Wednesday, April 3, 2019

3 April

જ્ઞાન સારથિ, [02.04.17 22:48]
⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

👁‍🗨૩ એપ્રિલ 👁‍🗨
🌺💐ફિલ્ડમાર્શલ સામ માણેકશા💐🌺
                                      
🌻🔜ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડા જનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ તા. ૩/૪/૧૯૧૪ના રોજ અમૃતસરમાં થયો હતો.



🌻🔜પિતાનું નામ હોરમસજી હતું.

🌻🔜તમણે અમૃતસરની કોલેજમાં શિક્ષણ લીધું હતું.

🌻🔜પિતાની જેમ તેમને ડોક્ટર થવું હતું પરંતુ દહેરાદૂનમાં ઉપડેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં નામ નોધાવ્યું. તેમાં પસંદગી થઇ અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.

🌻🔜ઈ.સ. ૧૯૩૪મ કમિશન્ડઓફિસર બન્યા બાદ કેપ્ટન બન્યા.

🌻🔜ઈ.સ. ૧૯૪૨માં જાપાને મ્યાનમાર (બ્રહ્મદેશ) પર આક્રમણ કર્યું ત્યારે તેમણે અસાધારણશૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું.

🌻🔜 આ સમયે અંગ્રેજી સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી.

🌻🔜તમનું મરણોત્તર બહુમાન કરવાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ભાવનાથી પ્રેરાઈને ૧૭મી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ હોવાને યુદ્ધભૂમિ પર પોતાનો મિલિટરીક્રોસ માણેકશાના પોશાક પર લગાડી દીધો અને લશ્કરી ઐતિહાસિકની એક અન્ય ઘટનાને આકાર લીધો.

🌻🔜 ૨૨ ફેબુઆરી ૧૯૪૨ના રોજ યુદ્ધભૂમિ પર  મિલિટરી ક્રોસ મેળવવાનું વિરલ તેમણે પ્રાપ્ત થયું હતું.

🌻🔜માણેકશા વતનમાં પાછા આવ્યા ત્યારે અહી ઐતિહાસિક પરિવર્તન થઇ રહ્યું હતું.

🌻🔜દશમાં ભાગલાના અને અંગ્રેજોની વિદાયના ભણકારા વાગી રહ્યા હતા.

🌻🔜 ભારત સ્વતંત્ર થતાં જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. તેનો જવાબ  આપવા માટે ફરી એક વખત માણેકશાને તક મળી.

🌻🔜તમને ઈ.સ. ૧૯૬૨માં ચીની આક્રમણ વેળા નેફા મોરચે નોંધપાત્ર કામગીરી બાદ વિવાદ ઉભો થયો.

🌻🔜સરક્ષણપ્રધાન કૃષ્ણમેનન દ્વારા ત્રણ સભ્યોનું તપાસપંચ તેમની સામે નીમવામાં આવ્યું.

🌻🔜અલબત્ત પંચે તેમણે નિર્દોષ ઠેરવ્યા અને ઘટના બાદ તેમનો અસાધારણ હિંમત, યુદ્ધનિપુણતા  અને વ્યવ્સ્થાશાક્તિની કદર રૂપે તેમણે લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો એનાયત થયો.

🌻🔜તયારપછી તેઓ ઈ.સ. ૧૯૬૪માં જનરલ ઓફિસર કમાન્ડીંગ તરીકે લશ્કરના પશ્ચિમવિભાગના અને ઈ.સ. ૧૯૬૫માં લશ્કરમાં પૂર્વ વિભાગના વડા બન્યા.

🌻🔜ઈ.સ. ૧૯૬૯ સુધીમાં તેઓ સેનાધિપતિ બન્યાં.

🌻🔜આ સૌમાં તેમની ઈ.સ. ૧૯૭૧ની શિરમોર કારકિર્દી ભારે યશસ્વી નીવડી બાંગ્લાદેશના સર્જન પૂર્વ ડીસેમ્બર ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કર સાથે ૧૨ દિવસનું યુદ્ધ ખેલીને તેમણે ભારતને વિજયી બનાવ્યું.

🌻🔜ગજરાતી ઉપરાંત પંજાબી,પુશ્તો,ગોર્ખાલી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ ઉપર એમને અચ્છો કાબૂ હતો.

🌻🔜તમને ઈ.સ. ૧૯૬૭માં’ પદ્મભૂષણ ‘ નો ખિતાબ , ઈ.સ. ૧૯૭૨માં ‘ પદ્મભૂષણ’નો અને ઈ.સ. ૧૯૭૦માં અમેરિકન એવોર્ડ એ ઈ.સ. ૧૯૭૯માં ‘ શક્તીપદ ઓવ નેપાળ’ એવોર્ડ મળ્યો હતો. 
🌻🔜તમનું અવસાન તા. ૨૭/૬/૨૦૦૮નારોજ થયું હતું.

No comments:

Post a Comment