Saturday, August 31, 2019

રમેશભાઈ ઓઝા 'ભાઈશ્રી' --- Rameshbhai Oza 'Bhai Shree'

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
🙏રમેશભાઈ ઓઝા 'ભાઈશ્રી' 🙏
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

રમેશભાઈ ઓઝા 'ભાઈશ્રી' અને 'ભાઈજી', હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેનને ત્યાં, થયો હતો. તેઓ જ્ઞાતીએ ઔદિચ્ય બ્રાહ્મણ છે. એમણે અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમ જ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં માણવા મળે છે.

તેઓએ પોરબંદર એરોડ્રામ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન નામે સંસ્થા આશરે ૭ કરોડ રૂપિયાના અનુદાનો અને ગુજરાત સરકાર તરફથી પ્રતિક ભાવે અપાયેલ ૮૫ એકર જમીનમાં સ્થાપેલ છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ અપાય છે.

રમેશભાઈ ઓઝા સહિત તેમને ૪ ભાઈ અને ૨ બહેન છે. રમેશભાઈ ઓઝા એ પોતનું પ્રારંભિક શિક્ષણ રાજુલા નામના નાના ગામ નજીક "તત્વજ્યોતિ" નામની શાળામાંથી મેળ્વ્યું હતું. રમેશભાઈ ઓઝા પોતના પિતા વ્રજલાલ હેઠળ હમેશા "ભાગવદગીતા" નો પાઠ કરતા હતાં. રમેશભાઈ ઓઝા ના કાકા જીવરાજભાઈ ઓઝા એક અત્યંત આદરણીય કથાવાચક હતા. દરેક વ્યક્ત્તિ ને રમશભાઈ ઓઝા પોતાના પ્રવચન કુશળતા દ્વારા અને તેમના કુદરતી આકર્ષણ અને મેગ્નેટીઝમ દ્વારા આકર્ષિત કરતા. રમેશભાઈ ઓઝા એ પોતાનું આગળ નું એટલે કે કોલેજનું શિક્ષણા મુંબઇ માં લીધું. ત્યાં તેમણે ૧૮ વર્ષની ઉંમરે સેન્ટ્રલ મુંબઈ માં વ્યાવસયિક કથા યોજી હતી. રમેશભાઈ ઓઝા ને "ભાગવત આચાર્ય","ભાગવત રત્ન","ભાગવત ભૂષણ" સહિત વિવિધ પુરસ્કર થી સમ્માનિત કરવામાં આવ્યાં. દેવકાની આ ધરતી ઉપર શ્રી રમેશભાઈ ઓઝા ઉછરી ને મોટા થયા.આ જન્મભમિ નું ઋણ ચૂકવવા તેમણૅ ૪૦ વિઘા જમીન ઉપર દાતાઓના સહયોગથી દેવકા વિધ્યાપીઠ નું નિર્માણ થયું હતું. રમેશભાઈ ઓઝા બાળપણમાં મિત્રો સાથે રમતા ત્યારે પણ કથા-કથા ની જ રમત રમતા હતા. અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ માં ભણાતા રમેશભાઈ એક તબક્કે ચાર્ટર્ડ એકાઉટન્ટ થવાનું વિચારતા હતા, પરંતુ હ્રદય થી એમનું મન કથાકાર બનવા ઝંખતું હતું. શ્રી રમેશભાઈ ઓઝા એક ગોડમૅન કે કલર્જીમેન તરીકે જાણીતા થવા નથી માગતા. તત્વદર્શન સામાયિક દ્વારા સંસ્કાર , ધર્મ , સંસ્ક્રૃતિ અને આધ્યાત્મ નો પ્રચાર થાય છે. ઇ.સ.૧૯૮૭ માં માત્ર ૩૦ વર્ષ ની ઊંમરે ભાગવત કથા પરાયણ માટે એમને લંડનથી આમંત્રણ મળ્યું. એ એમની પરદેશ ભૂમિની પહેલી કથા હતી. એ કથા નિમિત્તે મળેલી ૨.૫ કરોડ ની માતબર રકમ પ્રાપ્ત થઇ હતી. આ રકમ એમણે ગુજરાત માં આંખની હોસ્પિટલો ને દાનમાં આપી દીધી હતી. આવી કરુણા દૃષ્ટિ થી એમને માટેનો આદર સમાજમાં ગણો વધી ગયો. ભાઈશ્રી ની કથાકાર તરીકે ની પુરસ્ક્રૃતિ પણ થઇ છે. "સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ" દ્વારા તેઓ ધર્મિક સાહિત્યનું પ્રકાશ કરે છે. એમના આ ટ્રસ્ટ દ્વારા સંન્યાસી , વિદ્વાન વ્યક્તિઓ ને એવોર્ડ આપવામાં આવે છે. ભારતીય સંસ્ક્રૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા તેમણે "સાંન્દિપની વિધાનિકેતન" ની સ્થાપના કરી. ઇશ્વરક્રૃપા એ એમનું મધુરકંઠ નું વરદાન મળ્યું હતું. ૨૦૦૬ માં "હિંદુ ઑફ ધ યર" અવોર્ડ થી સમ્માનિત કરાયા. આના પછી તેઓએ "તત્વદર્શન" નામનું સામાયિક પ્રસિધ્ધ કર્યું. રામકથા ના અને ભાગવત ના રહસ્યલોક ના ઉદ્ગતા ભાઈશ્રી આજે ગુજરાત ના બીજા નંબર ના પ્રસિધ્ધ કથાકાર છે. તેમની વાણી માં સૌને પ્રભાવિત કરે તેવા સહજતા અને સમભાવ છે. શ્રી રમેશભાઈ ઓઝા નો ધ્યેય છે કે "પોતાના જીવન દ્વારા આ દુનિયા સમૃધ્ધ માં મનુષ્ય શિક્ષિત છે.";તેમણે પાથ બતાવવા માટૅ અંદર જુઓ , માનવ સ્વભાવ ઊંડાણપુર્વક ની લે છે. જેથી દેવતા વિકસાવવાનું અને દુષ્ટતા નો અસ્વીકાર ઇચ્છે છે. ભાઈ શ્રી સમજાવે છે કે "અજ્ઞાન તે દૂર કરી શકાતી નથી કરે છે તે શિક્ષણ સાથે નાશ્ પામવો છે જે કરી શકે." ભાઈશ્રી સમજવે છે કે "તમે પવનની દિશા બદલી શકતા નથી,પરંતુ તમે તમારા સેઇલ્સ સંતુલિત કરી શકે છે. અભ્યાસમાં રિશિકુલ અભ્યાસક્રમ આઠ વર્ષ ના સ્નાતકો"શાસ્ત્રી" તરીકે સંબોધવામાં આવે છે. જ્યારે લોકો દસ વર્ષ પૂર્ણા કર્યા તરીકે ઓળખવામાં આવે છે. "આચાર્ય" ભાઈશ્રી લાગે વેદાંતના સિધ્ધાંતોને રોજબરોજ ની જીવન સામેલ કરવમાં આવે છે. ભાઈશ્રી હકારાત્મક ઉર્જા એક તરંગ કે ત્રાસવાદો મનમાંથી નીકાળી નાખવી અને વિશ્વમાંથી અપ્રિય,આ રીતે કોઇ પણ સમાજ માંથી શાંતી અને સંપદિતા પેદા કરવાનો છે. ભાઈશ્રી આમ વિશ્વાસ ની સર્વોચ્ચ વૃધ્ધિ કરનાર છે. રમેશભાઈ ઓઝ આંતરરાષ્ટ્રીય રીતે "શ્રીમદ્ ભગવદ્ ગીતા" અને અન્ય હિન્દુ ગ્રંથો પર પ્રવચન માટે જાણીતા છે. આધ્યાત્મિક દ્વારા શાંતી , સુખ અને જવાબદારીની ભાવના લાવવા માટે જાણીતા છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
રામાયણ સાથે સંબંધિત કેટલાક પ્રશ્નો
🔰⭕️🔰👇🔰👇🔰👇🔰👇🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Ø રામાયણ અનુસાર અંગદ ના પિતા નું નામ શું છે ? - બલી

Ø લક્ષ્મણ પત્ની નું નામ શું છે ? - ઉર્મિલા

Ø શ્રી રામ ને આપવામાં આવેલ વનવાસની અવધી કેટલા વર્ષ ની હતી. - 14 વર્ષ

Ø કેટલા વામ્વંત કેટલા યોજન સમુદ્ર લાંગી શકતા હતા ? - 90 યોજન

Ø જટાયુના ભાઈ નું નામ શું છે ? - સમ્પાતી 

Ø શત્રુઘ્ન ની માતાનું નામ શું હતું ? - સુમિત્રા 

Ø ઇન્દ્ર પુત્ર નું નામ શું હતું ? - જયંત
Ø રાવણ અને કુબેર હતા - ભાઈ-ભાઈ 
Ø રામના પગના સ્પર્શથી જે શિલા(ખડક) માંથી સ્ત્રી બન્યા હતા તે સ્ત્રી કોણ હતી ? - અહલ્યા 

Ø પરશુરામ કોના પુત્ર હતા ? - જમદગ્નિ 

Ø નીચેના માંથી કોને ભ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું? - રામ

Ø સંજીવની(જીવનરક્ષક) જડીબુટ્ટી નું રહસ્ય બતાવનાર વૈધનું નામ - સુષેણ

Ø અહલ્યાના પતિનું નામ શું હતું ? - ગૌતમ

Ø હનુમાન પુત્ર નું નામ શું છે ? - મકરધ્વજ 

Ø લક્ષ્મણને નાગપાસથી મુક્ત કોને કર્યા હતા? - ગરુડ 
Ø લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું? - સુમિત્રા 

Ø ઇન્દ્ર ના વિમાનનું નામ શું છે? - પુષ્પક 

Ø સમુદ્ર મંથનથી શું પ્રાપ્ત નહોતું થયેલું? - સિમંતક મણી 

Ø ગર્ભવતી સીતા કોના આશ્રમમાં રહેતા હતા? - વાલ્મિકી

Ø શ્લોક શબ્દનો સ્ટાફ અર્થ શું થાય છે? - દુ:ખ

Ø રામાયણ અનુસાર હનુમાન કેટલી વાર લંકા ગયા હતા? - ત્રણ વખત

Ø શ્રીરામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા ? - અંગદ

Ø હનુમાન કોના પેટમાં જઇ પાછા આવ્યા હતા? - સુરસા 

Ø વાલીની પત્નીનું નામ શું હતું ? - તારા 

Ø સર્ગોની ગણતરી કરતા સમગ્ર રામાયણમાં કેટલા સર્ગો થાય છે? - 645

Ø રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા કયા બ્રહ્મ ઋષિ વનમાં લઇ ગયા હતા? - વિશ્વામિત્ર 

Ø શ્રીરામ ને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીને કોના તરફથી મળી? - મંથરા 

Ø મથુરાપૂરી નગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? - શત્રુધ્ન 

Ø હનુમાને અશોક વાટિકામાં સીતાજીને કયા વૃક્ષ નીચે બેઠેલા જોયા ? - શીંશપા 

Ø મેઘનાથનું બીજું નામ શું હતું ? - ઇન્દ્રજીત 

Ø રામ અને હનુમાનજીનું મિલન કયા પર્વત પર્વત પર થયું હતું ? - ઋષ્યમૂક 

Ø હનુમાનજીના પિતા નું નામ શું હતું ? - કેસરી
Ø હનુમાનજીની છાતી પર કોણે વજ્રથી પ્રહાર કર્યો હતો ? - ઇન્દ્ર
Ø શત્રુઘ્ન ના પુત્રનું નામ? - સુબાહુ 

Ø કયા ઋષિએ શ્રીરામની સામે યોગાગ્નિથી પોતાના શરીરને ભસ્મ કર્યું હતું ? - શરભંગ 

Ø સમ્પાતી અને જટાયુના પિતાનું નામ શું હતું ? - અરુણ

Ø શ્રીરામને વાનરરાજ સુગ્રીવથી મિત્રતાનિ સલાહ કોણે આપી હતી ? - શબરી

Ø કઈ સ્ત્રીને મતંગ ઋષિએ આશ્રય આપયો હતો ? - શબરી 

Ø કયા વાનરે દુંદુભિ દૈત્યનો વધ કર્યો હતો ? - વાલી 

Ø લંકાના રાજા રાવણની પુત્રીનું નામ શું હતું ? - અવલી

Ø શ્રીરામની સેનામાં વિશ્વકર્માના અંશાવતાર કોણ હતા? - નલ અને નીલ

Ø બ્રહ્માએ "બ્રહ્માશિર" નામનું અસ્ત્ર કોને આપ્યું ? - મેઘનાદ
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🔰🙏

No comments:

Post a Comment