Monday, April 29, 2019

રણછોડલાલ છોટાલાલ --- Ranchhodlal Chhotalal

જ્ઞાન સારથિ, [30.04.17 01:09]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

⚙️⛓⚙️⚖️⚙️⛓⚙️⚖️⚙️⛓⚖️⚙️
રણછોડલાલ છોટાલાલ
⛓⚙️⚖️⛓⚙️⚖️⛓⚙️⚖️⛓⚙️⚖️

🚩🚩ગજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ અને દેશના પ્રથમ મેયર રણછોડલાલ છોટાલાલ

📎📎૧૦૭ વર્ષ જૂની આર.સી.ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટનું નામ જેના પરથી પડયું છે તે ગુજરાતનાં મિલ ઉદ્યોગનાં ભીષ્મપિતામહ અને દેશનાં પ્રથમ મેયર રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ
📍૧૯૪ની જન્મજયંતી

 ( ઓગત્રીસમી એપ્રિલ , ૧૮૨૩– છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮

)
💰 એ એક ગુજરાતી ઉદ્યોગપતિ હતા. પશ્ચિમ ભારતમાં આવેલા અગત્યના શહેર

💈💈અમદાવાદ ખાતે ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં સૌથી પ્રથમ કાપડની મિલને સફળતાપૂર્વક ચાલુ કરી હતી,

🎏🎀જથી એમને અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક ગણવામાં આવે છે

🎉🗿 તમને અંગ્રેજ સરકારે "રાવબહાદુર"નો ખિતાબ આપ્યો હતો.

🔖આજીવન કર્મઠ ઉદ્યોગપતિ, કુશળ વહીવટદાર, સેવાપરાયણ, દાનવીર એવા રણછોડલાલે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેઓએ માતબર રકમ દાનરૂપે ફાળવી હતી.

🎐🏮તમણે શિક્ષણ લીધા પછી કસ્ટમ ખાતામાં, રેવાકાંઠાના દફતરદાર તરીકે નોકરી કરી હતી.
📐📏 તયારપછી ઈ. સ. ૧૮૫૯ના વર્ષમાં એમણે 📌*"અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"* 📌ની સ્થાપના કરી હતી, અને આ કંપનીએ ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં ત્રીસમી મેના દિવસે પોતાની મિલ ચાલુ કરી હતી.

🎌🎌અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ
શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.📍📍


🚩🎌: એક સમયે અમદાવાદીઓને સૌ પ્રથમ વખથ નળ દ્વારા પાણી મળી રહે તેવો વ્યવસ્થા કાર્યરત કરનારા શહેરના ઉદ્યોગપતિ અનેラમ્યુનિસિપલિટીના પ્રથમ પ્રમુખ રહી ચુકેલા એવા રણછોડલાલ છોટાલાલ દ્વારા શહેરમાં કાર્યરત કરવામાં આવેલા શહેરના સૌ પ્રથમ ફાઉન્ટેનને આવતીકાલે રિ-ઈન્સ્ટોલ કરી.


🖍🖍ધરુવ કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮) : ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૮૨ માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં. ૧૯૦૮ માં એ જ હાઈસ્કૂલમાં હેડમાસ્તર.

🎌🎌૩૦ મે ૧૮૬૧, જ્યારે અમદાવાદની પહેલી ટેક્સટાઇલ મિલ સ્થપાઇ હતી
આજથી ૧૫૫ વર્ષ પૂર્વે
૧૯૩૯માં અમદાવાદમાં ૮૧ મિલો ધમધમતી હતી, જે હજારો કામદારોને રોજગારી આપતી હતી,
આજે માત્ર સાત જ મિલ બચી છે

🔻જયાં શાહપુર મિલ સ્થપાઇ હતી, ત્યાં આજે મકાનો બની ગયા છે ઃ મિલ માટે ૨૦૦ ગાડા ભરીને ખંભાતથી અમદાવાદ મશીનરી લવાઇ હત

🔻૧૮૯૨માં રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઇસ્કૂલની સ્થાપના થઇ.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [30.04.17 01:09]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🎉🗿🎉🗿🎉🗿🎉🗿
૩૦ મે ૧૮૬૧, જ્યારે અમદાવાદની પહેલી ટેક્સટાઇલ મિલ સ્થપાઇ હતી
આજથી ૧૫૦+ વર્ષ પૂર્વે
૧૯૩૯માં અમદાવાદમાં ૮૧ મિલો ધમધમતી હતી, જે હજારો કામદારોને રોજગારી આપતી હતી, આજે માત્ર સાત જ મિલ બચી છે

🔖જયાં શાહપુર મિલ સ્થપાઇ હતી, ત્યાં આજે મકાનો બની ગયા છે ઃ મિલ માટે ૨૦૦ ગાડા ભરીને ખંભાતથી અમદાવાદ મશીનરી લવાઇ હતી.

⛱⛱અઢારમી સદીનાં અંતની વાત છે. મરાઠા અને પેશ્વા શાસન દરમિયાન અમદાવાદની સમૃદ્ધિમાં મોટા ગાબડાં પડયા હતાં. આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે આ શહેરનું અસ્તિત્વ સુદ્ધા જોખમમાં પડયું હતું. જોકે અમદાવાદ અને તેના નાગરિકોએ તેમની સાહસવૃત્તિથી આ શહેરને ફરીથી બેઠું કરી દીધું.
🔖 અમદાવાદને ફરીથી બેઠું કરવામાં અહીં વિસ્તરેલા કાપડ ઉદ્યોગે ખૂબ મોટો ફાળો આપ્યો હતો. આ શહેરમાં કાપડ ઉદ્યોગ એવો તો ફૂલ્યોફાલ્યો કે તેની ઓળખ વિશ્વભરમાં 🏮'માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા' 🏮તરીકે પ્રસ્થાપિત થઇ ગઇ.
🏷🔖 ભારતનાં માન્ચેસ્ટર એવા અમદાવાદની પ્રથમ મિલની સ્થાપનાને ૩૦ મે, ૨૦૧૧ના રોજ ૧૫૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે દોઢ સદી પહેલા અમદાવાદના એક સાહસી યુવાને કેટલી બધી માથાકૂટ પછી શહેરને પ્રથમ મિલ આપી તેની રોચક કહાણી જાણવા જેવી છે.
🔖🏷૧૫૦+ વર્ષ પહેલાં એટલે કે ૧૮૬૧ની વાત કરીએ તો ત્યારે અમદાવાદ કાપડ ઉદ્યોગ માટે અનુકૂળ શહેર ન હતું. કારણ કે કાપડ માટેની મિલોની મશીનરી વિદેશથી મુંબઇ બંદરે આવે તો તેને અમદાવાદ લાવવી કપરી હતી. ૧૮૬૪ સુધી તો અમદાવાદ અને મુંબઇ વચ્ચે રેલવે લાઇન જ ન હતી. બીજું અમદાવાદ જિલ્લો કાપડ માટે કપાસનો પૂરતો પુરવઠો પેદા કરતો હોય તેમ પણ ન હતું. અહીંનું વાતાવરણ પણ કપાસ માટે માફક ન હતું. મિલમાં જોઇતા કોલસાની ખાણો પણ ૧,૦૦૦ માઇલ દૂર હતી. આ તમામ કારણો હોવા છતાં અમદાવાદનાં 👉રણછોડલાલ છોટાલાલ નામના યુવાને શહેરમાં મિલ સ્થાપવાનું નક્કી કર્યું, જે ખરેખર આસાન ન હતું, પરંતુ તેઓ મિલ સ્થાપીને જ ઝંપ્યા.
🐾‼️૧૯મી સદી પહેલા ભારતમાં કાપડ ઉદ્યોગ કોટેજ ઉદ્યોગ તરીકે વિકસેલો હતો. ત્યાર બાદ ઇંગ્લેન્ડના ઔદ્યોગિકરણની અસર ભારતમાં પણ ફેલાતા અહીંયા કાપડ ઉદ્યોગમાં મશીનોથી કામ થવા લાગ્યું.
☢️☣️૧૮૫૧માં પ્રથમ ભરુચમાં અને બાદમાં ૧૮૫૪માં મુંબઇમાં મિલ સ્થપાઇ. જોકે ભારતમાં મિલો અને કાપડ ઉદ્યોગની ક્રેડિટ હંમેશા ☢️☣️રણછોડલાલ છોટાલાલને જ જાય છે. ૧૮૪૭ની વાત છે. તેમણે મિલ બનાવવાની યોજના વિચારી કાઢી. આ યોજનાને સાકાર કરવા તેમણે મિત્રોનો સંપર્ક કર્યો અને તેમને તે સમજાવી. જોકે મિત્રોને મિલ સફળ જશે કે નહીં તે બાબતે શંકા જતાં તેમણે યોજનામાં જોડાવાની ના પાડી દીધી. જોકે રણછોડલાલે ધીરજ અને હિંમતપૂર્વક આગળ વધવાનું ચાલુ રાખ્યું. પોતાના મિત્ર ✴️મજર જેમ્સ કૂલની મદદથી તેમણે મેસર્સ બ્રાયન એન્ડ ડંકન પાસેથી વિવિધ એસ્ટીમેટ્સ મેળવ્યા. અમદાવાદના સમૃદ્ધ રોકાણકારો પાસેથી⭕️ રોકાણ ન મળતાં તેઓ ભરુચમાં જીનિંગ ફેક્ટરી ચલાવતાં મિ. લેઇડનને મળ્યાં. લેઇડને અડધી મૂડી પૂરી પાડવાનું વચન આપ્યું. જોકે બન્ને વચ્ચે શરતો બાબતે એકમત ન સધાતાં સમગ્ર પ્લાન પડતો મૂકાયો.

♻️♻️મડીની આ આશા પર પણ પાણી ફરી વળ્યા છતાં રણછોડલાલ નાસીપાસ ન થયા. જેમજેમ તેમના સપનામાં વધુને વધુ અવરોધો આવી રહ્યા હતાં તેમતેમ તેઓ પોતાના પ્રયત્નોને વધુ તેજ બનાવતા ગયાં. છેવટે તેમને વડોદરાના શામળ બેચર, રાજપીપળાના મહારાજા અને ગૌરીશંકર ઉદયશંકર ઓઝાની મદદ મળી. આ મદદથી તેમણે ભાગીદારીમાં ઇંગ્લેન્ડમાં રહેતા દાદાભોય નવરોજી દ્વારા વિવિધ મશીનરીનો ઓર્ડર મૂક્યો. તે વખતે મુંબઇ મોટું બંદર હતું. જોકે મુંબઇ-અમદાવાદ વચ્ચે રેલવે ન હોવાથી મશીનરી વહાણથી ગુજરાતના ખંભાત બંદર માટે બુક થઇ. 🌀🌀જોકે માલસામાન લાવતું પ્રથમ વહાણ મધદરિયે તોફાનમાં સપડાતાં મશીનરી તેમજ અન્ય સામાન અમદાવાદ લાવી શકાયો નહીં. ઘણું નુકસાન પણ થયું. જોકે રણછોડલાલે આ હોનારતથી ડગ્યા કે ચલિથ થયા વગર ફરીથી ઇંગ્લેન્ડમાં ઓર્ડર મૂક્યો. 💠🌀છવટે મશીનરી ખંભાત આવી પહોંચી. વિશાળ વહાણમાંથી નાની હોડીઓ મારફતે મશીનરી કિનારે લવાઇ અને ત્યાંથી ૨૦૦ જેટલા બળદગાડા ભરીને છેવટે મશીનરી અમદાવાદ પહોંચી. 💠♻️રણછોડલાલની ૧૪ વર્ષની સખત મહેનત પછી આવી પહોંચેલી મશીનરીની મદદથી 💠અમદાવાદમાં ધ અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ્સ અસ્તિત્વમાં આવી. મિલની સ્થાપનાનો દિવસ હતો💠 ૩૦ મે, ૧૮૬૧. જેનેે ૨૦૧૧માં ૧૫૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે.
💠🌀આ મિલ બાદમાં શાહપુર મિલ તરીકે જાણીતી બની. આ મિલને સ્થાપવામાં મોટું સાહસ જોડાયેલું હોવાથી શ્રીમતી એડિંગ્ટન દ્વારા મિલના એન્જીનને ‼️〽️⚠️'એડવેન્ચર' નામ આપ્યું. નિષ્પ્રાણ અમદાવાદ શહેરમાં પ્રાણ ફૂંક
વા માટે રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં મિલ સ્થાપી હતી. પાછળથી આ જ મિલ અમદાવાદને ફરીથી ધમધમતું કરવામાં નિમિત્ત બની હતી. અમદાવાદને વૈશ્વિક ઓળખ અપાવનારા મિલ ઉદ્યોગના પાયામાં શાહપુર મિલની સ્થાપનાને ઇતિહાસકારો પણ અતિ મહત્વની લેખે છે.
🔳🔲રણછોડલાલના કાપડ ઉદ્યોગમાં યોગદાનને લીધે લોકોએ તેમને રેંટિયાવાળાનું બિરુદ પણ આપી દીધું હતું.
શાહપુર મિલની શરુઆત

જ્ઞાન સારથિ, [30.04.17 01:09]
[Forwarded from Yuvirajsinh Jadeja]
વખતે ફુલ્લી પેઇડ અપ કેપિટલ ૩૫,૦૦૦ રુપિયા હતી. જેમાં રણછોડલાલ, મગનભાઇ કરમચંદ, હઠીસીંગ કેસરીસિંગ, પ્રેમાભાઇ હીરાભાઇ, ગૌરીશંકર ઓઝા અને શ્રી વ્હાઇટ વગેરે સરખે હિસ્સે ભાગીદાર હતાં. મિલના પાયામાં રણછોડલાલ હોવાથી સ્વાભાવિક રીતે તેનું મેનેજમેન્ટ તેમને જ સોંપાયું. જેમાં વેચાણ પર અઢી ટકા કમિશન નક્કી કરાયું હતું.
🔷 અમદાવાદની પ્રથમ મિલ શરુ થયા પછી અન્ય લોકોમાં પણ હિંમત આવતાં ૧૮૬૭માં શેઠ બેચરદાસ અંબાઇદાસ લશ્કરીએ રાયખડમાં બીજી મિલ શરુ કરી. બાદમાં રણછોડલાલે ૧૮૭૭માં અને મનસુખભાઇ ભગુભાઇએ ૧૮૭૮માં મિલો શરુ કરી. આમ બે જ દાયકાના અંતે અમદાવાદમાં ચાર જેટલી મિલો ધમધમતી થઇ ગઇ હતી.
🔷૧૯૩૯માં તો અમદાવાદમાં ૮૧ જેટલી મિલો સ્થપાઇ ગઇ હતી. આજે મિલોના શહેર તરીકે જાણીતા અમદાવાદમાં માત્ર સાત જ મિલો ચાલુ છે. શહેરની પ્રથમ મિલ એવી શાહપુર મિલના હાલ કોઇ અવશેષ બચ્યા નથી. શાહપુર મિલ કમ્પાઉન્ડ તરીકે ઓળખાતી જગ્યા પર અત્યારે મકાનો બની ગયા છે.

🔷🔶
અમદાવાદમાં મિલોની ચડતી અને પડતી
વર્ષ મિલની સંખ્યા
૧૮૬૧ =૧
૧૮૭૯ ૪
૧૮૯૩ ૯
૧૮૯૬ ૧૩
૧૮૯૮ ૨૧
૧૯૦૦ ૨૭
૧૯૦૬ ૩૩
૧૯૧૦ ૫૨
૧૯૨૬ ૬૦
૧૯૩૩ ૭૮
૧૯૩૯ ૮૧
૧૯૫૮ ૬૬
૧૯૮૭ ૩૬
૧૯૯૨ ૩૪
૧૯૯૭ ૨૮
૨૦૧૧ =૭
અમદાવાદની ચાલુ મિલો
- અરવિંદ મિલ
- અંકુર મિલ
- અરવિંદ ઇન્ટેક્સ મિલ
- અશોકા કોટસીન મિલ
- સોમા ટેક્સટાઇલ
- આશિમા મિલ
- અસારવા મિલ

🔲🔵ગાંધીજીનું અમદાવાદમાં સ્થાપી થવાનું કારણ મિલો જ હતી
અમદાવાદમાં કાપડની મિલોએ એક સંસ્કૃતિ ઊભી કરી હતી
મિલો તૂટી પડતાં સામાજિક માળાખા તૂટી પડયા ઃ મિલ મજૂરનાં ટિફિન કરફ્યૂ પાસની ગરજ સારતા હતા

🔴🔵🔳અમદાવાદમા રણછોડલાલ છોટાલાલે પ્રથમ મિલ સ્થાપ્યા બાદ કૂદકેને ભૂસકે કાપડ ઉદ્યોગ વધતો ગયો. એટલે સુધી કે અમદાવાદની નોંધ વિદેશોએ પણ લેવી પડી હતી. જોકે કાળક્રમે અમદાવાદની મિલ સંસ્કૃતિ પડી ભાંગી હતી. કારણ કે શેઠિયાઓ આધુનિકતા સાથે કદમ મિલાવી શક્યા ન હતા. ઇતિહાસના અધ્યાપક ડો. રીઝવાન કાદરીએ અમદાવાદની મિલો વિશે જણાવ્યું હતું કે, અમદાવાદમા મિલો એક સંસ્કૃતિ હતી. મિલોની સાથે કેટલાય લોકોની રોજગારી જોડાયેલી હતી. એટલે સુધી કે ગાંધીજીએ ૧૯૧૫માં આફ્રિકાથી પરત ફરીને અમદાવાદ ખાતે સ્થાયી થવાનું નક્કી કર્યું, તેના કારણમાં અમદાવાદમાં સ્થપાયેલો કાપડ ઉદ્યોગ જ હતો. અમદાવાદની મિલોએ એવો તો વિકાસ કર્યો તો કે ઇંગ્લેન્ડની મિલો પણ તેનાથી હાંફી ગઇ હતી. અમદાવાદની મિલ સંસ્કૃતિની કેટલીક વિગતો જાણવા જેવી છે.
🔵- અમદાવાદની મિલો એક સંસ્કૃતિ હતી. મિલ મજૂરો તહેવારો સાથે ઊજવતાં. દરેક મિલની બહાર કટલરીથી માંડીથી ભજીયાવાળાની લારીઓ જોવા મળતી. આમ મિલો મજૂરો સિવાય કેટલાયને રોજગારી આપતી.
🔵- મોટાભાગના મિલોમાં મંદિરો હતાં. મિલોમાં કેટયાય વિભાગોમાં કામ થતાં. જ્યાં શાળ ખાતામાં દલિતોને જવા દેવાતા ન હતાં. વિવિધ જ્ઞાાતિ પ્રમાણે ત્યાં પરબો પણ અલગ હતી.
🔵- મિલોને કારણે અમદાવાદમાં ચાલીઓ ઉદ્ભવી. આ ચાલીઓમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો વસ્યા. મોટાભાગની ચાલીઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે, જોકે હવે મિલ મજૂરો, બંધમિલ કામદાર બન્યા છે.
🔵- કોમી તોફાનો થતાં હતાં ત્યારે મિલ મજૂરો ખાસ સ્ટેટસ ભોગવતા હતાં. તેમના ટિફિનને જોઇને જ પોલીસ તેમને જવા દેતી. ટિફિન જાણે કરફ્યૂ પાસની ગરજ સારતા હતાં.
🔵- અમદાવાદમાં સ્થપાયેલા મિલ ઉદ્યોગે આડકતરી રીતે સ્વદેશીની ચળવળને પણ ટેકો આપ્યો હતો.
🔵- અમદાવાદની મિલોએ એવી તો ઓળખ ઉભી કરી કે ઇંગ્લેન્ડની મિલો પણ તેનાથી હાંફી ગઇ.
🔵- મિલોમાં રોજ સવાર-સાંજ વાગતી સાઇરનો અમદાવાદના લોકો માટે ઘડિયાળની ગરજ સારતી હતી. મિલના ભૂંગળા પર જ્યારે પ્રથમ નિયોન લાઇટ આવી ત્યારે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
🔵- અમદાવાદની મિલો સાથે સમાજવ્યવસ્થા જોડાયેલી હતી. શેઠિયાઓ અને નવી પેઢી આધુનિકતા સાથે કદમ ન મિલાવી શકતાં અમદાવાદની મિલ સંસ્કૃતિ ધીરેધીરે પડી ભાંગી. મિલો બંધ થવાના મૂળમાં મજૂર મહાજન જેવા યુનિયનોની આપખુદશાહી પણ એટલી જ જવાબદાર હતી.
🔵- મિલ સંસ્કૃતિ નષ્ટ થતાં બંધમિલ કામદારોમાં ગુનાનું પ્રમાણ વધ્યું. આ કામદારોને સમાજ સાથે ફરીથી જોડવા માટે ખાસો સંઘર્ષ કરવો પડયો. એક સમયે મિલોથી ધમધમતા આ શહેરમાં આજે સાત જ મિલ બચી છે.

No comments:

Post a Comment