અને વનરાજી વચ્ચે વન સૌદર્યને વધુ નિખારતા “વીરાજંલી વન”ને રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તા- ૧૬મી જુલાઈના રોજ ખુલ્લુ મુકશે.