Showing posts with label Indian Army. Show all posts
Showing posts with label Indian Army. Show all posts

Saturday, June 15, 2019

લેફ. જનરલ રાજેન્દ્રસિંહ --- Left General Rajendra Singh

👮👮👮👮👮👮👮👮👮👮
👮લેફ. જનરલ રાજેન્દ્રસિંહ👮
👮👮👮👮👮👮👮👮👮👮
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👮👮👮આ ગુજરાતી જનરલે આર્મી ચીફ બનવાનો કર્યો હતો ઇનકાર, કહ્યું કે- “મારા સિનિયરને આર્મી ચીફ બનાવો”👮👮👮👮

🎯આઝાદી સમયે લેફ. જનરલ રાજેન્દ્રસિંહે હૈદરાબાદમાં ' ઓપરેશન પોલો' હાથ ધર્યું અને નિઝામના શાસનને ભારતમાં ભેળવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. 

🙏👉ભારતને 15 ઓગસ્ટ,1947ના રોજ આઝાદી મળી ત્યારથી પ્રથમ બે કમાન્ડર ઇન ચીફ બ્રિટિશ રહ્યા હતા. જોકે બાદમાં તેમની ભારત પ્રત્યેની નિષ્ઠા અને ઇરાદાઓ પર સવાલ ઉઠતા ભારતીય અધિકારીઓને સર્વોચ્ચ પદ પર નિમણૂક કરવાની વાત આવી.

🙏👉બાદમાં નવા આર્મી ચીફ બનાવવાની વાત આવી તો તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલ બંન્ને ગુજરાતી લેફ્ટ. જનરલ રાજેન્દ્રસિંહના પક્ષમાં હતા. પરંતુ રાજેન્દ્રસિંહ પોતે તેનો વિરોધ કર્યો હતો કારણ કે, ઉંમરમાં રાજેન્દ્રસિંહ લેફ. જનરલ કરિયપ્પા કરતા છ મહિના મોટા હતા. પરંતુ સેનામાં સીનિયોરિટીની દ્રષ્ટીએ તેઓ કરિયપ્પા કરતા એક વર્ષ પાછળ હતા. રાજેન્દ્રસિંહ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહના સંબંધી છે.

👉👌👌👌જનરલ રાજેન્દ્રસિંહે કહ્યું કે, જનરલ કરિયપ્પા મારાથી સિનિયર છે અને ભારતીય સૈન્યના પ્રથમ ભારતીય સૈન્ય વડા પસંદ કરવામાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવામાં ના આવે તો હું તેને કબૂલ કરીશ નહીં. બાદમાં કરિયપ્પાને આર્મી ચીફ બનાવવામાં આવ્યા. કરિયપ્પાને સરદાર અને નહેરુ એટલા માટે પસંદ કરતા નહોતા કારણ કે તેમને લાગતુ કરિયપ્પા પુરી રીતે બ્રિટિશ રંગ-ઢંગના અધિકારી છે. બાદમાં કરિયપ્પાની નિવૃતિ બાદ રાજેન્દ્રસિંહને આર્મી વડા બનાવવામાં આવ્યા હતા.