Tuesday, April 23, 2019

વિશ્વ પુસ્તક દિન --- World Book Day

જ્ઞાન સારથિ, [23.04.17 10:54]
[Forwarded from Yuvirajsinh Jadeja]
📚📙📙📚📙📙📙📙📙

પુસ્તક સાહિત્યનો પ્રાણ છે , એનાથી અંતરનો વિકાસ છે

જ્ઞાન પીપાષુઓ માટે પુસ્તકો અખૂટ ને અમુલ્ય ભંડાર છે

પુસ્તકો આપણી એક ધાર્મિક વિરાસત છે,જ્ઞાન ભંડાર છે

પુસ્તક એક પ્રેરણા છે, વિચારોના વહન માટેનું સાધન છે

ગાગરમાં સાગર સમાવતો એક પ્રેરક ને સાચો મિત્ર છે




જીવન જીવવા માટેની સારું પુસ્તક અમોલ જડીબુટ્ટી છે

શરીર માટે જેમ ખોરાક એમ મનનો ખોરાક પુસ્તક છે


પાર વગરનો જ્ઞાન ભંડાર ગ્રંથાલયોમાં સચવાયો છે

ચાલો, વિશ્વ પુસ્તક દિને પુસ્તકોનો મહિમા સૌ ગાઈએ
પુસ્તકોનો પ્રચાર પ્રસાર કરીને, જ્ઞાન ગંગા વહાવીએ.

📚📙📚📙📚📙📚📙📚

જ્ઞાન સારથિ, [23.04.17 10:54]
[Forwarded from Yuvirajsinh Jadeja]
यः पठति लखति पश्यति
परिपृच्छति पंडितान् उपाश्रयति ।
तस्य दिवाकर –किरणैः
नलिली-दलं इव विवास्यते बुद्धि ।।

અર્થાતઃ જે માણસ વાંચન –લેખન કરે છે,નિરક્ષણ કરે છે,સવાલો પૂછે છે અને
વિદ્ધવાનોનો આશ્રય લે છે તેની બુદ્ધિ સૂર્યપ્રકાશ કિરણો વડે કમળો ખીલે તેમ વિકાસ પામે છે
📚📚📚📚📚📚📚📚

જ્યારે યુવાન હોઇએ ત્યારે દિશા આપે છે- ગ્રંથ

વૃદ્ધાવસ્થામાં આનંદ પ્રદાન કરે છે – ગ્રંથ

નિજ એકાંતમાં આશ્રય આપે છે.- ગ્રંથ

જીવનને ભારવિનાનું હળવું કરે છે – ગ્રંથ

ગુલામીમાંથી મુક્તિ અપાવે છે – ગ્રંથ

સુખ,સમૃદ્ધિથી સંપન કરે છે – ગ્રંથ

મોક્ષની ગતિ અપાવે છે – ગ્રંથ
📙📙📙📙📙📙📙📙

” હું એ દિવસની રાહ જોઉં છું જ્યારે દીવાન ખાનામાં ફર્નીચર જેટલી જ સત્વશીલ સાહિત્યની જરૂર ગણાશે .

મારે મન સાહિત્ય એ વ્યક્તિના સાચા સંસ્કારનો માપદંડ છે . વિનય, વિવેક ,પ્રફુલ્લતા , નિષ્ઠા આ
બધાનું મુલ્ય છે જ પણ આ ગુણોના વર્ધનમાં સત્ સાહિત્ય જેટલું ઉપકારક પરિબળ બીજું નથી .

જે લોકો શબ્દની શક્તિ પ્રમાણે છે એમના માટે
સારાં પુસ્તકો એક મહત્વની મૂડી બની જાય છે .”

✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

જ્ઞાન સારથિ, [23.04.17 10:54]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🖊✍️ યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📚📖📙📘📗📕📒📔📓📚

વિશ્વ પુસ્તક દિન

📚📖📓📔📒📒📕📗📘📙

📚૨૩ એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે, તદુપરાંત
©©©આ દિવસ કૉપીરાઇટ ડે©©© તરીકે પણ મનાવાય છે.

📚📖📚મહાન નાટયકાર વિલિયમ સેકસપીયરનો જન્મ તા. ર૩-૪-૧પ૬૪ ના રોજ થયો હતો. આ મહાન નાટયકાર, લેખક પોતે ૩૭ નાટકો, ર૦૦ થી વધુ કવિતાઓ લખી છે. વિશ્વમાં સાહિત્ય જગતમાં વિલયમાં પ્રથમ સ્થાન રહ્યું છે.

📚જલિયસ સિઝર, ઓથેલો, હેમ્લેટ, જુલિયેટ, કિંગલીઅર, મેકબેથ જેવી આવી જાણકાર કૃતિઓ વિશ્વમાં સ્થાન મેળવ્યું હતું. આમ તેમણે વિશ્વમાં‘સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે સ્થાન મેળવી ૩૭ નાટકો, ૧પ૪ સોનેટોની વિપુલ સમુદ્ધિ બનાવેલ. આમ,
🚩📚૧૬૧૬માં પોતાના જન્મદિને જ પોતાનું મૃત્યુ થયું અને વિશ્વના મહાન સાહિત્યકારો જેવા કે, કાર્વાન્ટીસ, સેકસપિયર અને ઇન્કા ગાર્સિલાસો ડિ લા વેગાના મૃત્યુ દિન નિમિત્તે વિશ્વમાં વાંચનનું મહત્વ વધે તે માટે આજના દિવસે અંજલી આપી. ર૩ એપ્રિલ-૧૬૧૬માં પુરા વિશ્વમાં યુનેસ્કો દ્વારા સેકસપિયરની પૂણ્યતિથી‘વિશ્વ પુસ્તકદિન'' તરીકે ઉજવાય છે.

☑️☑️યનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે.


📙જઞાન વધારવા માટે પુસ્તકોનું વાંચન એ એક મહત્ત્વનો આધાર છે. માનવ જાતીએ મેળવેલું બધું જ જ્ઞાન પુસ્તકોમાં ભરેલું છે. જ્યારથી લખવા અને છાપવાની શરૂઆત થઈ ત્યારથી માનવ દ્વારા મેળવેલું જ્ઞાન લિપિબદ્ધ કરીને સંગ્રહ કરવામાં આવે છે.

📙મિલ્ટન કહ્યું છે, “ પુસ્તકોમાં આત્માનું જીવન છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે.” ગ્રંથો સજીવ છે એટલે જ મિલ્ટને એમ પણ કહ્યું છે,
“પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી.”

📓સિસરોએ કહ્યું છે, “ ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા જેવું નકામું હોય છે.

📙📕પરગતિશીલ જીવન માટે પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે, કેમ કે પુસ્તકો દ્વારા જ જીવનનું માર્ગદર્શન અને પ્રેરણાપ્રકાશ મળે છે. ઉત્તમ પુસ્તકોમાં ઉચ્ચ વિચારો હોય છે. ઉત્તમ વિચાર, ઉચ્ચ ભાવનાઓ અને કલ્પનાઓ જ્યાં હોય છે, ત્યાં સ્વર્ગ છે.

📘📗લોકમાન્ય તિલકે કહ્યું છે, “ હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” સ્વર્ગનું અસ્તિત્વ કોઈએ જોયું નથી. મનુષ્યની ઉચ્ચ માનસિક સ્થિતિ કે જે ઉત્તમ વિચારોનું ફળ છે, તે જ સ્વર્ગ છે. ઉત્તમ પુસ્તકોનું સાનિધ્ય મનુષ્યની બુદ્ધિને જ્યાં પ્રાપ્ત થાય છે ત્યાં એને સ્વર્ગની અનુભૂતિ થવા લાગે છે.

📙📘સાચો સ્વાર્થ રહિત આત્મીય મિત્ર મળવો મુશ્કેલ છે. સારાં પુસ્તકો સહેજે આપણાં મિત્ર બની શકે છે. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે, જીવનપંથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, “ સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. ”

📚📚પસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનાં સરળ સાધન છે. અભ્યાસ કરતાં કરતાં મનુષ્ય જીવનની સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.

📕📕એકવાર લોકમાન્ય તિલકનું ઓપરેશન થઈ રહ્યું હતું, એને માટે એમને ક્લોરોફોર્મ સૂંઘાડીને બેભાન કરવાના હતા, પરંતુ એને માટે તેમણે ડૉકટરને ના પાડી અને કહ્યું, 👌“ મને એક ગીતાનું પુસ્તક લાવી આપો હું એને વાંચતો રહીશ અને તમે ઓપરેશન કરી નાંખજો. ગીતા લાવી આપવામાં આવી. લોકમાન્ય એનો અભ્યાસ કરવામાં એવા તલ્લીન બની ગયા કે ડૉકટરોએ ઑપરેશન કર્યું ત્યાં સુધી જરા પણ હાલ્યા પણ નહીં તેમજ તેમને જરાય દુ:ખ માલુમ પડ્યું નહીં. પુસ્તકો વાંચવામાં આવી એકાગ્રતા થાય છે, જે લાંબી યોગ સાધનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતી નથી.

👌✌️પસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શકાય છે. આથી આપણે નિયમિત સદ્દગ્રંથો વાંચતા રહેવું જોઈએ. ઉત્તમ પુસ્તકોના એકાગ્રપૂર્વક વાંચનને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.

📚એક સારું પુસ્તક માણસની જિંદગી બદલી શકે છે.પુસ્તકો મહાન વ્યક્તિના,મહાન સમાજના અને મહાન રાષ્ટ્રોના ઘડતર કરે છે.સ્વામી વિવેકાનંદે હજારો પુસ્તકો વાંચ્યા હતા અને ત્યાર બાદ તેમના પુસ્તકોએ કરોડો યુવાનોના જીવન પરિવર્તિત કર્યા.મહાભારત અને રામાયણે દેશનું ઘડતર કર્યું.

📖વયકિત સમાજ, દેશ અને રાષ્ટ્રના ઘડતરના કામમાં પ્રથમ જો કોઇ હોય તો તે પુસ્તક છે.🙏

📚👴આપણે જાણીએ છીએ કે આજે આપણા ક્રાંતિકારીઓ જોઇએ તો ગાંધીજીએ કે જેમણે એક પુસ્તકમાં ‘‘અન ટુ ધી લાસ્ટ'' નામના પુસ્તકના અભ્યાસથી પોતાની જીંદગી સંપૂર્ણ પરિવર્તના આવ્યું આપણા
📙બધરણાના રચીયતા પુજય બાબા સાહેબ આંબેડકરે પોતાની અડધી જીંદગી લાયબ્રેરીમાં જ પસાર કરી વાંચવાનો ગજબનો શોખ હતો.
અરે
 🎌પ.પૂ. ગુરૂજી ગોલવલકરજીને પણ વાંચનનો ગજબનો શોખ. પોતે કાશીવિશ્વવિદ્

જ્ઞાન સારથિ, [23.04.17 10:54]
[Forwarded from Yuvirajsinh Jadeja]
યાલયમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. ત્યાંની લાયબ્રેરીમાં એક પણ પુસ્તક એવું નહી હોય કે તેમણે વાચેલ નહી હોય.
📙એ જ રીતે સ્વામી વિવેકાનંદજી વાંચવાનો ગજબનો શોખ હતો એક પુસ્તકનું વાંચન કર્યા પછી ગમે તે સંદર્ભ પુછો તો પણ નંબર સહિત તમને માહિતી આપી દેતા હતા. આજે જયારે ‘‘વિશ્વમાં પુસ્તક દિન'' ઉજવાઇ રહ્યું છે ત્યારે પુસ્તકોનું મહત્વ આપણે જ જાણવું પડશે.

🖊✍️ યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏



જ્ઞાન સારથિ, [23.04.17 12:32]
જે ઘર માં દશ સારા પુસ્તકો ન હોય તે ઘરમાં દિકરી આપવા મા પણ જોખમ છે અને એ ઘરની દિકરી લેવામાં પણ જોખમ છે..
*ગુણવંત શાહ*

પુસ્તકો તો છોકરાઓ જેવા હોય છે...જે ઉજાગરા પણ કરાવે અને ખર્ચા પણ કરાવે..
*ઉપેન્દ્ર ત્રિવેદી*

*વિશ્વ_પુસ્તક _દિવસ*

*World_book_day*...

ની શુભેચ્છાઓ
Regards @gujaratimaterial

જ્ઞાન સારથિ, [23.04.17 12:37]
"આખા વિશ્વમાં
સૌથી પવિત્ર જગા છે
મારાં પુસ્તકોની છાજલી."
             ---- રમેશ પારેખ
(કારણ તેમાં ઈશ્વર અક્ષર
-ક્યારેય નાશ ન પામી શકે તે-
સ્વરૂપે બિરાજે છે.)
    -- ઈશ્વર માટે આવી જગા તમારા ઘરમાં છે ? સમૃદ્ધ થઈ જશો....
           ---23 એપ્રિલ
           વિશ્વ પુસ્તક દિન
ની શુભેચ્છાઓ
Regards @gujaratimaterial

જ્ઞાન સારથિ, [23.04.17 12:40]
*૨૩ એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ - નિમિત્તે થોડીક વાતો*

બધા દિવસ ઉજવે એટલે આપણે પણ હઈસો હઈસોમાં જોડાઈ જઈએ, એ મતના નથી.
પણ વાત જો પુસ્તકને વધાવવાની હોય, તો મને  ના ગોઠતું હોય એવાઓની સાથે જોડાઈ જવામાં પણ વાંધો ન આવે.

બીજું કે વાત પુસ્તકની નીકળે, તો મને લાગે છે કે એ લાગણીને માટે દિવસ તો શું પણ જીવનનો પનો ય ટૂંકો પડે. એટલે એમ કરીએ કે આજને પુસ્તક-જીવનનો પ્રથમ દિવસ ગણીને ઉજવીએ તો?

રોજ રોજ એકાદ પુસ્તક પુરૂ ન કરીએ, પણ રોજ અડધો કલાક પુસ્તકને આપવાનું વિચારીએ તો કેવું?

મનોવિજ્ઞાનમાં ઉછેર માટે બે બાબતોને કારણભૂત ગણવામાં આવી છે : વારસો અને વાતાવરણ. વાત સાવ પાયા વગરની નથી. પણ  આ બંને બાબતોથી પણ વધુ અગત્યનું પરિબળ છે : પુસ્તકો. પુસ્તકો આપણને ઘડે છે, હસાવે છે, રડાવે છે. કોઈક સાવ અંગત મિત્રની જેમ આપણને બહેલાવે છે, મનાવે છે, તૈયાર કરે છે. મને લાગે છે કે એનો વિકલ્પ શોધાવાનો હજી બાકી જ છે.

12 માં ધોરણમાં ભણતો, ત્યારે અંગ્રેજીમાં અમારે મહાન વાર્તાકાર એન્ટની ચેખોવની 'The Bet' નામની વાર્તા ભણવામાં આવતી. એમાં એક પાત્ર ફક્ત ને ફક્ત પુસ્તકોના સહારે જીવનના મહામૂલા ઘણાં વર્ષો કોટડીમાં વીતાવે છે. કોઈને મળવાનું નહીં, જોવાનું નહીં. સોબતી કેવળ પુસ્તકો. એ વાંચીને એ ઉંમરે ય લાગેલું કે આમાં શું? આવું તો આપણે ય કરી શકીએ. તો એના પાયામાં હતું - ફક્ત વાંચન જ. આજે પરિપક્વ થયા પછી મુગ્ધાવસ્થાના ઘણાં નિર્ધાર કે વાતો પર હસવું આવે છે. નથી બદલાતો તો પેલો વિચાર. એમાં શું? એવું તો આપણે ય જીવી શકીએ..

ઘણું લખવું છે, પણ હજી ઘણું વાંચવાનું ઘણું ઘણું બાકી છે. ત્યારે પુસ્તક દિન નિમિત્તે આટલું જ.

છેલ્લે સફદર હાશમીની મારી ગમતી કવિતા, જે મારી અધૂરી લાગણીઓને બખૂબી પૂરી કરી દે છે. આ કવિઓ સાલા કેમ આટલા મહાન ગણાતા હશે, એ થોડું થોડું સમજાતું જાય છે.

*किताबे कुछ केहना चाहती हैं।*

किताबें करती हैं बातें
बीते ज़मानों की दुनिया की, इंसानों की आज की, कल की एक-एक पल की
ख़ुशियों की, ग़मों की फूलों की, बमों की जीत की, हार
की प्यार की, मार की
क्या तुम नहीं सुनोगे
इन किताबों की बातें?

किताबें कुछ कहना चाहती हैं। तुम्हारे पास रहना चाहती हैं॥
किताबों में चिड़िया चहचहाती हैं,
किताबों में खेतियाँ लहलहाती हैं
किताबों में झरने गुनगुनाते हैं। परियों के किस्से सुनाते हैं।
किताबों में राकेट का राज़ है, किताबों में साइंस की आवाज़ है।
किताबों में कितना बड़ा संसार है, किताबों में ज्ञान की भरमार है।
क्या तुम इस संसार में
नहीं जाना चाहोगे?
किताबें कुछ कहना चाहती हैं। तुम्हारे पास रहना चाहती हैं॥
        વિશ્વ પુસ્તક દિન
ની શુભેચ્છાઓ
Regards @gujaratimaterial






No comments:

Post a Comment