Sunday, July 7, 2019

એલેક્ઝાન્ડર કિ. ફૉર્બસ (ફાર્બસ સાહેબ) ---- Alexander K. Farbus (Pharbus Saheb)

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
એલેક્ઝાન્ડર કિ. ફૉર્બસ (ફાર્બસ સાહેબ)
💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
 ✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ગજરાત આ પ્રજાપ્રેમી અંગ્રેજ ઓફિસર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસને ફાર્બસ સાહેબ તરીકે જાણે છે.

👉સકોટલેન્ડ (ઈંગ્લેન્ડ) ના વતની એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઈસ્ટ ઈંડિયા કંપની ની અંગ્રેજ હકૂમત માટે અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા.👇

👉એપ્રિલ 15, 1850 ના રોજ ફાર્બસ સાહેબની
સુરતના સેશન્સ જજ તરીકે નિમણૂક થઈ. ફાર્બસ સાહેબે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી તથા અન્ય અગ્રણી પ્રજાજનો સાથે મૈત્રીભર્યા સંબંધો વિકસાવ્યા.



🎯🎯સરત શહેર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસે ઉર્ફે ફાર્બસ સાહેબ પ્રતિ ત્રણ મુખ્ય કાર્યોથી ઋણી રહેશે:🙏🙏🙏👇👇

🎯1⃣પરથમ તો, ફાર્બસ સાહેબની પ્રેરણાથી જુલાઈ 1, 1850ના રોજ સુરતમાં વિખ્યાત
એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના થઈ.

🎯2⃣બીજું, ફાર્બસ સાહેબની જ પ્રેરણાથી ઓક્ટોબર 10, 1850ના દિને સુરત શહેરના પ્રથમ વર્તમાનપત્ર “સુરત સમાચાર” નો આરંભ થયો.

🎯3⃣તરીજું, સુધરાઈની સ્થાપના માટે જનમત કેળવવાનું. તે સમયે પ્રજા એટલી રૂઢિચુસ્ત હતી કે સુધરાઈ જેવી લોકોપયોગી સંસ્થા વિષે પણ તર્ક-વિતર્ક કરતી હતી. ફાર્બસ સાહેબ કવિ દલપતરામ અને દુર્ગારામ મહેતાજી જેવા સુધારક મિત્રો સાથે સુરતના લત્તે લત્તે ફર્યા અને સુધરાઈ વિષે લોકોની ગેરસમજ દૂર કરવા પ્રયત્નો કર્યા. જનમત તૈયાર કરી સુધરાઈની સ્થાપના માટે વાતાવરણ ઊભું કરીને ફાર્બસ સાહેબે સુરતના વિકાસ માટે પાયા નાખ્યા. 1852માં સુરત શહેરમાં સુધરાઈની સ્થાપના થઈ.

▶️ગજરાત અને ગુજરાતી ભાષાને પ્રેમ કરનાર સંસ્કારપ્રેમી, જનહિતવાંચ્છક ફાર્બસ સાહેબ ને ગુજરાત હંમેશા કૃતજ્ઞતાથી યાદ રાખશે.

🎯એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસ (Alexander Kinloch Forbes) – ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રથમ સ્કૉલર, ચાહક અને પ્રોત્સાહક. એલેક્ઝાન્ડર ફાર્બસ, (જન્મ – ૭ જુલાઈ ૧૮૨૧; મરણ – ૩૧ ઓગસ્ટ ૧૮૬૫) માત્ર ૪૪ વર્ષ જેટલું ટૂંકું પણ કરોડો ગુજરાતીઓને સદીઓ સુધી પ્રભાવિત કરનારૂં જીવન જીવી ગયા.

🎯સકોટલેન્ડમાં જન્મેલાં ફાર્બસ (અંગ્રેજી નામ પ્રમાણે ફૉર્બ્સ પણ ગુજરાતી સાહિત્યવિદ્દોમાં ફાર્બસના નામે ઓળખાતા) કોલેજના અભ્યાસકાળ દરમ્યાન જ સર વિલ્યમ જોન્સનાં પુસ્તકોના અભ્યાસને કારણે ભારત પ્રત્યે આકર્ષાયા હતા. આથી તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિવિલ સર્વિસમાં જોડાયા હતા અને ૧૮૪૩ના ડિસેમ્બરની ૩૦મી તારીખે તેમણે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો હતો. બ્રિટિશ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ કલેક્ટર, પોલિટિકલ એજન્ટ, આસિસ્ટન્ટ જજ વગેરે પોસ્ટ પર રહીને અહેમદનગર, ખાનદેશ, અમદાવાદ, સુરત, કાઠીયાવાડ, બોમ્બે જેવી જગ્યાઓએ કામ કર્યું. વર્ષ ૧૮૬૨ માં નવી સ્થપાયેલી બોમ્બે હાઇકોર્ટના પ્રથમ છ જજીસમાં ફાર્બસ પસંદગી પામ્યા. તેઓના ભારતીય સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેના લગાવ અને સંત જેવા ચારિત્રને કારણે જ તેઓ “beloved of the Judges of his time” (“તેમના સમયના જજીસમાંના અતિ પ્રિય”) નું બિરૂદ પામ્યા હતા. આ ઉપરાંત ૧૮૫૭ માં સ્થાપાયેલ યુનિવર્સિટી ઓફ બોમ્બેના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓ નિમણુંક પામ્યા હતા. આજે પણ ફાર્બસની યાદમાં યુનિવર્સિટી ઓફ બોમ્બે દ્વારા કાયદાશાસ્ત્રની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને “કિન્લોક ફૉર્બસ ગોલ્ડન મેડલ” થી સમ્માનિત કરાય છે.


✅🎯સિવિલ સેવામાં પ્રવૃત્ત ફાર્બસનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ ૧૮૪૬ ના નવેમ્બર માસથી પાંગર્યો. આસિસ્ટન્ટ જજ તરીકે અમદાવાદમાં આવ્યા બાદ આ સાહિત્યિક જીવડાએ ગુજરાતમાં લિટરેચર સોસાયટીની ગેરહાજરીની ખાસ નોંધ લીધી. સને ૧૮૪૮ માં ગુજરાતી કવિ દલપતરામ સાથે મુલાકાત થઇ જેમની પાસેથી ફાર્બસે ગુજરાતી ભાષા અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. કવિ દલપતરામને તેમણે ગુજરાતી નાટક લખવા પ્રેર્યા જેના ફળસ્વરુપ લક્ષ્મી નાટક ૧૮૪૯ માં પ્રસિધ્ધ થયું.

🔘🎯ગજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટે ૨૬ ડિસેમ્બર ૧૮૪૮ નો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખાવો જોઈએ. આ દિવસે ફાર્બસે ગુજરાત વર્નાકયુલર સોસાયટી ની સ્થાપના અમદાવાદના જુના પ્રેમાભાઈ હૉલ ખાતે કરી કે જેણે ગુજરાતી ભાષાના સાહિત્યિક પુન:જીવનમાં (literary renaissance) મુખ્ય ફાળો આપ્યો. બરોડા સ્ટેટ અને બ્રિટિશ ઓફિસર્સ પાસેથી મેળવેલા રુપિયા ૯૬૦૧ થી શરૂઆત કરીને આ સોસાયટી દ્વારા તે સમયોમાં અમદાવાદમાં પ્રથમ પબ્લિક લાઈબ્રેરી, પ્રથમ છોકરીઓ માટેની સ્કૂલ, પ્રથમ ગુજરાતી પિરિયોડીકલ, પ્રથમ ગુજરાતી ન્યુઝપેપર (‘વર્તમાન’) અને પ્રથમ ગુજરાતી સાહિત્યિક મૅગેઝિન (‘બુદ્ધિપ્રકાશ’)ની શરૂઆત કરવામાં આવી. આ સોસાયટીની પ્રવૃતિઓ દ્વારા ગુજરાતી ભાષાના વિકાસને વેગ મળ્યો, એ સાથે ગુજરાતી ભાષા-સાહિત્યના વિદ્વાનો પ્રાપ્ત થયા, શિક્ષણને વેગ મળ્યો અને ત્યાર પછીની સામાજિક સુધારણાઓ માટે તે કારણભૂત બની. વર્ષ ૧૯૪૬ થી આ સોસાયટી ગુજરાત વિદ્યાસભાના નામથી કાર્યરત છે. આ ઉપરાંત ફાર્બસે ૧૮૫૦ માં સુરત

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
ખાતે એન્ડ્રુસ લાઈબ્રેરી અને ૧૮૬૫ માં મુંબઈ ખાતે ગુજરાતી સભાની શરૂઆત કરી. તે સમયના ઇડર સ્ટેટ ખાતે ૧૮૫૨ માં ૩૦૦ જેટલા કવિઓ માટે તેઓએ સ્વખર્ચે મુશાયરાનું આયોજન કર્યું. ફાર્બસના ખાસ મિત્ર કવિ દલપતરામે આ મુશાયરાને તેમના પુસ્તક ‘ફાર્બસવિલાસ’ માં વિગતે વર્ણવ્યો છે.

✅♻️ગજરાતી સાહિત્ય માટેનું ફાર્બસનું અનન્ય તથા મહત્વનું પ્રદાન એટલે ‘રાસમાળા’ (Rās mālā)નું સંપાદન. ૮ મી સદી થી માંડીને બ્રિટિશર્સના આગમન સુધીનો ગુજરાતના રાજવંશો, ઐતિહાસિક પ્રસંગો અને ગુજરાતી લોક સાહિત્યોનો સંશોધાત્મક ઐતિહાસિક વર્ણનગ્રંથ બે વિભાગમાં ઘણી મહેનત સાથે ફાર્બસે તૈયાર કર્યો. અનેક હસ્તપ્રતો, પુસ્તકો, અને સરકારી દસ્તાવેજોનો અભ્યાસ કર્યો, સાથે સાથે ઘણી જગ્યાઓએ પગપાળા પ્રવાસ કરીને જૈન દેરાસરોમાં સંગ્રહિત દુર્લભ હસ્તપ્રતો અને ગુજરાતનો ઈતિહાસ ગીતો-કથાઓમાં વર્ણવતા કવિઓ (brands)ની વ્યક્તિગત મુલાકાતો કરી માહિતી અને પુરાવાઓ એકત્ર કર્યા.

🎯💠સાચે જ ફાર્બસે ઘણો શ્રમ વેઠીને ગુજરાતી સાહિત્યને અને ગુજરાતીઓને અનન્ય અને કિંમતી ભેટ આપી છે જે માટે ગુજરાતીઓ ફાર્બસના પેઢીઓ સુધી ઋણી રહેશે.🙏🙏

💠બરિટિશ રાજ માટેની જે સામાન્ય છાપ છે તેનાથી વિભિન્ન અને વિશિષ્ટ પ્રભાવ પાડનાર ઘણાં બ્રિટિશરોમાંના એક એટલે એલેક્ઝાન્ડર ફાર્બસ. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને સ્કૉલરલી અભિગમ અને પ્રોત્સાહન ફાર્બસની પહેલ અને અથાગ પ્રયત્નોથી મળ્યો છે જેનો પ્રભાવ ત્યાર પછીના ગુજરાતી સાહિત્યકારો પર જોવા મળ્યો. ગુજરાત વિદ્યાસભા (અમદાવાદ) અને ફાર્બસ ગુજરાતી સભા (મુંબઇ) આજે પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આગવું પ્રદાન આપે છે.

🎯૩૧ ઑગસ્ટ ૧૮૬૫ ના દિવસે પૂના ખાતે ૪૪ વર્ષની નાની ઉંમરે ટુંકી માંદગી બાદ સંકેલાયેલું ફાર્બસનું જીવન ઘણાઓને માટે આઘાતસમ હતું. તેમના નજીકના મિત્ર કવિ દલપતરામે તેમની યાદમાં
‘ફાર્બસવિરહ’ નામે શોકગીત (elegy) લખ્યું. ફાર્બસ ગુજરાતી સભાના તે સમયના અધિકારી મંડળીના સભ્ય શ્રી વિશ્વનાથ નારાયણ મંડલિકે ફાર્બસને અંજલી આપતા કહ્યું હતું કે, “ગુજરાતના કવિઓ, વિદ્વાનો, અભ્યાસીઓ વગેરે માટે તો ફાર્બસ વિક્રમાદિત્ય કે રાજા ભોજ જેવા હતા.”

ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિને પુન:જીવિત કરી નવી દિશા આપનાર એલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બસને આ યુવરાજસિંહ જાડેજા ગુજરાતીની સલામ.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🗞📘🗞📘🗞📘🗞📘🗞📘🗞📘
📕📕📕એલેક્ઝાન્ડર ફાર્બસ📕📕📕
📙🗞📙🗞📙🗞📙🗞📙🗞📙🗞
 ✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ગજરાત વર્નાકુલર સોસાયટીના સ્થાપક અને ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસનો જન્મ તા. ૭/૭/૧૮૨૧ના રોજ લંડનમાં થયો હતો.

👉તઓ ઇસ્ટ ઇન્ડીયા કંપનીની નોકરી અર્થે ગુજરાતમાં આવી ગુજરાતી ભાષા, સાહિત્ય , શિક્ષણ અને સંસ્કૃતિની અનન્ય સેવા કરનાર અંગ્રેજ સજ્જન ફાર્બસ સાહેબનું ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન છે.
👉તમણે ગુજરાતી ભાષા અને સાહિત્યની ઉન્નતિ માટે ઈ.સ.૧૯૪૮માં ગુજરાત વર્નાકુલર સોસાયટીની સ્થાપના કરી હતી. અને તે સંસ્થા દ્વારા તેમણે અનેક ઉપયોગી પ્રવૃતિઓ આદરી હતી.
♦️ઈ.સ. ૧૮૫૨માં ઇડરમાં પોતાના ખર્ચે ૩૦૦ જેટલા કવિઓનો મુશાયરો ગોઠવ્યો હતો. મુંબઈમાં ‘ ગુજરાતી સભા’ની સ્થાપના કરી. જે હવે ફાર્બસ ગુજરાતી સભા તરીકે ઓળખાય છે.
👉તમનું બીજું મહત્વનું પ્રદાન એ છે કે 👉‘ રાસમાળા ભાગ- ૧અને ૨ ના સંપાદનની કામગીરી કરી હતી. રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોના દસ્તાવેજ સમું આપુસ્તક તૈયાર કરવા માટે તેમણે પગપાળા મુસાફરી પણ કરી હતી.
💠અર્વાચીન સમયમાં ગુજરાતના ઇતિહાસના આલેખનમાં પ્રથમ પ્રયત્ન અને ત્યારપછીના લખાણો ઈતિહાસ વાર્તાઓ નાટકોના અવતાર સમું બની રહ્યું.
💠આ ઉપરાંત ગુજરાતી ભાષાનીપ્રશિષ્ટ કૃતિઓનું સંકલન અને સંપાદન કર્યું છે.
🎯ઈ.સ. ૧૮૪૯માં તેમણે ગુજરાતી વર્તમાન પત્રની શરૂઆત કરી હતી.
🎯ઈ.સ. ૧૮૫૦માં મગનભાઈ કન્યાશાળાની સ્થાપના કરી હતી. આવા મહાન ગુજરાતી પ્રેમી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસનું ૩૧ ઓગસ્ટ ૧૮૬૫ના રોજ અવસાન થયું.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

એલેક્ઝાંડર કિનલોક ફોર્બ્સ (૧૮૨૧-૧૮૬૫) એ સવાયો ગુજરાતી એવો અંગ્રેજ અમલદાર હતો. ગુજરાતીઓ એ નામથી કદાચ એટલા માટે વાકેફ નથી કે તેનું નામ 'ફોર્બ્સ'ની યાદીમાં ચમક્યું નથી. 'ફાર્બસસાહેબ' તરીકે જાણીતા એ ગોરાએ કવિ દલપતરામ પાસે ગુજરાતી ભાષા શીખી હતી. ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃિત અને કલા માટે તેણે ભેખ લીધો હોય એવું કામ કર્યું છે. મુંબઈમાં તેણે સ્થાપેલી 'ગુજરાતી સભા'એ ૧૫૦ વર્ષ પૂરાં કર્યાં છે. આ વર્ષે ઓગસ્ટમાં તેમની ૧૫૦મી મૃત્યુિતથિ છે ત્યારે તેમણે કરેલાં કામ પ્રત્યે કૃતજ્ઞા થવાનો અવસર છે

✅અગ્રેજ કાળમાં ભારતમાં સ્થપાયેલી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ગુજરાતી ભાષાનું સંવર્ધન કરતી સૌથી જૂની સંસ્થા છે. સાથે સાથે ભારતમાં પ્રાદેશિક ભાષાઓ માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થાઓમાં પણ વર્નાક્યુલર સોસાયટીની ગણતરી થાય છે. અંગ્રેજ અધિકારી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે ગુજરાતી કવિ દલપતરામ સાથે મળીને સ્થાપેલી સંસ્થા હવે 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાય છે. ગુજરાતી ભાષાની સૌથી જૂની હસ્તપ્રત વિદ્યાસભા અંતર્ગત આવેલા ભોળાનાથ 'જેસિંગભાઈ અધ્યયનકેન્દ્ર (ભો.જે.ભવન)' પાસે સચવાયેલી છે.

✅અહીં કુલ ૧૫ હજારથી વધારે સંસ્કૃત-પ્રાકૃત, ગુજરાતી-દેવનાગીરી સહિતની ભાષા-લિપીની હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. મોટે ભાગે સંશોધકો તેનો ઉપયોગ કરે છે. વળી ૧૯મી સદી કે એ પહેલાના ગુજરાત કે પશ્ચિમ ભારતના કોઈ પણ પાસાંનો અભ્યાસ કરવો હોય તો આ હસ્તપ્રતો કે અહીં સચવાયેલા દસ્તાવેજો તપાસવા પડે. માટે વિદેશની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીં નિયમિત રીતે સંશોધનાર્થે આવતાં રહે છે.

✅૪૭૦ વર્ષ પહેલાની રચના

ગુજરાતની કોઈ પણ ભાષાની સૌથી પ્રાચીન હસ્તપ્રતો અહીં છે. એમાં પણ ઈસવીસન ૧૫૪૬માં કવિ ભીમ દ્વારા લખાયેલી 'પ્રબોધપ્રકાશ' નામની હસ્તપ્રત ગુજરાતીમાં લખાયેલી સૌથી જૂની હસ્તપ્રત છે. આ રચનાને આજે ૪૭૦ વર્ષ થયા. આ હસ્તપ્રતમાં એ જમાનાના રિવાજ પ્રમાણે ધાર્મિક અને આત્મબોધ અંગેનું લખાણ છે. પરંતુ આજેય તેના અક્ષરો એકદમ સ્પષ્ટ અને સુવાચ્ય દેખાય છે. અલબત્ત, એ જૂની ગુજરાતી-સંસ્કૃતમાં લખાયેલા દસ્તાવેજો હોવાથી હોવાથી સૌ કોઈ તેને ઉકેલી ન શકે.

🔘🎯ગજરાતી ભાષાનું પ્રથમ સામયિક 'બુદ્ધિપ્રકાશ' આ સંસ્થાએ શરૃ કર્યું હતું અને સદ્ભાગ્યે એ આજે પણ ચાલે છે. ભારતમાં સૌથી જૂના અને આજે પણ ચાલુ હોય એવા સામયિકોમાં તેની ગણતરી થાય છે. ૨૬ ડિસેમ્બરે ગુજરાત વિદ્યાસભા ૧૬૮ વર્ષ પૂરાં કરીને એકસો ઓગણસિત્તેરમાં વર્ષમાં પ્રવેશ કરશે.

✅♻️ફાર્બસ ઃ ૪૩ વર્ષની જિંદગીમાં ૧૩ વર્ષ ગુજરાતીને👇👇

૧૮૪૩માં ઈંગ્લેન્ડથી ભારત આવેલા ૨૨ વર્ષના યુવાન ફાર્બસ મૂળ તો ભારતીય કળા સંસ્કૃતિ વિદ્યા (ઈન્ડોલોજી)ના અભ્યાસી હતા. મુંબઈ રાજ્યમાં નોકરીએ લાગેલા ફાર્બસે સ્થાનીક ભાષાઓ શીખવી શરૃ કરી અને ગુજરાતી પણ શીખી લીધી. એ અભ્યાસ દરમિયાન તેમને ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસમાં રસ પડયો. પોતે જ્યાં કામ કરતા હતા એ ગુજરાતી બોલી બોલતા પ્રાંતના વિકાસ માટે તેમણે પ્રયાસો શરૃ કર્યા અને ૧૮૪૮માં નાતાલ વખતે રજાઓ ગાળવા જવાને બદલે બીજા અંગ્રેજોને ભેગા કરી એક સંસ્થા સ્થાપી. એ સંસ્થા એટલે આજની 'ગુજરાત વિદ્યાસભા'. એ સંસ્થા હેઠળ જ ફાર્બસે શાળાઓ શરૃ થાય, લોકોનો વાંચન રસ-રુચી વધે, એવી સંસ્થાઓ સ્થાપવા પણ સામાજિક અગ્રણીઓને પ્રોત્સાહ

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
ન આપ્યું. સોસાયટીની સ્થાપના થતાં પહેલુ કામ અમદાવાદમાં ગ્રંથાલય શરૃ કરવાનું કયુંર્ હતુ.

💠દલપતરામ ઃ ગુજરાતીનું જતન કરનારા ગુજરાતી
ફાર્બસે ગુજરાતી બોલતા પ્રાંત (એ વખતે ગુજરાત રાજ્ય ન હતું)માંથી જ કેટલાક સાથીદારો પસંદ કરી પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવ્યું. એવા એક સાથીદાર એટલે દલપતરામ. દલપતરામ હકીકતે તો ફાર્બસને કવિતા શીખવતાં હતા. એમાંથી જ બન્નેની જોડી જામી અને પુસ્તકો-સાહિત્ય-સંસ્થાઓ સહિત ગુજરાતી ભાષાનો ઈતિહાસ જેના વગર અધુરો રહે એવા અનેક કામો તેમણે કર્યાં. ફાર્બસનની પ્રેરણાથી જ દલપતરામે 'ભૂતનિબંધ' લખ્યો હતો, જે ગુજરાતી ભાષાની પ્રથમ ગદ્ય રચના ગણાય છે.

✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

No comments:

Post a Comment