Monday, June 17, 2019

Rani lakshmibai

જ્ઞાન સારથિ, [17.06.19 12:27]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡

*રાણી લક્ષ્મીબાઈ : રાષ્ટ્ર માટે દુર્ગા સ્વરૂપ*

🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡

*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial


*🇮🇳🇮🇳🇮🇳દર વર્ષે પંદરમી ઓગષ્ટે 26 જાન્યુઆરી આપણે રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ પરંતુ આપણી સ્વતંત્રતા લાવવા માટે ભારતની પ્રજાએ અનેક બલિદાનો આપ્યા છે. નામી-અનામી અનેક ક્રાંતિવીરો શહીદોના રકતથી આઝાદીનો ઇતિહાસ લખાયો છે. માતૃભૂમિની સ્વતંત્રતા જ જેમનું જીવન લક્ષ્ય હતું એ ક્રાંતિકારીઓ પરમ વંદનીય... પૂજનીય છે.*


*🇮🇳♻🇮🇳♻🇮🇳🇮🇳સવતંત્ર ભરતના પ્રત્યેક સંતાને એમને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરવા જોઇએ. એમના મહાન સમર્પણની પાછળ સાહસ, શૌર્ય, અને ધૈર્ય હતાં. એમણે અપાર કષ્ટો સહન કર્યા... પણ મુખમાંથી 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના જય ઘોષ જ નીકળ્યા.*


👁🗨✅આ ક્રાંતિવીરોના પ્રેરક જીવન-કથનથી યુવા પેઢીએ સુજ્ઞાત થવું જોઇએ. અહીં ક્રાંતિવીર ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના પ્રેરક જીવનથી વર્તમાન પેઢી તે તેમની દેશભકિતથી અવગત કરવાનો પ્રયત્ન કરાયેલ છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની બે ધારાઓમાં સશષા ક્રાંતિજંગની ચિનગારી ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવથી પ્રગટી હતી. *૧૮૫૭ના વીર નાયકો નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, વિગેરેમાં તેજસ્વિની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ છે. નાની વયમાં જ તે પ્રખર બુદ્ધિમતી, રણનીતિ કુશળ અને રાજય વહીવટમાં અત્યંત દક્ષ હતાં. ભારતના ઇતિહાસમાં બ્રિટિશ સલ્તનતને હફાવનાર બ્રાહ્મણ વીરાંગના રાણી લક્ષ્મીબાઇનું બલિદાન સદા અવિસ્મરણીય રહેશે.*


*🔷🇮🇳♦ભારતની પવિત્ર ભૂમિ વારાણસી-કાશીમાં ચીમનાજી આપ્યા પેશ્વાના રસાલામાં એક દંપતિ હતું... મોરોપંત તાંબે અને તેમના પત્ની ભાગીરથી બાઇ આ દંપતિને ત્યારે ખ્યાલ ન હતો કે તેઓનું નામ ઇતિહાસને પાને અમર બનશે.*

💠👉 ઇ.સ. ૧૮૩૫ના નવેમ્બરની ૧૯મી તારીખે નામ *મનુબાઇ હતું.* એક જયોતિષીએ કહ્યું હતું કે 'આ છોકરી રાજલક્ષ્મીથી અલંકૃત થઇને ઐશ્વર્ય પામશે! કોણ માને આ ભવિષ્ય વાણી, અકિંચન બ્રાહ્મણની પુત્રી માટે? મનુ બાળપણથી જ સુશીલ, ચતુર અને સ્વરૂપવાન હતી. તેટલી જ સ્વાભિમાની અને કુશાગ્ર બુદ્ધિજીની હતી. મનુભાઇ ચાર વર્ષની થઇ ન થઇ ત્યાં તો માતાનું અવસાન થયું અને પુત્રીનો બધો જ ભાર પિતા મોરોપંત પર આવ્યો.


*👁🗨✅મનુબાઇ પિતાને મન પુત્રથી પણ અધિક હતી. બાળપણમાં તેને ભારતની શ્રેષ્ઠ નારીઓના જીવન ચરિત્રોની કથા તેઓ કહેતા અને તેના ચરિત્રનું ઘડતર કરતાં. તેણીને મરાઠી, સંસ્કૃત અને હિન્દી ભાષાનું જ્ઞાન પણ તેમણે આપ્યું. મનુબાઇનું બાળપણ પેશ્વા બાજીરાવના દસક પુત્ર નાના તથા રાવસાહેબ સાથે પસાર થયું હતું.*

🗡⚔🛡 તની સુંદરતા અને ચપળતાના કારણે તે સૌના આકર્ષણનું પાત્ર બની. તેનું હુલામણું નામ છબીલી પડયું. પિતાએ મનુને તલવારબાજી, ઘોડેસવારી અને બંદૂકથી નિશાન તાકવામાં કૌશલ્ય પ્રાપ્ત કરાવ્યું હતું.


*⛏⚔👁🗨મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા ત્યારે ગંગાધર રાવની ઉંમર ૪૦ વર્ષની હતી અને મનુ ફકત ૧૩ થી ૧૪ વર્ષની હતી. આ નાનકડી કિશોરી સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવની પત્ની બની. સામાન્ય બ્રાહ્મણની પુત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ બની. ૧૯મી સદીની શરૂઆતમાં અંગ્રેજો વ્યાપાર અર્થે ભારત આવ્યા હતાં. પરંતુ ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિ જોઇ તેઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને નામે રાજકીય શાસન ક્રમશઃ પ્રાપ્ત કરવાની શરૂઆત કરવા માંડી હતી.⛓⛓ લગ્ન થયા પહેલા ગંગાધર રાવને શાસનનો અધિકાર ન હતો. જે લગ્ન બાદ મળ્યો પરંતુ ત્યારે કંપની સરકાર સાથે એક કરારનામું થયું ઝાંસી રાજયે આપવો પડશે. ગંગાધર રાવને આ વાત ખટકી છતાં સ્વીકાર્યા વિના છુટકો ન હતો. તેણે એક ઇલાકો અંગ્રેજોને લશ્કરના નિભાવ માટે આપી દીધો. પ્રજાને પોતાનો પ્રદેશ ખંડિત થયો તે વાત ખટકી. રાણી લક્ષ્મીબાઇ આ બધું નિહાળતી, કયારેક કટાક્ષ પણ કરી લેતી. તે મહેલમાં પોતાની સાહેબીઓને શારીરિક તાલીમ આપતી હતી. રાજાનો રંગભૂમિનો પ્રેમ તેને ખટકતો હતો. તેણીને રણભૂમિ પ્રત્યે પ્રેમ હતો. તેણી માનતી કે દેશને ત્યારે રસિકતાની નહિં, પણ વીરત્વની જરૂર હતી.*


✅🙏ઇ.સ. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઇએ એક પુત્રને જન્મ આપ્યો. ઝાંસીન ભાગ્ય બે ડગલાં આગળ હતું. ફકત ત્રણ માસનું આયુષ્ય ભોગવી લક્ષ્મીબાઇનું બાળક અવસાન પામ્યું. *સન ૧૮૫૩માં ગંગાધર રાવ અને લક્ષ્મીબાઇએ આનંદરાવ નામનો તેમની જજ્ઞાતિનો એક બાળક દતક લીધો. તેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું. ૧૮૫૩માં ગંગાધર રાવનું અવસાન થયું. માત્ર ૧૮ વર્ષની અનુભવહીન લક્ષ્મીબાઇ વિધવા થઇ. તેના શિર પર એક અરક્ષિત રાજયની જવાબદારી હતી અને બીજુ બાજુ તેના હાથમાં નાનકડો દતક પુત્ર હતો. એક બાજુ ડેલહાઉસી તેનું રાજય ખાલસા કરવા ટાંકી રહ્યો હતો. સન ૧૮૫૩માં ડેલહાઉસીનો હુકમ આવ્યો, 'કંપની સરકાર સ્વ. ગંગાધર રાવના વારસ તરીકે દામોદર રાવને દતક લેવાનો અધિકાર આપી શકતી નથી. તેથી ઝાંસીને બ્રિટિશ પ્રાંતમાં જોડી દેવાનો નિર્ણય થઇ ચૂકયો છે. રાણી એ કિલ્લો છોડી દેવો અને શહેરના મહેલમાં


જ્ઞાન સારથિ, [17.06.19 12:27]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

જઇને વસવાટ કરવો. માસીક રૂ. ૫૦૦૦નું પેન્શન તેને આપવામાં આવશે.* આ હુકમનામું વંચાયુ ત્યારે રાણી અવાક થઇ ગળ અને વીરાંગના બની તેણે પડકાર કર્યો. ઝાંસી અંગ્રેજો ને સોંપી દેવું પડયું. તેણીએ તીર, બંદૂક વાપરવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ. તેણીને કાઠિયાવાડી ઘોડા ખૂબ ગમતાં.


*👁🗨✅.... લક્ષ્મીબાઇએ ઝાંસીની રાજય વ્યસ્થા પોતાના હાથમાં લીધા પછી તેની સ્થિતિ સુધરી હતી. સૈન્ય સાથે સાથે એકસ્ત્રી સૈન્ય પણ ઉભુ કરવામાં આવ્યું હતું. ઝાંસીનું એકે એક ઘર યુદ્ધની તૈયારીમાં લાગી ગયું હતું. આ બધા સમાચાર સાંભળીને અંગ્રેજ જનરલ રોઝને થયું જયાં સુધી રાણી લક્ષ્મીબાઇને પકડી કે મારીશું નહીં, ત્યાં સુધી હિંદુસ્તાનમાં બ્રિટીશ સતા સ્થાપી શકાશે નહિં અને તે એક લશ્કરની ટુકડી લઇ ઝાંસી આવી પહોંચ્યો. ૧૮૫૭ની ૨૩મી માર્ચે જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યુ ત્યારે રાણીએ જાતે શષાો ઉપાડયા તેણીએ પુરૂષનો પોષક પહેર્યો અને યુદ્ધની દેવી જેમ લડી. જયારે રાણીને લાગ્યું કે પરિસ્થિતિ કાબુ બહાર ગઇ છે. ઝાંસી છોડી કાલ્પી પહોંચી તાત્યા ટોપે અને રાવ સાહેબને મળી. જનરલ રોઝે એક યુકિત કરી... અંગ્રેજો મહારાજા જયાજીરાવને ફરીથી ગાદી પર સ્થાપિત કરવા માટે બજાવામાં આવશે. આમ ફરીથી લડાઇ શરૂ થઇ. રાણીની યુદ્ધ કુશળતાએ જ એક દિવસ માટે પણ અંગ્રેજોને હાર ખવડાવી. બીજો દિવસે અંગ્રેજોની યુદ્ધ નોબતો ગડગડી ઉઠી.*


*👁🗨 રાણીએ રામચંદ્રશ દેશમુખને બોલાવ્યા અને કહ્યું કે '' હું યુધ્ધમાં મૃત્યુ પામુ તો મારા પુત્ર દામોદરની બરાબર સંભાળ લેજો અને મારુ શરીર મારા ધર્મમાં માનતા નથી, તેવાઓને સોંપી દેશો ન દિ'* ' અપેક્ષા પ્રમાણે રોઝનો તે દિવસે વિજય થયો અને પૂરની જેમ અંગ્રેજ લશ્કર કિલ્લામાં ધસી આવ્યું. હવે રાણીને અહીંથી બચવા સિવાય કોઇ માર્ગ રહ્યો નથી. બે દાંતની વચ્ચે લગામને દબાવી રાણી અ બંને હાથે તલવારો પીંઝવા માંડી. અંગ્રેજ લશ્કરે તેમને ઘેરી લીધા. આકાશ પણ રક્તરંગી બન્યું હતું. એક અંગ્રેજ સેૈનિકે રાણીની નજદીક આવીને તલવાર ભોંકી અને તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. એક અંગ્રેજ સૈનિકે તેની જમણી જાંઘમાં ગોળી મારી, ડાબા હાથનો ઝાટકો મારી રાણીએ તે સૈનિકનો પણ અંત આણી દીધો.

*⛓⚔🛡એક અંગ્રેજ સૈનિક ઝડપથી તેની પાછળ પડીને રાણીના જમણા ગાલને ચીરી નાખ્યો. રાણીની આંખનો ડોળો ભરડાઇ ગયો. રાણી એટલી બધી ઘવાઇ હોવા છતાં પોતાના ડાબા હાથથી તલવાર પડે તેણીતે સૈનિકનો હાથ કાપી નાખ્યો. રઘુનાથસિંહ અને રામચંદ્રરાવે રાણીને ઘોડા પરથી ઉતરવામાં મદદ કરી અને કહ્યુ કે હવે આપણે બાબા ગંગાદાસને ઘેર પહોંચી જવું જોઇએ.


*🔪🛡⚔🛡રામચંદ્રરાવ રડતા બાળક દામોદરરાવ અને રાણીને ગંગાદાસના ઘર લઇ ગયો. ગંગાદાસ રાણીના મુખમાં પવિત્ર ગંગાજળ મુક્યું રાણીને થોડી શાંતિ થઇ અને ધ્રુજતા અવાજે રાણીએ હોઠ ફફડાવ્યા 'હર હર મહાદેવ' ને પછી તે બેભાન બની ગઇ.. ફરી રાણીએ આંખો ખોલીને ભગવતગીતા ના શ્લોકો યાદ કર્યા હતા. તે બોલતી હતી. ધીમે ધીમે અવાજ નબળો થતો ગયો 'વાસુદેવ હું વંદન કરૂ છું' આ છેલ્લા શબ્દો સાથે ઝાંસીનું ભાવિ અસ્ત પામી ગયું. ૨૨ વર્ષની અલ્પ આયુષ્ય તેમણે ભોગવી હતી.*


🇮🇳👉રાણી લક્ષ્મીબાઇ સ્વરાજ્ય માટે લડી, સ્વરાજ્ય માટે મરી અને સ્વરાજ્ય પાયામાં પથ્થર બની.🇮🇳♦️♦️


*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial


જ્ઞાન સારથિ, [17.06.19 12:27]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

Yuvirajsinh Jadeja:

💠♻💠♻💠♻💠♻💠

*વીરાંગના રાણી લક્ષ્મીબાઈ🛡*

💢☑💢☑💢☑💢☑💢☑

*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial


*રાજ તો રાજપૂતોનુ👑*

વેપાર તો વણિકનો,

ખેડ તો કણબીની

ભેખ તો ભરથરીનો

*🧖‍અને રાણી તો ઝાંસીની…⚔️*

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾

*🉑⚛આમ રાણીનું નામ આવે એટલે ચાતુરી, પરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી વિજળીના લીસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી પહેલી યાદ આવે. આજે પણ કોઈ સ્ત્રીએ બહાદુરીનું કામ કર્યુ હોય તો લોકો એને તરત જ 'ઝાંસીની રાણી'નો ખિતાબ આપીને સન્માનશે.*


*🙏🙏🙏ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ અદભુત નારીની જીવનરેખા ⚡️'વીજળીના ઝબકારે મોતીડાં પુરોવું'❄️ જવી ફકત ૨૨ – ૨૩ વર્ષ જ હતી. પણ આટલા ટૂંકા સમયગાળામાં એમણે કરેલા કામ અદભુત અને મોઢામાં આંગળા નંખાવી દે એવા મોટા મોટા અને અવર્ણનીય હતાં. આ પાણીદાર મોતીનો જન્મ ઈ.સ. ૧૮૩૫, ૧૯મી નવેમ્બરના રોજ (કાશીમાં) વારાણસીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો. એમનું પુરું નામ મનિકર્ણિકા હતું. ઘરનાં લોકો લાડમાં એને 'મનુ' કહેતાં હતાં. ચાર વર્ષની ઊંમરે જ માતાની છત્રછાયા ગુમાવી બેઠેલી મનુને એના પિતા પોતાની સાથે બિઠુર લઈ આવેલાં. જ્યાં બાજીરાવ પેશ્વાના પુત્ર નાના સાહેબની સાથે શાસ્ત્રોની સાથે સાથે ઘોડેસવારી અને શસ્ત્રબાજી પણ શીખી. માત્ર બાર વર્ષની વયે તો મનુ ભલભલા અનુભવી યોધ્ધાઓને માત આપવા માંડી.*


🛑🛑⛔ઇ.સ. ૧૮૪૨માં એમના લગ્ન ઝાંસીના ૪૦ વર્ષના રાજા ગંગાધરરાવ નિવાલકર સાથે થયા. મહારાજાના પહેલાં પણ એક લગ્ન થયેલાં. પણ એમને કોઈ સંતાન નહોતું. લક્ષ્મીબાઈ થકી થયેલા પુત્ર-સુખનો લહાવો હજી તો પૂરો માણે, ત્યાં એ સંતાન ૩-૪ મહિનાની વયમાં જ અવસાન પામ્યું. પુત્રલાલસાની તીવ્ર ઘેલછા ધરાવનારા મહારાજા ગંગાધરજીને એવો તો આઘાત લાગ્યો કે સીધા પથારી ભેગા થયાં તે છેક મરણ સમય સુધી ઊઠી જ ના શક્યા અને 🛑⭕️🛑ઇસ.૧૮૫૩માં અવસાન પામ્યાં. એમના અવસાન પછી પોતાની દુરંદેશી અને કુશાગ્ર બુધ્ધિનો પરિચય આપતાં લક્ષ્મીબાઈએ તરત જ પાંચ વર્ષના બાળક દામોદરરાવને દત્તક લઈ લીધો. *💮🆚💮એ વખતે ડેલહાઉસીની 'ખાલસાનીતિ' બહુ જોરમાં હતી. એમની નજર ક્યારની ભારતની ઉત્તર-મધ્યપ્રદેશની સીમા પર આવેલા ઝાંસી પર હતી. જેવા મહારાજાના અવસાનના સમાચાર મળ્યાં, કે તરત જ અંગ્રેજોએ દામોદરરાવને બાળક ગણીને ઉત્તરાધિકારી ગણવાની ના પાડી દીધી અને ઝાંસીને અંગ્રેજ સરકારનો એક હિસ્સો જાહેર કરી દીધો તથા રાણીને ૫,૦૦૦ રૂપિયા પેન્શન આપવાનું નક્કી કર્યું. વીરાંગના 🗣લક્ષ્મીબાઈએ ' મૈં અપની ઝાંસી કભી નહી દુંગી' જેવો દ્ર્ઢ નિશ્વય કરીને એ જાહેરાતનો જોરદાર વિરોધ કર્યો.*


*🛑⭕🛑આખરે ૪ જુન, ૧૮૫૬ના રોજ 'મીરતના બળવા' વખતે રાણીએ ઝાંસીનો કિલ્લો જીતી લીધો અને ઝાંસીના સિંહાસન પર ખુમારીભેર બેસી ગયા.*


*🛑⭕🛑🇮🇳♦શહેરની મધ્યમાં આવેલ કિલ્લાની ચોતરફ વિસ્તરેલું અને તે સમયના રાજા વીરસિંહે પહાડ પરની છાયા જોઈને બુંદેલી ભાષામાં 'ઝાંઈ સી' નામકરણ કરેલ જે પછીથી અપભ્રંશ થઇને 'ઝાંસી' નામે ઓળખાતું થયેલું ઝાંસી શહેર- ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવ વખતે મહત્વનું કેન્દ્ર બની ગયેલું. લક્ષ્મીબાઈએ સ્વયં સેવક સેનાનું સંગઠન કરીને ત્યાંની મહિલા સહિત નાગરિકોને યુધ્ધ પ્રશિક્ષણ આપવા માંડ્યું. તેઓ આ બધી મહેનત પાછળ પૂછાતા લોકોના ઢગલોએ'ક પ્રશ્નોનો પ્રત્યુત્તર 🛑🛑⛔️⛔️✅✅'હું એક ક્ષત્રિયાણી છું અને મરો ધર્મ બજાવું છું" કહીને આપતા.*


ઓચ્છાના રાજા દિવાન નત્થેખાને લક્ષ્મીબાઈ પર હુમલો કરીને નાલેશીભરી હારનો સ્વાદ ચાખ્યા બાદ અંગ્રેજો સાથે ભળી જઈને એમને રાણીની વિરુદ્ધ ભડકાવવાનું ચાલુ કર્યુ. અંગ્રેજો આધુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ અને વિશાળ સેના ધરાવતા હતા જ્યારે લક્ષ્મીબાઈ પાસે હતા ફક્ત થોડા ઘણા ગુલામ ખાન અને ખુદાબક્ષ જેવા વફાદાર અને જાંબાઝ સૈનિકો. ધોખાથી અંગ્રેજોએ ઝાંસીના કિલ્લામાં પ્રવેશીને હુમલો કર્યો ત્યારે રાણીએ પોતાના પુત્રને કપડાંથી મજબૂત રીતે પીઠ પાછળ બાંધી દીધો અને પોતાના ઘોડાની લગામ મોંઢામાં લઈ બે હાથે તલવાર વીંઝતી દુશ્મન સેના પર વિદ્યુતની જેમ ત્રાટકી..અને *'જે કર ઝુલાવે પારણું, તે કર શાસન પર કરતું રાજ'* આ કહેવત 'ડીટ્ટૉ' સાર્થક કરીને બતાવી..


*❕❓👁🗨👁🗨કાલ્પીથી ભાગ્યા પછી અંગ્રેજોથી ઘેરાયેલી રાણી ગ્વાલિયર જઈ પહોચી અને ત્યાંના રાજાની મદદ માંગી, જેની એમણે ઘસીને ના પાડી દીધી. લગાતાર અંગ્રેજોની વિશાળ સેનાનો પીછો અને મુઠ્ઠીભર વફાદાર સૈનિકો સાથે ત્રીજા દિવસે તો લક્ષ્મીબાઈની સેના હાંફવા માંડી.

 ઇતિહાસકારોએ જણાવ્યાનુસાર ૧૮૫૭, ૧૭ જુનના રોજ ચોતરફ દુશ્મનોથી ઘેરાયેલી હોવા છતાં અદભુત ધીરજ અને સાહસનું પ્રદર્શન કરતી રાણી ગાજર-મૂળાની જેમ એમને કાપતી હતી ત્યાં એમના માથા પર કોઇક જોરદાર ફટકો પડતાં એની એક આંખ બહાર નીકળી આવેલી..એમ છતાં એ મર્દાની નારીએ પાછળ ફરીને એ ફટકો મારનાર અંગ્રેજને મોતને ઘાટ ઉતારી તો દીધો. પણ એનું શરીર પર અગણિત ઘાવથી સાવ ચળાઇ ગયેલું જેના પરિણામે એ પ


જ્ઞાન સારથિ, [17.06.19 12:27]

[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]

ણ નદીના વોંકળામાં ફસડાઇ પડી અને ૧૮૫૭, ૧૮મી જૂનના રોજ મ્રુત્યુને શરણ થઈ..*


*આજે પણ એ 'બુંદેલો હરબોલો કે મુંહ હમને સુની કહાની થી,*

*ખૂબ લડી મર્દાની વો*


*તો ઝાંસીવાલી રાની થી…'*

આ પ્રખ્યાત પંક્તિઓ સાથે એ ઘર ઘરમાં જાણીતી અને લોક લાડીલી છે…


💠* આજે છ-છ દાયકા વીત્યા પછી પણ રાણીની યાદગીરીરૂપ એની તલવાર, રાજદંડ અને ધ્વજને ઝાંસી પાછા લાવવાના ભરપૂર પ્રયાસો થઇ રહ્યાં છે. લોક્વાયકા મુજબ એની તલવાર અને બખ્તર ગ્વાલિયરમાં છે, તો રાજદંડ કુમાઊ રેઝીમેન્ટ પાસે, તો રાણીનો ધ્વજ તો વળી લંડનમાં છે..પણ કમનસીબી કે એક યા બીજા કારણોસર હજુ સુધી એક પણ વસ્તુ ઝાંસી પાસે નથી પહોંચી શકી.


*યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*

https://t.me/gujaratimaterial

ફાધર્સ ડે --- Fathers Day

🙎‍♂🙎‍♂🙎‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙎‍♂🙎‍♂🙎‍♂🙋‍♂🙋‍♂🙋‍♂
દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે
👨‍👦👨‍👧👨‍👦👨‍👧👨‍👦👨‍👧👨‍👦👨‍👧👨‍👦👨‍👧👨‍👦👨‍👧
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳🇮🇳🙏🙏મિત્રો, તમને ધણીવાર મનમાં પ્રશ્ન થતો હશે કે કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ?

♦️શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે.

✍દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.

✍તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.

સાબરમતી આશ્રમ --- Sabarmati Ashram

🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤
🏛સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ🏛
🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(સંપૂર્ણ માહિતી PDF મ)

🇮🇳👉બાંધકામ તારીખ:
(હાલનું માળખું)
૧૭ જૂન ૧૯૧૭

👁‍🗨👁‍🗨સ્થપતિ: ચાર્લ્સ કોરિયા✅✅

🔰♦️🇮🇳ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ ગાંધી આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👉અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ આશ્રમમાં સવારે ૧૦ કલાકે પ.પૂ. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ રાજચંદ્રની ટપાલ ટીકીટ તેમજ સોનાના સિક્કાનું અનાવરણ કરશે. 
સાબરમતી આશ્રમ ખાતેના આ કાર્યક્રમમાં ધરમપુર ખાતેના તેમના આશ્રમના અનુયાયીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

17 June

✨💫✨💫✨💫✨💫✨💫✨💫
ઈતિહાસમાં 17 જૂનનો દિવસ
🌎🌑🌎🌑🌎🌑🌎🌑🌎🌑🌎🌑

✨✨ગાંધીજી સાબરમતી આશ્રમમાં આવ્યા💥💥💥

આઝાદીની લડત ચલાવવા માટે મહાત્મા ગાંધીજી 1917 ની 17 જૂને સાબરમતી આશ્રમમાં અહીં આવ્યા હતા . તેમણે નદીના કિનારે 36 એકરમાં આશ્રમની સ્થાપના કરી હતી .
✨☀️વર્ષ ૧૯૧૭માં આજના દિવસે મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના કિનારે સ્થાપેલા આશ્રમમાં રહેવાની શરૂઆત કરી હતી . ૧૯૧૫થી બે વર્ષ ગાંધીજીએ જીવણલાલના કોચરબ બંગલોમાં આશ્રમ સ્થાપીને લડત જારી રાખી હતી .

🏆🏆🏆સરદારને ભારત રત્ન🏆🏆🏆

વર્ષ ૧૯૯૧માં આજના દિવસે ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજીવ ગાંધીને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરી હતી . સરદારના મૃત્યુના ૪૧ વર્ષ બાદ આ જાહેરાત ટીકાપાત્ર બની હતી .

🎾🎾🎾🎾લિએન્ડર પેસ🎾🎾🎾🎾

દેશના સૌથી સફળ ટેનિસ ખેલાડી પેસનો જન્મ વર્ષ ૧૯૭૩માં આજના દિવસે થયો હતો . ડબલ્સમાં આઠ , મિક્સ ડબલ્સમાં સાત ટાઈટલ જીતનારા પેસે ૧૯૯૬ના ઓલિમ્પિક્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો .