Sunday, April 28, 2019

રાજા રવિ વર્મા ---- Raja Ravi Verma

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎨🎯🎨🎯🎨🎯🎨🎯🎨🎯
રાજા રવિ વર્મા
🎨🎨🎨🎨🎨🎨🎨
(સંપૂર્ણ માહિતી PDF માં)

🎨રાજા રવિ વર્મા નાં તૈલચિત્રો ખુબ પ્રિય છે.

♻️રાજા રવિ વર્મા ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક છે.
♻️૧૯મી સદીના અંતમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય ચિત્ર શૈલી સાથે સંગમ કરીને અનેક પ્રખ્યાત ચિત્રો બનાવ્યા છે. 🔱૧૮૭૩માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું.
🕉☪️ ભારતીય દેવી-દેવતાઓને સૌપ્રથમવાર કાગળ ઉપર ઉતારનાર અને મંદીરની બહાર લાવનાર આ ચિત્રકાર છે.

🎯🎨🎭🎪 રાજા રવિ વર્મા પહેલા એવા ચિત્રકાર હતા જેમણે હિંદુ દેવી-દેવતાઓના અને પુરાણોના પ્રસિદ્ધ પ્રસંગોના ચિત્રો પહેલાવાર બનાવ્યા. તે શકુંતલા અને દુષ્યતંની પ્રેમ કથા હોય, વિશ્વામિત્રીનો મેનકા દ્વારા તપોભંગ હોય. શકુંતલા અને દુષ્યંતનો પુત્ર ભરત કે જેના નામ પરથી ભારત કહેવાયો તે ભરત સિંહના દાંત ગણે છે તે પ્રસંગ હોય, મત્સ્યગંધા અને ઋષિ પરાશર્યનો પ્રેમ પ્રસંગ હોય કે વીણા વાદીની માતા સરસ્વતી કે કમળમાં ઉભેલા દેવી લક્ષ્મીજી હોય.
👶જન્મ: એપ્રિલ ૨૮ , ૧૮૪૮
કિલિમનૂર, કેરળ , ભારત
💐મત્યુ: ઓક્ટોબર ૨ ,૧૯૦૬
કિલિમનૂર, કેરળ, ભારત

💐બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીની સાથોસાથ રાજા રવિ વર્માનો નિર્વાણ દિન પણ છે💐

🎋The title RAJA was conferred as a personal title by the viceroy and Governor-General of India.

🎭🎨ચિત્રકલાના શોખને મૈસુરના રાજા તેમજ વડોદરાના ગાયકવાડે આશ્રય અને પ્રોત્સાહન આપ્યાં. તેઓ મોટાભાગે કેનવાસ ઉપર તૈલ રંગમાં ચિત્રો કરતા પાત્રાલેખન માટે જરૂરી પરિધાન સાથે મોડેલ બેસાડતા, રેફરન્સ તરીકે ફોટોગ્રાફનો ઉપયોગ કરતા. રાણીઓમાં પોટ્રેઇટ ચિત્રો દરમ્યાન તેમની રસિક દંતકથાઓ પણ જાણીતી છે.

☯️ રાજા રવિ વર્મા (1848-1906)  Kilimanoor જન્મ, કેરળના એક નાના શહેર. એક બાળક તરીકે,
⚫️રવિ વર્મા કોલસા મદદથી દિવાલો પર આકર્ષણ અને તે વર્ષની વયે હતું 🔺🔻14 કે Ayilyam Thirunal મહારાજા તેમને ત્રાવણકોર પેલેસ લીધો હતો જ્યાં તેમણે ▪️પલેસ ચિત્રકાર રામા સ્વામી નાયડુ દ્વારા શીખવવામાં રંગકામ કરવામાં આવી હતી. પછી ત્રણ વર્ષ, તેમણે બ્રિટિશ ચિત્રકાર થીઓડોર Jenson હેઠળ અભ્યાસ.
🔰👉🔻1881માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજ્યાભિષેક પ્રસંગે વડોદરા આવ્યા અને સયાજીરાવ(ત્રીજા)નું પેઈન્ટીંગ બનાવ્યું હતું.

🔰🚩🔻 ભારતના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માએ તેમના જીવનના થોડા વર્ષો વડોદરામાં વિતાવ્યા હતા. વડોદરાના તત્કાલીન રાજવી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રાજા રવિ વર્માને વડોદરા આમંત્ર્યા હતા અને તેમની પાસે અનેક ચિત્રો બનાવડાવેલા. વડોદરામાં નિવાસ દરમિયાન રાજા રવિ વર્માએ જે સ્ટુડિઓમાં ચિત્રો બનાવેલા.

🎯વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ સામેના મેદાનમાં હાલ જે ટેકનોલોજી ફેકલ્ટી છે તે સર સયાજીરાવના સમયમાં કલા ભવન કહેવાતું. કલાભવન કેમ્પસમાં રાજા રવિ વર્માનો સ્ટુડિઓ હતો. 💎 1881થી1991ના 10 વર્ષ રાજા રવિ વર્મા વડોદરામાં રહ્યા. તેમના જીવનના શ્રેષ્ઠ ચિત્રો કે,જે ચિત્રોએ તેમને મહાન બનાવ્યા તે તમામ ચિત્રો તેમણે વડોદરામાં બનાવ્યા હતા. રામાયણ અને મહાભારતના પ્રસિદ્દ પ્રસંગોના ચિત્રો તેમણે અહીં જ બનાવ્યા હતા અને તે તમામ ચિત્રો આજે પણ લક્ષ્મી વિલાસ પેલેસમાં સચવાયેલા છે.
💰 આ ચિત્રો બનાવવા તેમને તે સમયે 50,000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🛡🖼રાજા રવિ વર્માએ ચિત્રો કરવાની શરૂઆત કરી ત્યારે ભારતમાં મિનિએચર્સનું ચલણ હતું . એ સમયે રવિ વર્માએ ફુલસાઇઝ ચિત્રો દોરવાનાં શરૂ કર્યાં જે એક નવા યુગની શરૂઆત હતી . એ સમયે ત્રવણકોરના રાજાએ તેમને ચિત્ર શીખવા પેરિસ મોકલ્યા હતા . 1⃣ભારતમાંથી ચિત્ર શીખવા પેરિસ જનારા કદાચ તેઓ પહેલાં ચિત્રકાર હતા .
🚹ℹ️અહીં ચર્ચના મોટા મ્યૂરલ્સ જોઈને તેમને તેમના દાદીએ સંભળાવેલી મહાભારત અને રામાયણની વાર્તાઓ યાદ આવી અને માયથોલોજિકલ કેરેક્ટર્સ તથા દેવ- દેવીઓનાં ચિત્રો બનાવવાનો સિલસિલો શરૂ થયો .

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔷🔳🔲ઓલિયોગ્રાફ શું છે?❓❔

ઓલિયોગ્રાફ ઓઇલ પેઇન્ટની મદદથી થતી પ્રિન્ટ છે. એમાં ઓરિજિનલ ચિત્ર જેવું ફિનિશિંગ તો નથી આવતું પણ તે ઓરિજિનલ ચિત્રની ખૂબ જ નજીક હોય છે. તેમને ⛔️કરોમોલિથોગ્રાફ્સ⛔️ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં હાથથી દરેક રંગ માટે અલગ પથ્થર પર ડિઝાઇન કરીને પ્રિન્ટ કરાતી હતી . આ પ્રિન્ટ્સ મોટા ભાગે કોમર્શિયલ યૂઝ માટે ઉપયોગમાં લેવાતી હતી . કેટલીક વાર તો માત્ર એક જ ચિત્રમાં 30 જેટલા અલગ અલગ સ્ટોન્સનો ઉપયોગ થતો હતો .
☢️☣️ 1830 માં આ પદ્ધતિની શોધ થઈ હતી . 19 મી સદીના અંત સુધી પ્રિન્ટ્સ મેળવવાની આ પદ્ધતિ ખૂબ જ પ્રખ્યાત હતી . પછી નવી પદ્ધતિઓ આવતા તેનો ઉપયોગ ઓછો થવા માંડ્યો 🕎


♐️• કેરલાની પરંપરાગત સમૃદ્ધ ચિત્રકલાના મૂળ કલામેઝુથુમાં (ભોંયતળીયા પર ચિત્રાત્મક આલેખનો) અને અહીં જુનાં મંદિરો તથા ચર્ચમાં મળી આવતા ભવ્ય ફ્રેસ્કો અને ભીત કલામાં છે. કાગળ અને શાહીની શોધ થઈ તે પહેલાં, તાડના પાંદડા અને શાકભાજીના રંગોનો અહીં ઉપયોગ થતો હતો. આધુનિક સમયમાં કેરલાએ રાજા રવિ વર્માના કામ મારફત આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મેળવી છે.

♐️• ત્રાવણકોરના કિલિમન્નુર મહેલના રાજકુમાર રવિ વર્મા (1848-1906), તેમણે તેમનું કૌશલ્ય ખૂબ નાની ઉંમરે પ્રાપ્ત કર્યું હતું. તેમણે ઓઈલ ચિત્ર, મહેલમાં ત્યારે રહેતાં અંગ્રેજી ચિત્રકાર થિયોદોર જહોન્સન પાસેથી શીખ્યું હતું.

♐️• રવિ વર્માના ચિત્રોમાં નાજુક લાગણીઓ અને માનવ પાત્રોના શરીરની ભવ્યતા તથા કુદરત વાસ્તવિક સ્વરૂપે અભિવ્યકત થયાં છે.

♐️• રવિ વર્માના સુંદર ચિત્રો શ્રી ચિત્રા આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનમાં મૂકાયેલ છે. ગેલેરી નેપિયર મ્યુઝિયમ કમ્પાઉન્ડ, તિરુવનંતપુરમ શહેરમાં આવેલ છે.
 💟✡️ગલેરીમાં રોઇરિકની કૃતિઓ અને મોગલ, રાજપુત તથા તાંજોરની કલા શાખાની આકર્ષક કૃતિઓ, અજંટા અને બાગ ગુફાઓના ચિત્રો અને ચીન, જાપાન, તિબેટ અને બાલીના પૂર્વીય સંગ્રહો પણ રાખ્યાં છે.

♐️• આજે કેરલામાં બે મુખ્ય સંસ્થાઓ, જ્યાં ચિત્રકામ એક વિષય તરીકે શીખવાય છે - ☸️ધ કોલેજ ઓફ ફાઈન આર્ટસ,☸️ તિરુવનંતપુરમ અને સરકારી રવિ વર્મા કોલેજ ઓફ ફાઈન આર્ટસ, મવેલિક્કારા, અલપ્પુઝા જિલ્લો.
☯️🕎રવિ વર્માના પુત્ર રામા વર્માએ રવિ વર્મા સ્કુલ ઓફ ફાઈન આર્ટસની સ્થાપના કરી હતી.‼️

♻️🔰🎥📽રાજા રવિ વર્માના જીવન પર આધારિત'રંગ રસિયા'રીલિઝ થઈ છે.જોકે આ ફિલ્મનો વિષય રાજા રવિ વર્મા અને તેના ચિત્રો છે.

🎥📽રવિ વર્મા કલાના રસિક હોવાથી આ ફિલ્મનું નામ રંગ રસિયા રાખવામાં આવ્યું છે.🎬🎬

📽આ ફિલ્મમાં રાજા રવિ વર્માની ભૂમિકા રણદીપ હુડ્ડાએ નિભાવી છે.જ્યારે નંદના સેન તેની પ્રેમિકા સુગંધાના પાત્રમાં.સુગંધા તેમની પ્રેરણા હતી અને તેને દેવી તરીકે ચિત્રોમાં રજૂ કરી.
📽કતન મહેતાએ આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મના કારણે નવી પેઢી રાજા રવિ વર્માને ઓળખતી થઇ છે.

📽🕹📽વડોદરાના રાજવી પરિવારના સહકાર વગર આ ફિલ્મ શકય નહોતી. મોટાભાગે ફિલ્મોના પ્રિમિયર શો દુબઈ અથવા તો ભારતના મેટ્રો પોલિટન શહેરોમાં યોજાતા હોય છે. પરંતુ📽🎥 આ ફિલ્મનું શુટિંગ વડોદરામાં પણ થયુ છે અન📽🎥 વડોદરા કલા અને સંસ્કૃતિક રાજધાની હોવાથી પ્રિમીયર શો માટે વડોદરામાં પસંદગી ઉતારવામાં આવી હતી.🎥📽
📺💎રાજા રવિ વર્માનું ફિલ્મોમાં યોગદાન
રાજા રવિ વર્મા 1893માં સ્થાપેલા કલર પ્રેસમાં ભારતીય સિનેમા જગતના ભીષ્મ પિતામહ ગણાતા દાદા સાહેબ ફાળકેએ કામ કર્યુ હતું. રાજા રવિ વર્માના પ્રેસમાં નોકરી કરતા દાદા સાહેબ ફાળકેને ભગવાનને પડદા પર વિઝયુલાઈઝેશન કરવાની પ્રેરણા મળી હતી.🙏

💢🔆સાડીઓનું બ્રાડિંગ કરવાના રાજા રવિ વર્માના સ્કેચનો ભારતભરમાં ખૂબ ઉપયોગ થયો હતો. 1970 સુધીની હિન્દી ફિલ્મોમાં ફિલ્મનું નામ પમ રવિ વર્મા મેથડ પરથી લખવામાં આવતું હતું. સાથોસાથ તેમના લક્ષ્મીજી, સરસ્વતી જેવા ચિત્રોનો ઉપયોગ કરીને એડ માટેના કેલેન્ડર કે પોસ્ટર પણ બનાવવામાં આવતા હતા.
રાજા રવિ વર્માએ ભગવાનને ઘરોમાં પહોંચાડયાં🏠🏡

⛩🏡🏚રાજા રવિ વર્માના ચિત્રો પર આધારિત દેવી દેવતાઓના પોસ્ટર તૈયાર થયા અને મંદિરોમાંથી દેવી દેવતાઓને ઘર સુધી લાવવામાં રાજા રવિ વર્માનો ખૂબ મહત્વનો ફાળો છે. આપણા ઘરોમાં દેવી દેવતાઓના ચહેરા આવ્યાં જે ખૂબ અલૌકિક વારસો છે અને તેને કારણે સમાજમાં ચારિત્ર્યનું ઘડતર શક્ય બન્યું. સાથોસાથ પૂર્ણ વસ્ત્રધારી દેવીઓના તસવીરોથી સમાજમાં સ્ત્રીઓને પૂર્ણ સન્માન મળ્યું.

⛪️🕌રવિ વર્માએ કલાને મંદિર અ

જ્ઞાન સારથિ, [28.04.17 20:36]
[Forwarded from Yuvirajsinh Jadeja]
ને મહેલમાંથી આઝાદી અપાવી
⛩🕋જો સર સયાજીરાવ ગાયકવાડે રાજા રવિ વર્માને વડોદરા ના બોલાવ્યા હોત તો એક મહાન ચિત્રકારની ઓળખ આજે અધૂરી રહી હોત. વડોદરાનો પેલેસ એ પેઈન્ટિંગ્સનો ખજાનો છે. આ મહાન ચિત્રકારે દેવી દેવતાઓને કલાના માધ્યમથી ચહેરો આપ્યો છે. કલાને મંદિરો અને મહેલોમાંથી આઝાદ કરી છે. ‼️


🏁🖼📡રાજા રવિ વર્મા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને એડર્વટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રેરણા બન્યા હતા.દાદા સાહેબ ફાળકેને રાજા હરિશચંદ્ર તૈયાર કરવા માટે તેમણે પ્રેરણા આપી હતી.પોતાની કલામાં મહિલાના પરિધાનમાં હંમેશા સાડીનો પ્રયોગ કર્યો હતો.જેથી વિમેનમાં પરિધાન તરીકે સાડીને પૉપ્યુલર બની હતી.🎭🎯
‘રાજા રવિ વર્માના પેઇન્ટિગ્સે વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો’🎯🎯
=====
🎯🕴🎯રાજા રવિ વર્મા અને સ્વામી વિવેકાનંદ વચ્ચે પણ સમયે સારા સબંધો સર્જાયા હતા.રાજા રવિ વર્માના પેઇન્ટિંગ સ્વામી વિવેકાનંદે વડોદરામાં નિહાળ્યું હતુ.સ્વામી વિવેકાનંદે ફિલોસોફી વડે તો રાજા રવિવર્માએ પેઇન્ટિંગ્સ વડે ભારતીય સંસ્કૃિતનો વિદેશમાં પ્રસાર કર્યો હતો.સ્વામી વિવેકાનંદ રાજા રવિ વર્માના મુંબઇના નિવાસ સ્થાને રાત્રી પણ રોકાયા હતા અને રાજા રવિ વર્માએ સ્વામી વિવેકાનંદનું પોટ્રેઈટ બનાવ્યું હતું.’🎨🎨🎨🎨
‘જે ચિત્રો ઊંચી તપસ્યા અને ભાવ ના ગર્ભમાં પોષાઇને યોગ્ય સમયે અવતરિત થયાં હશે તેજ જગતની ચિરંજીવ કલાકૃતિ બનશે.’ - નિકોલસ રૉરીક

✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

No comments:

Post a Comment