Wednesday, February 27, 2019

ચંદ્રશેખર આઝાદ ---- Chandrasekhar Azad

♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️♻️♦️
કઈંક આવા હતા આઝાદીના દિવાના આઝાદ!
👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨ભારતનો ઈતિહાસ આ વાતનો સાક્ષી છે કે અહીં કેટલાય મહાપુરુષો થઈ ગયા, જેમણે દેશ માટે પોતાનો જીવ ધરી દીધો. તેમનામાંથી જ એક છે ચન્દ્રશેખર આઝાદ, જેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં રામ પ્રસાદ બિસ્મિલ અને સરદાર ભગત સિંહ સાથે અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી 27 ફેબ્રૂઆરીના દિવસે અલાહાબાદના અલ્ફ્રેડ પાર્કમાં ગોળીબારી વચ્ચે તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. તે સમયે તેઓ તેમના મિત્ર સુખદેવ રાજ સાથે મળ્યો.

👁‍🗨👉ચંદ્રેશખરના માતા તેમને સંસ્કૃત ભાષામાં પારંગત બનાવવા ઇચ્છતા હતા. આથી તેમના પ્તિાએ ચંદ્રશેખરને કાશી વિદ્યાપીઠ બનારસ ખાતે અભ્યાસ અર્થે મોકલ્યા. 
👉ડિસેમ્બર ૧૯૨૧માં જ્યારે ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું ત્યારે ૧૫ વર્ષના ચંદ્રશેખર તેમાં જોડાયા. આથી તેમની ધરપકડ કરવામાં આવી. 

👉જ્યારે મેજીસ્ટ્રેટ સમક્ષ તેમને રજુ કરવામાં આવ્યા ત્યારે તેમને પોતાનું નામ આઝાદ કહ્યું, પિતાનું નામ સ્વતંત્રતા કહ્યું અને ઘર જેલને કહ્યું. ત્યારથી લોકો તેમને આઝાદ તરીકે ઓળખવા લાગ્યા.