Thursday, July 18, 2019

સમાન સિવિલ કોડ --- Similar Civil Code

📮📭📮📭📮📭📮📭📮📭📮
*બંધારણના બારણે ટકોરા મારે છે*
*📊📊સમાન સિવિલ કોડ📊📊*
🗿🎊🗿🎊🗿🎊🗿🎊🗿🎊🗿
*🙏સુરેશ ગાંધીની મદદથી🙏✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
(ભાગ 1)

*💠શાહબાનો કેસથી કૉમન સિવિલ કોડનો પ્રશ્ર્ન રાષ્ટ્રીય સ્તર પર ચર્ચાવા લાગ્યો*

👉૨૩ એપ્રિલ સન ૧૯૮૫ના રોજ મધ્ય પ્રદેશની ઉચ્ચ અદાલતની ફુલ બૅન્ચે ન્યાયાધીશ ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળ ઈન્દોરની મહિલા શાહબાનોના પક્ષમાં ફોજદારી ધારાની કલમ - ૧૨૫ અને ૧૨૭ હેઠળ ચુકાદો આપ્યો કે તલાક પછી મુસ્લિમ મહિલાને પોતાના પૂર્વ પતિ (શૌહર) પાસેથી જીવનનિર્વાહ ખર્ચ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. આ અગાઉ મુસ્લિમ મહિલાઓ સામાન્ય રીતે આ કલમનો લાભ લેતી ન હતી.

શાહબાનો નામની મહિલાની શાદી ૧૯૩૨માં મોહંમદ અહમદશાહ નામના શખ્સ સાથે થઈ હતી. શાદી પછી તેઓ ઍડ્વોકેટ બન્યાં. ઈન્દોરની અદાલતમાં તેમણે વકીલાત શરૂ કરી. તે દરમિયાન મોહંમદ અહમદખાને પોતાની માસીની દીકરી ખાલીદા સાથે બીજી શાદી કરી. પિસ્તાલીસ વર્ષના લગ્નજીવન બાદ ૧૯૭૫માં તેમણે શાહબાનોને ઘરમાંથી કાઢી મૂકી. નીચલી અદાલતે ભરણપોષણના ખર્ચ પેટે દર મહિને માત્ર રૂ. ૨૫ નક્કી કર્યા, તેની વિરુદ્ધમાં શાહબાનોએ મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં અપીલ કરી. ત્યાંની કોર્ટે આ રકમ વધારીને રૂ. ૧૭૯ અને ૨૦ પૈસા નક્કી કરી. આની વિરુદ્ધ શાહબાનોના પતિએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. અહીં ફોજદારી કલમ - ૧૨૫ હેઠળ શાહબાનોને ભરણપોષણ ખર્ચ ઉપરાંત કેસ લડવા નિમિત્તે ‚પિયા દસ હજાર પણ તેના પતિને ચૂકવવા પડ્યા. આ ચુકાદાથી મુસ્લિમ જગતમાં હડકંપ મચી ગયો. તેમને લાગ્યું કે તેમના પર્સનલ લૉ ઉપર ન્યાયતંત્રે તરાપ મારી છે. પરિણામે દેશભરમાં ઉગ્ર વિરોધ થયો. આખરે પ્રગતિશીલ ગણાતા વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ માત્ર મુસ્લિમ તુષ્ટિકરણ કરવા માટે બંધારણીય સુધારો કરી મુસ્લિમ બાનુઓના ભરણપોષણ મેળવવાના હક્કને છીનવી લીધો.

વાલ્મીકિ ઋષિ -- Valmiki sage

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*✅♻️વાલ્મીકિ ઋષિ✅♻️*
⭕️💠⭕️💠⭕️💠⭕️💠💠⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

આદ્યકવિ, રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.

🔰🙏એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મહર્ષિને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. ઋષિએ તેને કહ્યું કે, જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે ? કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.

🙏🎯મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઊધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.

રશિયાની અંતરીક્ષ ક્ષેત્રે સિદ્ધિઓ અને અમેરિકા અને ભારત --- Achievements in Russia's Space Field And America and India

🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*🗣🗣રશિયાની અંતરીક્ષ ક્ષેત્રે સિદ્ધિઓ
અને અમેરિક અને ભારત*
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*🎯👉રુસી વિજ્ઞાનીઓએ અંતરીક્ષમાં સ્પૂતનિક છોડી અંતરીક્ષ યુગમાં ઈતિહાસ રચ્યો. સ્પૂતનિકે પૃથ્વીની પરિક્રમા કરવી શરૂ કરી. દર ૯૦ મિનિટે તે પૃથ્વીની પરિક્રમા પૂરી કરતો.*
*🔰આ પ્રસંગથી અમેરિકા વિજ્ઞાનીઓ ઝાંખપ અનુભવવા લાગ્યાં. 👁‍🗨👁‍🗨તેમણે પણ નાસા સંસ્થા શરૂ કરી અંતરીક્ષમાં મેદાન મારવાનો પ્રારંભ કર્યો. 👁‍🗨👁‍🗨એ સ્પષ્ટ છે કે જેણે અંતરીક્ષ સર કર્યું છે તેણે બધું જ સર કર્યું છે. તે સર્વોપરી છે. કારણ કે બધું જ અંતરીક્ષની નીચે છે. અંતરીક્ષમાં છે એટલે અંતરીક્ષની નીચે છે. હવે જમીન પરની મિલિટરી, નેવી, એરફોર્સ બધું જ અંતરીક્ષની નીચે છે. ઉપરથી અણુબોમ્બ ફેંકીને પૃથ્વી પર સર્વનાશ કરી શકાય છે. માટે અમેરિકા ચિંતિત થઈ ગયું. હવે જમીન પરના લશ્કરની કોઈ હિંમત રહી નહીં.*

ટેક્નોલોજી અને સમાજજીવન -- Technology and Social Life

🔭⚗💈🔬🕳📱📲💻⌨🖥🖨
*⏲ટેક્નોલોજી અને સમાજજીવન🎛*
🖲🕹🖱🗜💽💾📽🎥📹📸📷
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*

*🎛જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય. અહિં આપણો હેતુ ઉત્પાદનની એવી પધ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. આપણે આપણી આસપાસ નજર કરીએ છીએ ત્યારે આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે. પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. બજારમાં રોજે-રોજ નવા નવા મોડલનાં ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોટર સાઇકલ, ગાડી વગેરે ઠલવાઇ રહ્યાં છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ, આપણું ઘર પણ આમાંની ઘણી ચીજવસ્તુઓથી ભરાઇ ગયું છે. એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.*

ટેલિવિઝન --- Television

📺📺📺📺📺📺📺📺
*📺📺ટેલિવિઝન 📺📺*
📺📺📺📺📺📺📺📺
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

મિત્રો સ્કોટિશ એન્જિનિયર જોહ્‌ન લોગી બેર્ડે 1925ની બીજી ઓક્ટોબરે પોતાની લેબમાં પહેલું ટેલિવિઝન સ્વીચ ઓન કર્યું હતું. *અને જે.એલ.બેયર્ડને ટેલિવિઝનના શોધક તરીકે ઓળખવામાં આવે છે...*

*મિત્રો આ એક વ્યક્તિ ની શોધ ને કારણે સમાજમાં કેટલું મોટું પરિવર્તન લાવી દીધું..*

*થોડા દિવસ પહેલાં જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા માં લોકગીત ની સમાજ જીવનમાં અસર આ પ્રશ્ન પૂછ્યો હતો..તેની મેં અગાઉ થી તેની વિસ્તૃત માહિતી આપેલ.. પરંતુ ભવિષ્યમાં મુખ્ય પરીક્ષા મા એવો પ્રશ્નો પણ આવી શકે કે ટેલિવિઝનની સમાજ જીવનમાં અસર... અથવા ટેલિવિઝનના લાભાલાભ.. ત્યારે આ લેખ આપને જરૂર ઉપયોગી રહશે...અને આપણી જાણકારી માટે પણ આ સમજવું જોઈએ...👇👇*

📺ટેલિવિઝન અગત્યનું સંચાર માધ્યમ છે. *📺આ માધ્યમથી આપણે દૂર બનતા બનાવોનાં દ્રશ્યોને તત્ક્ષણ જોઈ શકીએ છીએ.*
*📺ટેલિવિઝનનો આવિષ્કાર ઈ. સ. 1926 માં ઈંગ્લૅન્ડના જોન એલ. બેયર્ડે કર્યો હતો.*

બહાઈ ધર્મ 200 વર્ષ --- 200 years of Bahai dynasty

💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
*🔰🔰બહાઈ ધર્મના 200 વર્ષ🔰🔰*
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*બહાઈ આ શબ્દ એ બહા ‘ઈ Bahá’u’lláhનાં અનુયાયીઑ માટે અને આસ્થાનાં વિશેષણ તરીકે વપરાય છે. *
*💠Bahá’u’lláh આ શબ્દ તે અરેબિક શબ્દ Bahá માંથી તારવેલ છે જેનો અર્થ વૈભવ થાય છે.*

*💠Bahá’u’lláh થી Bahaism આ શબ્દ અસ્તિત્વમાં આવેલ છે. પરંતુ સામાન્ય ભાષામાં બોલવામાં સરળતા રહે તે હેતુથી Bahaism બહાઈ ધર્મનાં નામે વધુ પ્રચલિત છે.*

*💠શરૂઆતમાં ઇસ્લામ ધર્મનાં જ એક ભાગ રૂપે નિર્વાણ થયેલ આ ધર્મ હવે એક સ્વતંત્ર ધર્મ છે. બહાઈ ધર્મ ઈશ્વરની, ધર્મની અને માનવજાતની એકતા એમ મુખ્ય ત્રણ સિધ્ધાંતો પર આધાર રાખે છે.*

*💠બહાઈ ધર્મ માને છે કે સમયાનુસાર બહાઈ ધર્મનાં ઉપદેશો અને સિદ્ધાંતનો દિવ્ય સંદેશવાહક પૃથ્વી પર આવે છે તે જ સંદેશવાહક ઈશ્વરનો અવતાર છે. આ ધર્મને સૌથી સૌથી નાના ધર્મ તરીકે અને સૌથી નવો ધર્મ માનવામાં આવે છે.*

જય વિજયાદસમી --- Jay Vijayadamsmi

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
🙏💠🙏💠🙏💠🙏💠🙏💠🙏💠
💠💠💠જય વિજયાદસમી💠💠💠
🙏💠🙏🙏💠🙏💠💠🙏💠🙏💠
ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તહેવાર અને ઉત્સવનું ધર્મની સાથે પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. દશેરા અર્થાત વિજયાદસમી પણ આવો જ એક તહેવાર છે જેમાં રાવણના દસ માથાં અર્થાત માનવજીવનની દસ ખામી કે મર્યાદાઓેને હણીને વિજય પ્રાપ્ત કરવાનો છે. રાવણનાં માથાંં આસુરી શક્તિઓનાં પ્રતીક છે, એ આસુરી શક્તિઓ આજના સંદર્ભમાં કઈ છે?
હિંદુ સહિત દુનિયાના દરેક ધર્મ માટે આમ તો એ વાત સાચી જ છે કે ધાર્મિક પરંપરાઓ અને તેની સાથે સંકળાયેલા તહેવારોની એક ચોક્કસ વિશેષતા હોય છે, તેનું પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. તેને હજુ પણ ધાર્મિક જડતા સાથે જોડી રાખવામાં આવે તે કોઈ રીતે યોગ્ય નથી. સમયની હાલની માંગ પ્રમાણે તેમાં પ્રતીકાત્મક ફ્ેરફર લાવીને સમય-શક્તિ-નાણાં અને સ્રોતોનો બગાડ અટકાવવા માટે એ જરૃરી છે. અલબત્ત, તેનો અર્થ એવો જરાય નથી કે દિવાળીમાં ફ્ટાકડા ના ફેડવા કે નવરાત્રિમાં ગરબા ગાવાનું બંધ કરી દેવું કે પછી ધૂળેટી કે ઉત્તરાયણની ઉજવણી બંધ કરી દેવી. આ પરંપરાઓ તો ચાલુ રાખી જ શકાય, પરંતુ સાથે તેમાં વર્તમાન સમય પ્રમાણે ફ્ેરફર કરીને તેને વધુ લોકભોગ્ય, વધુ ઉપયોગી બનાવી શકાય. આ સંદર્ભમાં દસેરા અર્થાત વિજયાદસમીની ઉજવણી પણ તેનું પરંપરાગત મૂલ્ય જાળવી રાખીને પ્રતીકાત્મક બનાવી શકાય.
વિજયાદસમી કે દસેરા તરીકે ઓળખાતો આપણા આ મહત્ત્વના તહેવાર વિશે અહીં વિગતો આપવાનો કોઈ અર્થ નથી કેમકે આ તો આપણો જ તહેવાર છે, આપણી જ પરંપરા છે અને તેના વિશે આપણે જાણીએ છીએ. વિજયાદસમી શા માટે ઉજવાય છે એ માહિતી તો જે લોકો હિંદુ ધર્મ અને પરંપરાથી પરિચિત નથી તેમને આપવી પડે. આપણે આ તબક્કે એક અલગ વિજયાદસમી ઉજવીએ, એક અલગ દસ-હરા ઉજવીએ. ધર્મ અને શાસ્ત્ર્રોનું અર્થઘટન કરનાર વિદ્વાન ઋષિમુનીઓએ રાવણના દસ માથાંની કલ્પના કંઈ સ્થૂળ સ્વરૃપે નથી કરી. પણ તેમાં અલગ અલગ આસુરી શક્તિઓનો સંકેત છે અને તેનો જ નાશ કરવાનો છે. એ નાશ જે તે વ્યક્તિ પોતે કરી શકે અથવા જેમણે ધર્મ અને અધ્યાત્મથી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે એવા ગુરુની મદદથી નાશ થઈ શકે. રાવણના લક્ષણો દરેક સામાન્ય માનવીમાં પડેલાં હોય છે. કોઈમાં વધારે હોય, કોઈમાં ઓછા.