Thursday, December 12, 2019

યુવરાજ સિંહ -- Yuvraj Singh

🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
*આજે મારા નામેરીનો 36મો જન્મ દિવસ*
⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પોતાના 36માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર રહેલા યુવરાજ સિંહની વાપસી હવે મુશ્કેલ છે પરંતુ તેને આશા છોડી નથી. 2011 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હીરો રહેલા યુવરાજની ક્રિકેટ કારકિર્દી પૂર્ણ થવા પાછળ એમએસ ધોનીનો હાથ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે તેને કેટલાક ખેલાડીઓની કારકિર્દી પૂર્ણ કરી, જેમાં યુવી પણ છે. યુવરાજના પિતા યોગરાજ સિંહ પણ ધોની પર તેના પુત્રની કારકિર્દી ખરાબ કરવાનો આરોપ લગાવી ચુક્યા છે.*

*🏏🏏ધોની નહીં, આ હતુ કારકિર્દી પર બ્રેક લાગવાનું કારણ*

- યુવરાજ સિંહ 2011 વર્લ્ડકપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો, તેને 9 મેચમાં 90.5ની એવરેજથી 362 રન બનાવ્યા હતા, તેને 15 વિકેટ પણ ઝડપી હતી.
- સિરીઝ દરમિયાન યુવરાજને કેટલીક વખત લોહીની ઉલ્ટી પણ થઇ પરંતુ તે ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડવાના મિશનમાં લાગેલો રહ્યો હતો.
- 2 એપ્રિલ, 2011માં ટૂર્નામેન્ટ પૂર્ણ થતા જ યુવરાજ સાથે ફેન્સ માટે પણ તેને કેન્સરના સમાચાર ઝટકાથી ઓછા નહતા.
- વર્લ્ડકપ બાદ યુવરાજ પોતાની સારવારમાં જોડાઇ ગયો હતો, યુવી અમેરિકા ગયો હતો, યુવરાજની આ બીમારીને કારણે તેની કારકિર્દી પર બ્રેક લાગી ગઇ હતી.
- વર્લ્ડકપ બાદ યુવરાજ જે ફોર્મમાં હતો, તેને રોકી શકવો આસાન નહતો. બીમારીને કારણે તેની લય તૂટી અને કારકિર્દી પર આશરે 20 મહિના લાંબી બ્રેક લાગી ગઇ હતી.

12 Dec

♦️🔶🔷✅⭕️💠♦️🔶🔷✅⭕️
*🔰ઈતિહાસમાં ૧૨ ડિસેમ્બરનો દિવસ*
🔶🔷♦️✅⭕️🔷🔶♦️✅⭕️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*📡ટ્રાન્સએટ્લાન્ટિક રેડિયો સિગ્નલ📡*

રેડિયો સંદેશા વ્યવહારના શોધક ગુલિલિયો માર્કોનીએ 1901 ની 12 ડિસેમ્બરે શક્તિશાળી રેડિયો સિગ્નલ આયર્લેન્ડથી કેનેડા સુધી પહોંચાડ્યું હતું . જોકે આ પહેલા જગદીશચંદ્ર બોઝે તેનો સફળ પ્રયોગ કર્યો હતો .

*⏳⌛️દિલ્હી રાજધાની બની⌛️⌛️*

વર્ષ 1911 ની 12 ડિસેમ્બરે અંગ્રેજોએ ભારતની રાજધાની તરીકે દિલ્હીની જાહેરાત કરી હતી . ત્યાર સુધી અંગ્રેજોએ કલકત્તાથી ભારતનો વહીવટ કર્યો હતો . દિલ્હીને રાજધાની બનાવવાની જાહેરાત ઇંગ્લેન્ડમાં કરાઈ હતી .

*🛢🛢દેવ્યાની ખોબ્રાગડેનો વિવાદ🛢*

વર્ષ 2013 ની 12 ડિસેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય ડેપ્યૂટી કોન્સલ જનરલ દેવ્યાની ખોબ્રાગડેની વિઝા છેતરપિંડી સહિતના ગુનામાં ધરપકડ કરાઈ હતી . આ ઘટનાથી ભારત - અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ ઊભો થયો હતો .

Gaurishankar Joshi -- ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'

Dhumketu
Writer

Description

Gaurishankar Govardhanram Joshi, better known by his pen name Dhumaketu was a Gujarati language writer, who is considered one of the pioneers of the Gujarati short story. He published twenty-four collections of short stories, as well as thirty-two novels on social and historical subjects, and plays and travelogues. Wikipedia
Born12 December 1892, Virpur
Died11 March 1965