🔳▪️🔳▪️🔳▪️🔳▪️🔳▪️
💂💂વર્લ્ડ ટ્રાઈબલ ડે💂💂
🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
💂આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ
અન્ય પછાતોની અનામત આંધીની ચકાચૌંધમાં, 9 ઓગસ્ટના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની માધ્યમોએ ખાસ નોંધ ન લીધી. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલો અને વનોના 17 ટકા વિસ્તારોમાં રહેતા અને 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને આપણે વિકાસના મુખ્ય ધારાપ્રવાહથી અલગ પાડી દીધા છે. આ વિસ્તારમાં રહેતા 1 કરોડ જેટલા આદિવાસીઓ કેવું જીવન જીવે છે તે અંગે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન નિમિત્તે પાછોતરું સ્મરણ કરી લઈએ.
💂1991માં વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણેખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા
ગુજરાતમાં ઉકાઈ, પાનમ, ધરોઈ, સરદાર સરોવર કે અન્ય જે મહત્ત્વના બંધો બન્યા તે આદિવાસી વિસ્તારોમાં બન્યા. જમીન આદિવાસીઓની ગઈ અને સિંચાઈનો લાભ થયો મેદાન વિસ્તારમાં રહેતા બિન આદિવાસીઓ- ખેડૂતોને. જે તમામ આદિવાસીઓની જમીન ગઈ તેમાંથી માત્ર નર્મદા ખાતે પુનર્વસન થયું, અન્ય જગ્યાએ માત્ર ઉકાઈમાં 20 ટકા પુનર્વસન સ્વૈચ્છિક રીતે થયું, બાકીના આદિવાસીઓનું શું થયું તેની કોઈ સત્તાવાર માહિતી આપણી પાસે નથી.
💂💂વર્લ્ડ ટ્રાઈબલ ડે💂💂
🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻🔸🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી આજના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
🕵🕵આજે 24માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
💂આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ
અન્ય પછાતોની અનામત આંધીની ચકાચૌંધમાં, 9 ઓગસ્ટના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની માધ્યમોએ ખાસ નોંધ ન લીધી. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલો અને વનોના 17 ટકા વિસ્તારોમાં રહેતા અને 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને આપણે વિકાસના મુખ્ય ધારાપ્રવાહથી અલગ પાડી દીધા છે. આ વિસ્તારમાં રહેતા 1 કરોડ જેટલા આદિવાસીઓ કેવું જીવન જીવે છે તે અંગે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન નિમિત્તે પાછોતરું સ્મરણ કરી લઈએ.
💂1991માં વિશ્વ વિકાસ અને પર્યાવરણ પરિષદમાં ખૂણેખૂણેથી ભદ્ર આદિવાસીઓ આવ્યા અને અહીંથી આદિવાસી ઓળખના દિવસો શરૂ થયા
ગુજરાતમાં ઉકાઈ, પાનમ, ધરોઈ, સરદાર સરોવર કે અન્ય જે મહત્ત્વના બંધો બન્યા તે આદિવાસી વિસ્તારોમાં બન્યા. જમીન આદિવાસીઓની ગઈ અને સિંચાઈનો લાભ થયો મેદાન વિસ્તારમાં રહેતા બિન આદિવાસીઓ- ખેડૂતોને. જે તમામ આદિવાસીઓની જમીન ગઈ તેમાંથી માત્ર નર્મદા ખાતે પુનર્વસન થયું, અન્ય જગ્યાએ માત્ર ઉકાઈમાં 20 ટકા પુનર્વસન સ્વૈચ્છિક રીતે થયું, બાકીના આદિવાસીઓનું શું થયું તેની કોઈ સત્તાવાર માહિતી આપણી પાસે નથી.


