Friday, March 22, 2019

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર --- Tribhuvanadas Puritanandas Lohar


Tribhuvandas Luhar
Poet

Description

Tribhuvandas Purushottamdas Luhar, better known by his pen name Sundaram, was a Gujarati poet and author from India. Wikipedia
Born22 March 1908, Bharuch
Died13 January 1991

જ્ઞાન સારથિ, [22.03.17 23:03]
🙏🏻તરિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’🙏🏻

લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ,
(૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર,
 વિવેચક.


🤴🏻ઉપનામ👉🏻 ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’



👉🏻જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં.

👉🏻ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી,

👉🏻૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે.

👉🏻 ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી.



👉🏻૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

👉🏻૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ.

👉🏻૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ.

👉🏻👑૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક,

👉🏻👑૧૯૪૬માં મહીડા પારિતોષિક,

👉🏻👑૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક,
👉🏻👑૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.

👉🏻👑૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત.

👉🏻એક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન નિશ્ચિત છે.

👉🏻📚‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે.

👉🏻📙‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક વાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે.

👉🏻📚📚📚કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા,

બાલ કાવ્યો – રંગ રંગ વાદળિયાં

નવલકથા – પાવકના પંથે

વાર્તાસંગ્રહો – હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી

ચરિત્ર – શ્રી અરવિંદ મહાયોગી

નિબંધ – ચિદંબરા, સા વિદ્યા

પ્રવાસ – દક્ષિણાયન

નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા

વિવેચન – અર્વાચીન કવિતા,
 અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન

✍🏻યવરાજસિંહ જાડેજા(ગોંડલ) 🙏🏻












No comments:

Post a Comment