Saturday, March 23, 2019

23 March

જ્ઞાન સારથિ, [24.03.17 08:46]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏🏻🙏🏻આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ,
સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧નાં રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ

🙏🏻દિલ સે નિકલેગી મરકર ભી વતન કી ઉલ્‍ફત,
મેરી મિટીસે ભી ખુશબુએ વતન આયેગી...

🙏🏻તમાંય ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ક્રાન્તિવીર 👨🏻‍✈શહીદ ભગતસિંહનું 👨🏻‍✈અગ્રિમ સ્થાન છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કુંટુંબમાં તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબ માં થયો હતો. માત્ર ૨૪- ૨૫ વર્ષની વયે જ હસતા મોંએ ફાંસીના માચડે ચડી ગયેલા 🙏🏻🙏🏻ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો
.

👉🏻👨🏻‍✈લાલા લજપતરાય લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા.

👨🏻‍✈🙏🏻 ત પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ‘‘ઈન્‍કલાબ ઝિંદાબાદ'' ના નારા સાથે દિલ્‍હીની વડી ધારાસભાના હોલમાં બોંબ ધડાકો કરી દેશભકિતની પત્રિકાઓ ફેંકી બ્રિટીશ સરકારને ખુલ્લી ચેલેન્‍જ કરી ક્રાંતિકારી ઈતિહાસનું ટ્રેનીંગ પોઈન્‍ટ સાબિત થયેલ અને તેમની સામે સરકારે કેસ કર્યો.

👨🏻‍✈🙏🏻૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી.
 ✏️૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારને હતું કે કંઈક નવાજૂની થશે એટલે એક દિવસ પહેલા👨🏻‍✈🙏🏻 ૨૩મી માર્ચે સૂરજ આથમી ગયા પછી ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. આ આખીય વાત નિયમો વિરુદ્ધની હતી. અમને ફાંસી નહિ ગોળીએ ઠાર કરો એવું કહી ચૂકેલા ક્રાન્તિવીરોને ફાંસી પછી, ચૂપચાપ ઉતાવળે 🙏🏻સતલજ નદીના કિનારે. હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.
👉🏻👉🏻તની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હૃદયસ્પર્શી કાવ્ય 'ફૂલમાળ' રચેલું. 'વીરા મારા! પંચ રે સિંધુને સમશાન, રોપાણાં ત્રણ રૂખડાં હો જી. વીરા !
એની ડાળિયું અડી આસમાન : મુગતિનાં ઝરે ફૂલડાં હો જી. વીરા ! એ તો ફાંસી રે નહિ,
ફૂલમાળ : પે રીને પળ્યો પોંખણે હો જી. વીરા ! તારું વદન હસે ઊજમાળ, સ્વાધીનતાને તોરણે હો જી.'
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

👨🏻‍✈🙏🏻1926માં મહાન ક્રાંતિકારી ભગતસિંહે સુખદેવ, ભગવતીચરણ અને યશપાલ વગેરેનાં સહકારથી 🙏🏻'નવજવાન ભારત સભા'🙏🏻ની સ્‍થાપના કરી હતી. આ ક્રાંતીકારી આંદોલનનો ખુલ્‍લો મંચ હતો. જેનો ઉદેશ હતો સાર્વજનિક સભાઓ, નિવેદનો, પત્રિકોઓ વગેરેનાં માધ્‍યમથી જનતા સાથે સીધો સંપર્ક કરી ક્રાંતિકારી આંદોલનનાં હેતુઓ અને એમનાં વિચારોનો વ્‍યાપક પણે પ્રચાર કરવો.

👉🏻ભગતસિંહ જ્યારે રામપ્રસાદ બિસ્મિલાને મળ્યા ત્યારે કાંકોરી લૂંટની યોજના ઘડાઈ રહી હતી. બિસ્મિલાને ત્યાં જ તેમના વિચારોની પરિક્ષા લેવાનું શરૂ કર્યું, પણ ભગતસિંહના વિચારોની અડગતા તેમના અસ્તિત્વના અણુ અણુમાં છે તેનો પુરાવો તેમણે સરળતાથી આપી દીધો.

👉🏻ભગતસિંહ આઝાદના ક્રાંતિકારી દળમાં શામિલ તો થઈ ગયા. જોકે કાંકોરી લૂંટ બાદ રામપ્રસાદ બિસ્મિલ પોલીસના હાથે ઝડપાઈ ગયાને આઝાદ, આઝાદ રહ્યાં. કાંકોરી લૂંટ બાદ આઝાદના મોટાભાગના સાથીમિત્રો જેલમાં બંધ થઈ ગયા. ત્યારે ભગતસિંહે જ તેમની પાર્ટીમાં નવા પ્રાણ પૂર્યા. નવા વિચારોના સિંચન સાથે પાર્ટીને એક નવો જ ચહેરો આપ્યો. 

👨🏻‍✈🙏🏻👉🏻 હિદુંસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોશિએશન એટલે કે આઝાદ અને ભગતસિંહની ક્રાંતિકારી પાર્ટી. ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી અંગ્રેજોની આંખમાં કણાની જેમ ખૂંચી રહી હતી, પણ એક ઘટનાએ અંગ્રેજોને આ ક્રાંતિકારીઓને જેલમાં બંધ કરવા મજબૂર કરી લીધા.

👉🏻👨🏻‍✈એક ક્રાંતિકારીની નિર્મમ હત્યાથી આખો દેશ શોકમાં હતો. આ સમયે ભગતસિંહ, ચંદ્ર શેખર આઝાદ એક યોજના ઘડી રહ્યાં હતા. એક એવી યોજના જે અંગ્રેજી શાસનના પાયાને હચમચાવી દેવાની હતી. એ યોજના હતી, લાલા લજપતરાયના હત્યારા અંગ્રેજ અધિકારી સ્કોટની હત્યાની.

👉🏻હત્યા કરીને ભગતસિંહને તેમના સાથીમિત્રો ત્યાંથી નાસી છુટયા પણ બાદમાં તેમને જાણ થઈ કે તેમણે 📌📌સકોટને બદલે અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યા કરી હતી. હત્યાને કારણે અંગ્રેજી સરકારને વીજળીનો 440 વોલ્ટનો ઝટકો વાગ્યો. તો બીજી તરફ દેશભરમાં આ હત્યાને આવકાર મળ્યો. એટલે જ અંગ્રેજોએ હત્યારાઓની શોધ ચલાવી. સીખ યુવકની શોધમાં તેમણે કેટલાય યુવાનોને જેલભેગા કર્યા, પણ વેશપલટો કરીને ફરાર થવામાં ભગતસિંહ સફળ રહ્યા.

અંગ્રેજોના હાથ ભગતસિંહ સુધી ન પહોંચી શકયા, પણ હત્યાથી ભગતસિંહ જે ક્રાંતિ લાવવા માંગતા હતા તે ન લાવી શકયા, આખરે તેમને એક બીજી યોજના ઘડવી પડી.

👉🏻👨🏻‍✈ભગતસિંહ માનતા હતા કે દેશને આઝાદ કરવો હશે તો દેશની જનતાને જગાડવી પડશે. જો એકવાર આખો દેશ એક થઈને અંગ્રેજો સામે લડશે. તો દેશ ગુલામીની ઝંઝીરોમાંથી મુકત થઈ જશે, પણ આ માટે જરૂર હતી એક વૈચારિક ક્રાંતિની, અને ભગતસિંહે તેનો પણ રસ્તો શોધી નાંખ્યો હતો.(સંપૂર્ણ

No comments:

Post a Comment